SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ કાવ્યરા, શબ્દરચનાની ચતુરાઇવિશેષને વ્યાખ્યાન કરવાવાળા મા કહે છે. પ્રાચીન મા નામને અલંકારાન્તર માને છે. ભાનુદત્તનું આ લક્ષણ છે –“ શક્ય નાનાર્થતા માલ” શબ્દની નાનાર્થતા એ મા અલંકારવૃત્તિમાં લખે છે કે શબ્દાલંકાર છે. એટલા માટે એથી ભેદ છે. એને એ અભિપ્રાય છે કે જે કાવ્યમાં બે વિશેષ્યનું કથન હોય અથવા બન્નેનો પ્રસંગ હોય અને એના વિશેષણ શબ્દ નાનાર્થક હોય એમાં એક વૃત્તગતફલઢયન્યાયથી બને અર્થોને આ લેષ હોવાથી કૈલેષ છે. અહીં વક્ષ્યમાણ ઉદાહરણમાં એક સધ્યાનિજ પ્રસંગ છે. એથી પ્રથમ સધ્યા પક્ષના એકજ અર્થને બંધ થાય છે પછી શબ્દોની અનેકાર્થતા અને સ્ત્રીલિંગપુલિંગતા આદિના સામર્થ્યથી સધ્યા અને ચન્દ્રના દંપતીભાવની પ્રતીતિ થાય છે. એથી આહીં *લેષ નથી. યથા. સહરાગ અંબર કરેં સ્પશે કલાનાથ સુજાણ, સગ્યા સુવારૂણિ સંગતા વર તરલ તારક બાણ, દીધું ત્યાગી માનનિહાળી અવસરશિદ્ય અભિસરનાર, પથ રહ્યો નિરખે નંદનંદન કેલિકુંજ પધારી. આમાં શબ્દની નાનાર્થતા તે એ છે કે રાગ-ઉદય સમયની અરૂણિમા અને પ્રીતિ, અંબર-આકાશ અને વસ્ત્ર. કર-કિરણ અને હસ્ત. કલાનાથ-ચન્દ્રમા અને કામકલામાં કુશળ. વારૂણ-પશ્ચિમદિશા અને મદિરા. તારક-નક્ષત્ર અને નેત્રકનીનિકા. માન-પ્રમાણ અને કેપ. અમારા મતથી આ સમાસક્તિ અલંકાર છે. અભિસારિકા નાયિકા પ્રતિ સખીની ઉક્તિ છે, કે ઉદય સમયની અરૂણિમા યુક્ત ચન્દ્ર કિરણએ આકાશને સ્પર્શ કર્યો છે. પશ્ચિમ દિશાની સંગતિ કરવાવાળી અને તરલ નક્ષત્રવાળી સધ્યાએ પિતાના માન અર્થાત્ સમય પ્રમાણને ત્યાગ કર્યો છે. તેથી હવે ચાહિએ. માનને અર્થ પ્રમાણ પસિદ્ધ છે. “દિનમાન” એવું કહેવાય છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy