SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાન. સર્વસ્વકાર, રત્નાકરકાર અને ચન્દ્રાલેાકકાર ઇત્યાદિ એના અનુસારી છે. ચન્દ્રાલેાકકાર આ લક્ષણ આપે છે. ૪૮૬ बहूनाम् युगपद्भावभाजां गुम्फः समुच्चयः अहंप्राथमिकाभाजामक कार्यान्वयेऽपि सः યુગપત્ અર્થાત્ એકજ સમયના ભાવને ભજવાવાળા ઘણુાઆનું શુક્ન અર્થાત્ કાવ્યમાં વર્ણન કરવું એ સમુય. અને પ્રથમમાં પ્રથમ એવા ભાવને ભજવાવાળા ઘણાઓના એક કાર્યના સંબંધમાં પણ સમુય છે. કુવલયાન દકારે વૃત્તિમાં કહ્યું છે કે કોઇ કોઇ ક્રિયાઓના કિચિત કાલ ભેદ સંભવ છે. તાપણુ શતપત્ર પત્રશત ભેદ ન્યાયથી ચોગપદ્ય વિવક્ષિત છે. કુવલયાનંદકાર કારણુસમુચ્ચયનું આ ઉદાહરણ આપે છે. યથા. જોખન વિદ્યા મદ્યન ધન, મદ ઉપજાવે એહુ. આહીં અહમહમિકયા અર્થાત્ હાડાહાડી મલેકપાત ન્યાયથી અનેક કારણાનું ધારણ કરવુ છે. કારણુ સમુચ્ચયના ચાર પ્રકાર છે. એક તા અનેક કારણુ મળીને એક કાર્ય કરે. આ પ્રકારનું ઉદાડુરણ ઉપર આપેલ છે. દ્વિતીય પ્રકાર એ છે કે કારણુ કાર્યસિદ્ધિમાં પ્રવૃત્ત રહેતાં કારણ્ણાન્તર એ કાર્યની સુગમતા કરે. યથા. દીન વચન કરી સજલ ક્રૂગ, પડયા પ્રિયાને પાય; કર્યું માનમેાચન સુગમ, તુરત ઘટા ગહેરાય. તૃતીય પ્રકાર એ છે કે કારણુ કાર્યસિદ્ધિમાં પ્રવૃત્ત રહેતાં કારણાન્તર એ કાર્યની અધિકતા કરે. યથા. હતું રૂપ ચૈાવનતણું, તારે મન અભિમાન; અધિક થયું આધીનતા, પતિની પડી પિછાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy