SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર अलंकार. શ્રી જશવંત જશોભૂષણકાર” લખે છે – મનુષ્યને હાર આદિ અલંકાર હોય છે. એ છાયાનુસાર કાવ્યના પણ અનુપ્રાસ ઉપમાદિ અલંકાર માનવામાં આવ્યા છે. અલંકાર ત્રણ પ્રકારના છે. જે રાઈ, ૨ ચર્થીરું, ३ उभयालंकार. અલંકાર શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે. ગરું પોતીતિ ગજા “ગ” એટલે શોભા, મનુષ્યના શરીરને ગુણ લાવણ્ય આદિ, જીવના ગુણ ઉદારતા આદિ અને હારાદિ સર્વ શોભાવનારાં બને છે, તથાપિ અલંકાર નામની રૂઢિ તે હારાદિકમાં જ છે. તેમ કાવ્યને પણ શબ્દ, અર્થ, વ્યંગ્ય, ગુણ અને અનુપ્રાસ ઉપમાદિ સર્વ શોભા આપનારા હોવા છતાં અલંકારની રૂઢિ માત્ર અનુપ્રાસ ઉપમા ઇત્યાદિમાંજ છે. એનું નિમિત્ત એ છે કે પ્રધાનતાથી નામ થાય છે. મનુષ્યના જીવનમાં પણ શોભા કરવાને ધર્મ છે. કેમકે જ્યાં સુધી મનુષ્ય જીવે છે, ત્યાં સુધી શરીરની શોભા છે. જીવને વિયેગ થયા પછી નથી. પરંતુ જીવધર્મ પ્રધાન હોવાથી તેને જીવ નામથી વ્યવહાર છે. “નવયતીતિ વર” જે જીવતો છે તે જીવ. મનુષ્યના ઉદારતાદિ ગુણેમાં પણ શોભા કરવાપણું છે, પરંતુ ગુણધર્મ પ્રધાન હોવાથી તેને ગુણ નામથી વ્યવહાર છે. હાર કંકણાદિમાં ધનત્વ છે, તેવુંજ હાર કંકણાદિ આકાર વિનાના રત્ન અને સુવર્ણમાં પણ ધનત્વ છે. છતાં હાર કંકણાદિમાં શોભા કરવાને ધર્મ પ્રધાન હોવાથી હાર કંકણદિને અલંકાર નામથી વ્યવહાર છે. પ્રાચીન ગુની અને અલંકારેની આ વિલક્ષણતા બતાવે છે, કે ગુણની સ્થિતિ અચલ છે અને અલંકારેની ચલિત સ્થિતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy