SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ સાંભળીને એજ અર્થનું વાચક બીજું પદ (0therword) અથવા તો વારે (Turn) એટલે અર્થ સંસ્કૃતજ્ઞ હશે તે સમજી શકશે પણ– 'गम्यस्य वचो भङ्गायन्तराश्रयम्' । ગમ્યનું (વ્યંગ્ય મર્યાદાથી જાણવા એગ્ય અર્થનું) કંઈ કહેવાની જૂદાજ પ્રકારની ખુબીથી કથન કરવું? આવા પ્રકારના લક્ષણથી લક્ષિત અર્થ નહિ જાણનાર જનને. ? 'यं दृष्टा चिररुढापि निवासप्रीति सज्झिता ॥ मदेनैरावणमुखे मानेन हृदये हरेः જેને (હયગ્રીવને) જોઈને મદે ઐરાવણગજના મુખપર ઘણુકાલની જામેલી નિવાસ પ્રીતિ છોડી દીધી તથા અભિમાને ઈન્દ્રના હૃદયમાં ચિરકાલથી અભ્યસ્ત નિવાસપ્રીતિ છોડી દીધી.’ આ પદ્ય સાંભળીને ઐરાવત મદ રહિત થઈ ગયો અને ઈન્દ્ર ગલિતમાન બની ગયે. આ ચમત્કારજનક પર્યાયા લંકારબુદ્ધિગોચર થવો સર્વથા અસંભવિત છે. - ઈશ્વર સંકેતિત સંજ્ઞાઓને લક્ષણની જરૂર રહે પણ અલંકારના નામ છે કવિક્રમથી રાખવામાં આવેલ હોવાથી તેને લક્ષણની જરૂર હોય નહિ” આમ લખવું કેટલું અગ્ય છે ? વ્યવહારમાં અનેક ભાષાઓ ચાલે છે તેમાં વપરાતા સર્વ શબ્દો કંઈ ઈશ્વરે સંકતિત કરેલા નથી કિન્તુ તે તે દેશના જનોએ પિતાપિતાના વ્યવહાર નિર્વાહ માટે સંકેતિત કરેલા હોય છે તેવા વ્યવહાર વિવર્તક પુરૂષોએ સંકતિત કરેલા શબ્દોને પણ લક્ષણ (વ્યાવર્તકધર્મ) ની જરૂર જણાય છે. ઉદાહરણ તરીકે કોઈ સાધારણ મનુષ્ય સ્વેચ્છાથી સંકેતિત કરેલા પૂરનો 'ઈત્યાદિક વ્યકિત સંજ્ઞાઓને પણ વ્યાવૃત્તિ અર્થે “મૂલજી લવજી દવે મૂલજી આશારામ ઓઝા ” “મૂલજી જેઠા શેઠ' ઇત્યાદિ લક્ષણ (વ્યાવર્તક ધર્મ) ની જરૂર પડે છે એને માટે સંજ્ઞાપદની ચુક્ષત્તિ દર્શાવી પુનરૂક્ત દોષો દુભાવન કરવું છેકજ અસ્થાને છે. સંશા નિર્દેશ અને અસાધાણુ ધર્મ નિરૂપણ એવાં નામ તથા લક્ષણનાં વિભિન્ન સ્વરૂપ નિરૂપણ શાસ્ત્રપ્રસિદ્ધ છે, તેથી “લક્ષણ અને નામ બનેનું એકજ પ્રયોજન છે આમ કહેવું સર્વથા અનુચિત છે. વળી અગ્નિપુરાણુના નામથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy