SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ નાનીની અવસ્થા. ૪૩ તે સ્વાર્થ ના ભાગ આપી પરપકાર કરતા હતા. આથી ચંપાપુરીના લે કે। ધનસારના કરતાં પુણ્યસારને વધારે ચાહતા હતા, ઘણા લેકે તેને આશ્રય લેવાને આવતા, અનેદન કરી પેાતાના આત્માને પવિત્ર થ ચેલા માનતા હતા. એક વખતે ચ’પાપુરીમાં મહામારીના ઉપદ્રવ થયા. લોકોના ભારે સહાર થવા માંડયેા. તે વખતે લેાકેા માહા માહે વિચાર કરવા લાગ્યા. તેની શાંતિને માટે અનેક ઉપાયે કર્યાં, પશુ કેઇ રીતે રેગ ની શાંતિ થઇ નહીં, તેવામાં કેાઇ ભરદ્વાજ નામે તાપસ ત્યાં આવી ચડયા. તે ઘણી ઉગ્રતપસ્યા કરનારા અને જ્ઞાનને ધારણ કરનારા હતા, તેને જોઇ મહામારીથી પીડાતા લેાકેા તેને શરણે ગયા. અને મહામારીના કષ્ટથી મુક્ત કરવાની તેની પાસે પ્રાર્થના કરવા લાગ્યા. ભર દ્વાજ તાપસે જ્ઞાનદષ્ટિથી જોઇને કહ્યું, હે લેાકેા, આ મહામારીમાંથી મુક્ત કરવાના એક ઉપાય છે, પણ તે બનવા અશકય છે. લેાકાએ કહ્યું. તે કેવા ઉપાય છે ? તે જણાવે. તે જાણ્યા પછી શકય અને અશકયના નિર્ણય થઇ શકશે. તાપસે કહ્યું, અહિંથી થોડે દૂર વ્યાઘ્રમુખ નામે એકમિથ્યાત્વીયક્ષનું મદિર છે. ત્યાં જઇ તે યક્ષને કહેવું કે, ગમે તે મ કરીને પણ આ નગરની રક્ષા કરો. પછીતે યક્ષ કેાઇ પુરૂષનું બળિદાન માગે, તેા તમારામાંથી એક પુરૂષને તૈયાર થવું પડશે. જો યક્ષ દયા લાવી છેાડી મૂકે, તેા તેનાં ભાગ્ય, નહીં તે એક પુરૂષ પોતાના પ્રાણના ભોગ આપવા જોઇશે. જો તે યક્ષને પુરૂષના ભાગથી પ્રસન્ન કરવામાં આવે, તે આ મહામારીના રોગ તરત નાશ પામી જાય. ભરદ્વાજ તાપસનાં આ વચન સાંભળી લેકે વિચારમાં પડયા. કેઇ પણ પ્રાણના ભાગ આપનાર ઉપકારી પુરૂષ ઉભા થયા નહીં. આ વાત રાજાના જાણવામાં આવતાં તેણે તેવા પુરૂષની શેાધ કરવા માંડી–પણ કોઇ પુરૂષ જોવામાં આવ્યા નહી. પછી રાજાએ નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે, “જો કોઇ પુરૂષ આ નગરની રક્ષા કરવાને આત્મભાગ આપશે, તેના પુત્રને રાજા પાતાનું અધરાય આપશે. અને તેના મૃત્યુ સ્થાને એક મેોટા વિશાલ–કીર્ત્તિસ્તંભ ઉભું કરવામાં આ આ ઉદ્ઘાષણા પેલા ધનસારના સાંભળવામાં આવી. તેણે તે વિષેની બધી વાત કોઇને પૂછી જાણી લીધી. પછી ધનસાર ઘેર આવ્યા. અને તે વાત પોતાના પૂજ્યબંધુ પુણ્યસારને કહી સંભળાવી, તે સાંભળી પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy