SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શશિકાન્ત. ૪૨ મતિ, શ્રુત. અવધિ, મન:પર્યાય અને કેવળ—એમ પાંચ પ્રકારના જ્ઞાન કહેલાં છે, તેમાં કયા જ્ઞાનવાળા જ્ઞાનીને માટે તું પૂછે છે ? શિષ્યે કહ્યું, હું ઉપકારી ગુરૂ, હું તે એક સામાન્ય જ્ઞાનીને મા ટે પૂછું છું. કોઇ પણ પ્રકાર વગરના સામાન્ય જ્ઞાનવાળા જ્ઞાની પુરૂપ કહેવાય છે. તે તેને માટે મારા પ્રશ્ન છે. ગુરૂ કરે છે—હે શિષ્ય, જેનામાં કોઇ પ્રકારનું જ્ઞાન હાય, તે જ્ઞાની કહેવાય. તેમાં જ્ઞાનના બે પ્રકાર છે. એક લૈાકિકજ્ઞાન અને બીજું લેાકેાત્તર જ્ઞાન. જે લૈાકિક જ્ઞાન છે, તેમાં બધા વ્યવહારનુ’જ્ઞાન આ વી જાય છે. અને જે લેાકેાત્તર જ્ઞાન છે, તેમાં ધાર્મિક તથા દિવ્ય જ્ઞાન આવે છે, તેમાં જે લાકિક જ્ઞાનવાળા પુરૂષ છે, તે આ લેકનાં કાર્યો સાધવામાં કુશળ થાય છે. અને જે લેાકેાત્તર જ્ઞાનવાળા પુરૂષ છે, તે ધનાં કા↑ સાધવામાં કુશળ થાય છે. હે શિષ્ય, તેમાં જે લેાકેાત્તર જ્ઞાનવાળા પુરૂષ છે, તેજ ખરેખર જ્ઞાની કહેવાય છે. અને જ્ઞાનીની સ્થિતિ કેવી હાય ? તે જાણવું જોઇએ. તેવા જ્ઞાની પુરૂષ હમેશાં શુદ્ધ અંતઃકરણવાળા, દયાળુ અને પરોપકારી હેાય છે. આ જગમાં જે જે પરોપકારનાં કાર્યો હાય, તે કરવાને જ્ઞાની સદા તત્પર રહે છે. તે છતાં તે આત્મપ્રશ'સાથી ડરે છે. કોઇપણુ કા પેાતાની પ્રશંસા માટે કરતા નથી. માત્ર જનકલ્યાણ કરવાના પોતાના સ્વભાવથી કરે છે. તેનામાં હમેશાં સામ્યતા હોય છે. જગના સર્વ જીવોને સમાન ષ્ટિ થી જીવે છે. કાઇપર રાગ કે દ્વેષ રાખતા નથી, તે ઉપર એક સુંદર દષ્ટાંત છે, તે તું સાવધાન થઈને સાંભળજે~ ચ’પાપુરીમાં ધનસાર અને પુણ્યસાર નામે બે ભાઇઓ રહેતા હતા. ધનસાર અને પુણ્યસારની વચ્ચે સારા સ્નેહ હતા. પુણ્યસાર પોતાના જ્યેષ્ટ બધુ ધનસારની આજ્ઞાને માન આપી ચાલતા હતા. ધ નસારની મનોવૃત્તિ ગૃડવ્યવહારમાં વધારે તલ્લીન રહેતી હતી, તે હુમેશાં પેાતાના સ્વાસ્થ્ય તરફ પ્રવર્ત્તતા હતા. દરેક કાર્ય કરવામાં ધનસારની મનેવૃત્તિ સ્વાર્થ સાધક થતી હતી. પુણ્યસાર બાળવયથીજ ધર્મમાં આસ્તિક અને સમષ્ટિ હુતે, “ આ જગા જીવ કયારે સુ ખી થાય ? ” એવી પવિત્ર ધારણા તેના હૃદયમાં થયા કરતી હતી. તે હમેશાં પરોપકાર કરવાને માટેજ પ્રવૃત્તિ કરતા હતા. જો બીજાના ઉપર થતા હોય, અને પેાતાના સ્વાર્થના નાશ થતા હેાય, તાપણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy