SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જૈન શશિકાન્ત. સાધુએ શમતાથીજ પિતાનું ચારિત્ર પાળી શકે છે. અને તે ગુણના પ્રભાવથી છેવટે આ અનંત સંસારરૂપ સાગરને તરી તે મેક્ષના મનેહર મહેલમાં દાખલ થઈ શકે છે હે શિષ્ય, પ્રથમ શમ એટલે શું? તે અવશ્ય જાણવાનું છે. જે સંકલ્પ વિકલ્પ રહિત એવા સ્વભાવમાં રાખે તે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે. જે એવું જ્ઞાન મેળવે છે, જે જ્ઞાનના પ્રભાવથી મનુષ્યનું હૃદય સંકલ્પ વિકપ રહિત થઈ જાય, તેનું નામ શમ કહેવાય છે, આ જગતુમાં કર્મને લઈને વિષમતા થયા કરે છે. તે વિ. ષમતાને નહીં ઈચ્છતે યેગી બધા જગતને ચેતનાની સત્તારૂપે સમાન ગણે તે શમને પામેલે ગણાય છે. એટલે જગવાસી જીની અંદર જે હીનતા, ઉત્તમતા રહેલી છે, અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે જાતિ ભેદ, એકે ક્રિયાદિ ભેદ, સુબુદ્ધિ, દુર્બુદ્ધિ, ધન, નિર્ધન, જ્ઞાની, અજ્ઞાની, આદિભેદથી જે તારતમ્ય પણું રહેલું છે. તેને જે ઇચ્છતું નથી. તે સમગુણને પામેલે સમજ. તે સમગુણી આત્મા આત્મસ્વરૂપથી અભિન્ન અથવા સ્વતુલ્ય નિર્વિકાર શુદ્ધ ચતન્ય સત્તારૂપે ત્રિભુવનને વિષે રહેલા જીવોને સમાનરૂપે જુવે છે. તે શમમુનિ મડાત્મા મોક્ષને પૂર્ણ અધિકારી છે. હે શિષ્ય એ સમગુણે મુનિ સ્વયંભૂરમણની સાથે સંપર્ધા કરનાર છે. આ સ્થાવર-જંગમરૂપ જગતુમાં કેઈની સાથે તેની ઉપમા અપાય તેમ નથી. જે મહાત્માઓનાં મન હમેશાં શમરૂપ અમૃતથી સિંચન થયેલા છે. તેને રાગરૂપી સર્પનું વિષ દંડન કરી શકતું નથી. અર્થાત તે વીતરાગ થઈ શકે છે. તે ઉપર એક મનોરંજક દષ્ટાંત સાંભળવા જેવું છે– કેઈ એક મહાત્મા જૈનમુનિ ભારતવર્ષ ઉપર વિચારતા હતા. તેઓ જ્ઞાનથી વિભૂષિત અને વૈરાગ્યથી રંગિત હતા. તેઓ કઈ સમૃદ્ધિવાળા શહેરમાં આવી ચડ્યા. તે શહેરને રાજા ઘણે આસ્તિક અને જૈનધમ હતું. તેના જાણવામાં આવ્યું કે, કોઈ મહાત્મા મુનિ પિતાના નગરમાં આવેલા છે, આથી તે રાજા તે મહાત્માની પાસે આ વ્ય. તે મહાત્માને વંદન કરી રાજાએ વિનંતિ કરી કે, મહારાજ, કૃપા કરી મારે ઘેર પધારે. હું આપની સેવા ભક્તિ કરી કૃતાર્થ થાઉ. મહાત્મા મુનિએ કહ્યું, રાજેદ્ર, આપનું ઘર સમૃદ્ધિથી ભરપૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy