SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આખરના વરસમાં ગિજનીની ગાદીએ શાહબુદીન ઘોરી નામના પાદ. શાહ થયો. તેણે હિંદુ સ્થાન પર સ્વારીઓ કરી; તે વખત હિંદુસ્થાનમાં ચાર મોટા રાજ્યો હતાં. ૧ દિલ્હીમાં પૃથુરાજ ચહુઆણનું રાજ્ય, ૨ ક જમાં જયચંદ રાઠોડનું રાજ્ય, ૩ ચીતોડ ( વિડ) માં પેલોતનું રાજ્ય, ૪ અણહિલવાડ પાટણમાં સોલંકી રાજ્ય હતું. આ ચાર રાજાએને હિંદના બીજ નાના રાજાઓ ખંડણી આપતા હતા તથા કામ પડે લશ્કર લઈને મદદે આવતા હતા. દિલ્હી અને કનોજના રાજ્યની હદ કાળી નદીથી થતી હતી. મિ. ધુ નદી સુધીનાં દિલ્હીથી પશ્ચિમ તરફનાં રાજ ઉપર દિલ્હીના રાજાનું ઉપરીપણું હતું. એ રાજ્યની હદ–ઉત્તરમાં હિમાલય, પશ્ચિમમાં સિંધુ નદી, દક્ષિણમાં રણ અને આરાવલીના ડુંગરોને કાળી નદીથી થતી હતી. આ ચહુઆણ રાજાના તાબામાં ૧૦૮ ખંડીઓ રાજા હતા. કજના રાઠોડ રાજ્યની હદ–ઉત્તરમાં હિમાલય સુધી, પૂરને કાશી સુધી, તથા ચંબલ નદી ઓળંગીને બુદેલખંડ સુધી હતી, દક્ષિણે મેવાડ અને પશ્ચિમિકાળી નદી સુધી હતી. મેવાડના રાજ્યની હદ– ઉત્તરમાં અરાવલી પર્વત, દક્ષિણમાં ધાર, પૂર્વમાં કનોજની હદ અને પશ્ચિમમાં અણહિલવાડ પાટણના રાજ્ય સુધી હતી. અણહિલવાડ પાટણના રાજ્યની હદ –ઉત્તરે રણ, દક્ષિણે દરીઆ કીનારો, પૂર્વ મેવાડ તથા ધારનો મુલક અને પશ્ચિમે સિંધુ નદી સુધી હતી. આ સિવાય દક્ષિણમાં નાનાં નાનાં પણ ઘણાં રાજ્યો હતાં. - શાહબુદીન ઘોરીએ ઈ. સ. ૧૧૯૩માં પૃથ્વીરાજ ચઆણને પકડી દિલ્હીનુ રાજ્ય ખાલસા કર્યું. તેમજ ઈ. સ. ૧૧૯૪માં જયચંદ્ર રોડને હરાવી કનોજનું રાજ્ય પણ ખાલસા કર્યું. દિલ્હીની પાદશાહી–શાહબુદીનધારીએ દિલ્હી અને કનોજનાં રાજ્ય ખાલસા કર્યા પછી દિલ્હીમાં કુતુબુદીન નામનો એક સુબો મુકી પોતે ગિજની પાછો ગયો. શાહબુદીને પંડે તથા કુતુબુદીને જુદી જુદી વખત હિંદુસ્થાનના બીજા ભાગોમાં સ્વારીઓ કરી ઘણે મુલક છતી લીધો હતો. ઈ. સ. ૧૨૦માં શાહબુદીન ઘોરીને કોઈએ ઘાત કર્યો. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy