SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ९६ गुजरातना ऐतिहासिक लेख સર્વ હોવા છતાં તે કદિ મદ વાળ હતું નહીં. અને દાન કરવામાં સદા પ્રવૃત હતું અને વર્લ્ડ નામવાળા હતા. (૩૬) વળી હડ જે સદા ધર્મના પથ પર રહેતું હતું, તે પ્રજ્ઞ, પ્રભાવળ, બુદ્ધિમાન અને દાનના ભૂષણથી ઉજજવળ હતું, અને સર્જનથી માન પામતે. (૩૭-૩૮) અને પ્રજાને જાણીતા અજયદેવ હતું. તેના પછી સુખી અને સદ્દગુણી ખેતહરી તેને અનુજ નહરિ, સિંહના વિક્રમવાળો, સુજન સારા નામવાળે; સલક્ષણવાળો બાપણ, વિદ્વાન સાધુઓમાં શ્રેષ્ઠ દે, જિનની પૂજામાં પ્રવૃત પુરેન્દ્ર, અને ત્રણ રત્નની ભાવનામય રના. (૩૯-૪૦) વિદ્વાનને મદ ઉતારનાર બુદ્ધિમાન્ સાધુ છાજુ જૈન ધર્મના અનુયાયી, અને સદા દાન કરવામાં ચિત્તવાળા હતા, આ સર્વ જીનના પૂજન પાત્ર ભક્ત હતા. પાર્વનાથની પૂજા જોઈ, સર્વ મહાન અને વિવેકી પુરૂષોએ એકત્ર થઈને વિધિ અનુસાર પૂજા માટે, ધર્મ પ્રચાર માટે, અને તેને સદા માટે યશ સ્થાપવા કંઈક વ્યવસ્થા કરી. (૪૧-૪૨-૪૩) આ શ્રી પાર્શ્વનાથ જે ચિંતામણિ માફક સજજનેની સર્વ અભિલાષ પૂર્ણ કરે છે તે, વસ્ત્રખંડ, કુષ્ટ, મુરૂમાંસિ, ટંકન, ચેમેર ... ... આદિ બળદના વજનની ચીજ પર એક દ્રામ પ્રાપ્ત કરશે. અને ઓછા મૂલન ગુડ, કંબળ (કાંબળા), તેલ અને તગર આદિપર એક બળદ ઉપાડી શકે તેટલા વજન પર અડધે દ્રમ્ભ પ્રાપ્ત કરશે. (૪૪) શ્રી વિક્રમના સમય પછી ૧૩૫ર વરસમાં આ સદાને માટે નકકી કરાયું છે. (૪૫) જિનેની પ્રતિમા રહે ત્યાં સુધી તે મહાન પુરૂષ અને તેમની કરેલી વ્યથાનું પાલન થાઓ અને તેઓ સુખી થાઓ. (૪૬) યાત્રાનું એક સારું સ્થાન સ્તંભતીર્થ, શ્રીમાન સારંગદેવ, જિનદેવનું મંદિર, ગુરુનું પાપરહિત કુળ, શ્રાવક, નાને, તેજે, ધન આદિ જેઓ નિત્યદાન કરવા તત્પર હતા, અને મેષ, હરદેવ, રાજાદેવ જેઓ વ્રતનું પાલન કરનાર જિન ધર્મ પિષનાર, ને જેઓ મુખ્ય ભાગે જૈન મંદિરની સંભાળ લેવામાં સંબંધવાળા છે તે આ સર્વે અભ્યદય પામે. (૪૭) ભાવ ભૂપતિ જેને કુળ સહિત અતિ શ્રદ્ધા છે; મહાદાની ભાજદેવ જૈન ધર્મના તે સર્વ અનુયાયીઓ અને જેઓ તેમના પુણ્ય માટે સ્તુતિ પામ્યા છે . . . . . ઉદાર સાલ્ડ રન આદિ સંતસુજને જે આ વ્યવસ્થાનું પાલન અને તેમાં વૃદ્ધિ કરશે તો તેને અતિ રૂપવાન, પાર્શ્વનાથ અતિ અભ્યદય અપ. . . .. . ... આ (પ્રશતિને) લેખ ઠ૦ સેમથી લખાયે અને સુત્ર પહાથી કોતર.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy