SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ • २५६ गुजरातना ऐतिहासिक लेख ... ... ખંડણી ઉઘરાવતા, જેનું શ્રવણ, વિવિધ વર્ણથી શૈાલીતા દેખાતા બાળપણથી જ પ્રાપ્ત કરેલા શાસ્ત્રના જ્ઞાનથી સરળ હતું, જેના કર્ણને રત્નાનાં નવાં અધિક ભૂષણ પણ હતાં, ઘણાં કંકણુ, રત્ના, અન્ય ભૂષણેાથી વિરાજતા અને સવત્ દાનમાં રેડાતા પાણીથી ભીંજાએલે જેને કર ઉજ્જવળ શૈવલ વૃક્ષના અંકુર સમાન ચળકતા, ઉછળતા સાગરને રકતા હાય તેમ અખિલ વિશ્વને જેના કર તેમની વચ્ચે અન્તર ભાગમાં ધારતા, અને જે પરમમાહેશ્વર હતા;—શ્રી દેરભટ્ટના પુત્ર, જે પેાતાના પિતાને ભક્તિથી સતત નમન કરતા (? ) જેનું શિર તેના પિતાના ચરણુના રત્ન સમાન નખની રશ્મિરૂપી ગંગાનાં અતિશ્ર્વત જળથી નિત્ય પવિત્ર થયું હતું, જે અગસ્ત્યમુનિ જેમ અતિ બુદ્ધિ અને ડહાપણ બતાવતા, જે અતિ શ્વેત અને સર્વ દિશામાં પ્રસરેલા યશની કળાથી ઇન્સુની મહાન કળાની ચેષ્ટા કરતા, જે મેથી શ્યામ થએલા શિખર રૂપી સ્તનાગ્રવાળા સહ્યાદ્રિ અને વિંધ્યાચળના પયાધરવાળી પૃથ્વીને પતિ હતા;શીલાદિત્યને પુત્ર જે સારંગ ધનુષ્ય કરમાં ધારી સાક્ષાત કૃષ્ણ સમાન ભાસતા—–સર્વથી બળવાન ચક્રવત્તિ શ્રીધરસેનના પિતામહુના ભાઈ, મહારાજાધિરાજ, જેના ભાલ પર પેાતાના પિતાના ચરણકમળ આગળ સતત ભૂમિના ઘર્ષણુથી થએલું ઈન્તુકળા સમાન ચિહ્ન હતું, જેના રમ્ય કર્યું ( શ્રુતિના વિશેષ જ્ઞાનથી ) ખાળપણથી વેદના મંત્રાના અલંકારથી પવિત્ર હતા, જેના કમળ સરખા કરનું અગ્ર ધર્મ દાના કરવામાં સંકલ્પના જળથી ધાવાએલું હતું, જે યુવાન કન્યાના કરનું મૃદુતાથી ગ્રહણ કરતા વલ્લભ સમાન અતિ મૃદુ કર ગ્રહી પૃથ્વીના વલ્લભ હતા, જે સાક્ષાત્ ધનુર્વેદ જેમ સર્વ લક્ષ્ય નિશાન દષ્ટિમાં રાખતા, જેની આજ્ઞા ચૂડારના માફક નૃપાથી તેમના શિર પર ધારણ થતી, અને જે પરમમાહેશ્વર હતેા;—-શ્રી ધ્રુવસેનના પુત્ર, તેના વડીલ બન્ધુના પાદાનુયાત, જે પેાતાના પૂર્વને કરતાં સદાચારમાં અધિક હતા, જે અન્યથી ન કરેલાં કાર્યો સિદ્ધ કરીને ગમન કરતા પુરૂષાર્થ સાક્ષાત હોય તેમ દેખાતા, જેનું મન પૂર્ણ શુÈાના પ્રેમથી ભરેલું હતું, જેને પ્રજા અન્ય મનુ માફ્ક સ્વીકારતી, જેણે અતિ વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે કલરહિત સર્વ તેજસ્વી ઈન્દુ સમાન અને સર્વ શાન્તિના હેતુ હતા, જે મહાન તેજથી દિશાના મન્ત સુધી સકળ તિમિર તુણુનાર પેાતાની પ્રજા ઉપર નિત્ય પ્રકાશવા સૂર્ય સમાન હતા, જેનામાં પ્રજાના વિશ્વાસ હતા, જે સદા શાસ્ત્ર અનુસાર પેાતાના અનેક અર્થની સિદ્ધિ અર્થે મહાન કાર્યો કરતા, જે સંધિ અને સમાસમાં નિપુણ હતા, જે ચેાગ્ય આદેશ યાગ્ય સ્થાને આપતાં વૃદ્ધિ થયેલાના આદેશથી અતિ શુદ્ધ થયા હતા, જે નય અને વ્યાકરણમાં પ્રવીણ હતા, જે મહાન પ્રતાપવાળા હતા છતાં દયાથી પૂર્ણ મૃદુ હૃદયવાળા હતા, જે શાસ્ત્રમાં નિપુણ અને શ્રુતિના જ્ઞાનવાળા હતા છતાં મદ રહિત હતા, જે આકર્ષક હતા છતાં સ્વનિગ્રહી હતા, જે મિત્ર તરીકે સ્થિર હતેા છતાં દુષ્ટાને હાંકી મૂકતા, જેણે ઉદ્ભય( રાજ્યાભિષેક )સમયે અખિલ જગને આનન્દથી ભર્યું તેથી ખાલાદિત્ય( માલસૂર્ય )ના વિખ્યાત અને અર્થસૂચક બીજા નામથી જે કહેવાતા, અને જે પરમમાહેશ્વર હતા;--શ્રી ધરસેનના અનુજ, જે તેના પિતાના પાદાનુધ્યાત હતા, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનાના પરમ સંતેાષ હતા, જે ખળ, ઉદારતા અને દાનથી અભ્ય સ્થિત અને અનિયમિત શત્રુઓના મનારથ ભાગી નાંખતે, જે જગના અન્તર વિષય, સર્વ કળાઅને વિદ્યા સાથે પરિચિત હતા છતાં અતિ આનન્તકારી સ્વભાવવાળા હતા, જે અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત હતા, જેણે અનેક યુદ્ધમાં વિજયધ્વજ છીનવી લેવા તૈયાર અને વિશ્વાસથી ભરેલા કરથી તેના શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહનેા નાશ કર્યાં હતા, શસ્ત્રકળાના મદ તેના ધનુષ્યના યશથી ઉતર્યાં હતા એવા સર્વ નૃપાથી જેની આજ્ઞાની સ્તુતિ થતી હતી, અને જે પરમમાહેશ્વર હતા;---શ્રી ખરગ્રહના પુત્ર, જે તેના અન્ધુના પાદાનુયાત હતા, જે વડીલ બન્ધુએ તેના સ્કંધ ઉપર મૂકેલી રમ્ય અને અભિલષિત રાજ્યશ્રીની પુરી પેાતાના બન્ધુની આજ્ઞાનું પાલન માત્ર આનન્દથી જ કરતાં એક સુખી વૃષત્ર પેઠે ધારતા, જે અન્ય ઉપેન્દ્ર સમાન હત અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હતા, જેની શાન્તિ શ્રમથી, સુખથી કે પ્રેમથી અશિત હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy