SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી કામ કર્યે જતા હતા. છતાં તેમને એક સુખ હતું. પડખુંવાળીને સુતા કે નિદ્રા આવી જ છે, અને પિતાના આરામ પુરતી નિદ્રા મળી ગઈ કે પાછા કઈ પ્રવૃત્તિમાં લાગેલા જ હેય. આળસ પ્રમાદ, કે ગપ્પાં સપાં મારવાની વાત જ નહીં. એ ગમે જ નહીં. નકામી વાત નહીં. કેઈની નિંદા કે ચાડીચુગલી નહીં, કેઈના બુરામાં રાજી નહીં. એવું કાંઈ થતું હોય કે કઈક કરતું હોય તે તટસ્થ થઈ જાય. ખાસ કરીને કેઈનાં છિદ્ર જેવાં નહી અને કોઈના મમ પ્રકાશવા નહી. કેઈ નેકર વિગેરે કોઈપણ કામમાં કંઈક ભૂલ કરે, કે કોઈ વિરુદ્ધ વર્તન કરે, તો ક્ષણિક આવેશમાં આવી જાય, પરંતુ ક્રોધનું સ્થાયિ સ્વરૂપ નહીં. બદલે લેવાની કે વેર વાળવાની કિનાર વૃત્તિ નહીં જ. પાછા તેને જ બોલાવે, ક્રોધને માટે પશ્ચાત્તાપ કરે મિચ્છામિ દુક્કડં પણ દે અને વળી તેનાથી જ પાછું કામકાજ લે.મહેમાનેને જમાડવામાં પ્રેમ અને આગ્રહ આખી જીદગી સુધી એકસરખા ટકાવી રાખ્યા હતા. આવી આવી તેમના સ્વભાવની ખાસિયત હતી. ૧૦. આજીવિકાએ સ્વાશ્રયપણું– આટલી બધી પ્રવૃત્તિઓમાં પડેલા છતાં તેમણે આજીવિકાના ખર્ચને બેજે કાયમ પોતાની જાત ઉપર જ રાખ્યો હતો. તે એવા કેઈ લક્ષાધિપતિના સંતાન હેતા કે જેથી મેટી પુંજી હાય, ને તેના વ્યાજમાં આજીવિકા ચલાવે. તે સાધારણ ખાતાપિતા સુખી કુટુંબના સંતાન હતા, એટલું તે ખરું જ. એટલે કે તદ્દન ગરીબ ન જ ગણાય. છતાં આપણે આગળ જણાવી ગયા કે ત્રણ ભાઈઓ વચ્ચે વહેંચાઈને આવેલી વડિલે પાર્જિત મિલકત એ જમાનામાં ભાગમાં કેટલીક હેાય? છતાં જે હશે, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy