SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૬ ઠે-સામંજસ્ય ૩૫ જોને ઉદ્દેશ જનસમાજનું કલ્યાણ કરવા સિવાય બીજું કાંઈ સંભવ નથી. સર્વ લોકેાની કલ્યાણ –કામના એજ રાજદંડના પ્રણેતાઓને મુખ્ય સિદ્ધાંત હોય છે. | ગુ –મેં આત્મરક્ષાની વાત તને કહી તે વિષે ગંભીરતાથી વિચાર કરી જે. અનિષ્ટકારી મનુષ્યથી પિતાને બચાવ કરવાની લાગણી તેનું જ નામ ક્રોધ. એ ક્રોધ આપણુમાં હેય તેજ હરામખેરેની સામે આપણે થઈ શકીએ; અને કોઈની સામે થવું એજ આત્મરક્ષાનો પ્રયત્ન, એમ કહેવું અયોગ્ય નથી. તું કદાચ એમ કહેશે કે અનિષ્ટકારીઓથી બચતા રહેવાનો પ્રયત્ન તે આપણે આપણા બુદ્ધિબળથી કરી શકીએ તેમ છીએ તો પછી ક્રોધની શું જરૂર છે ? પરંતુ તેની સાથે આ એક વાત લક્ષમાં રાખવાની છે કે જો કેવળ બુદ્ધિબળથીજ આપણે આપણે બચાવ કરી શકતા હોઈએ તો આપણામાં એટલે બધે આગ્રહ કે વેગ આવી શકે નહિ. દુષ્ટોનું દમન કરવા માટે આપણુમાં જે આગ્રહ, વેમ કે ત્વરા રહેલી છે તે કેવળ ક્રોધને જ આભારી છે. ધીમે ધીમે જ્યારે મનુષ્ય બીજાને પિતાના જેવાજ-અર્થાત આત્મવત જોતાં શીખશે ત્યારે તેજ ક્રોધ આત્મરક્ષા તથા પરરક્ષામાં એકસરખો ઉપયોગી બની રહેશે. બીજાઓનું રક્ષણ કરવા માટે નિયમબદ્ધ જે ક્રોધ તેને દંડનીતિ કહેવામાં આવે છે. શિષ્ય --અસ્તુ. પરંતુ લોભમાં તે મને ધર્મ જેવું કાંઈ લાગતું નથી. ગુર–જે મનવૃત્તિની અનુચિત સ્તુતિને “ભ” એવું નામ આપવામાં આવ્યું છે તે જ વૃત્તિની ઉચિત કિવા યોગ્ય સ્કુતિને ધર્મસંગત અર્જનસ્પૃહા, ( મેળવવાની ઇચછા) કહી શકાય. આપણી પોતાની જીવનયાત્રા સહીસલામત રીતે ચલાવવાને માટે, તેમજ જેઓની જીવનયાત્રા નિભાવવાને ભાર આપણા ઉપર આવી પડયો છે તેમને માટે જે જે વસ્તુની જરૂર પડે તે તે વસ્તુ પ્રાપ્ત કરવી એ પણ ફરજ છે. આ પ્રમાણે યોગ્ય સીમામાં રહીને જે કાંઈ કમાવું તેને હું દોષપાત્ર લેખતા નથી; પણ એ ઉપરથી માત્ર ધનજ પ્રાપ્ત કરવું જોઈએ એમ હું કહેવા નથી માગતો. ભોગ્ય વસ્તુમાત્રની પ્રાપ્તિ કરવી જોઈએ એવો મારે ઉદ્દેશ છે અને તે ધર્મયુક્ત છે. હવે તેમાં જે યોગ્ય સીમાનું ઉલ્લંઘન થાય તે તે સદ્દવૃત્તિ તુરતજ અશુભવૃત્તિમાં–લેભમાં ફેરવાઈ જાય છે. આ પ્રમાણે જે વૃત્તિનું યોગ્ય સ્કુરણ એક કાળે ધર્મસંગત હતું તેજ વૃત્તિનું અયોગ્ય સ્કરણ મહાપાપરૂપ બની જાય છે. મારે કહેવાનો આશય બરાબર સમજી લે. જેને આપણે નિવૃત્તિ કહીએ છીએ તે સર્વ વૃત્તિઓને તેની ઉચિત હદમાં ખીલવા દેવી તેનું નામ ધર્મ અને તેનું ઉલંઘન થવા દેવું તેનું નામ અધર્મ. આ સર્વ વૃત્તિઓ એવી તેજસ્વી છે કે જે આપણે સાવચેતી ન રાખીએ તો તે આપોઆપ પણ બળવાન થઈ જાય અને આપણા ઉપર અધિકાર જમાવી બેસે. એટલા માટે તેનું યથાયોગ્ય દમન કરવું એજ અનુશીલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy