SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હઝ ધર્મતત્વ શિષ્ય:–હવે સમજો કે કેટલીક એવી વૃત્તિઓ છે, કે જેનું દમન કરવાથી જ બીજી વૃત્તિઓ યોગ્ય પ્રમાણમાં ખીલી શકે. ગુજર–પણ જે “દમન” શબ્દનો અર્થ વંસ” એ કરતા હોય તે તે ઠીક નથી. કામને ધ્વંસ કરવાથી તે મનુષ્યજાતિનોજ વંસ થાય. એટલા માટે ગમે તેવી હલકી વૃત્તિનો પણ ધ્વંસ કરે એ ધર્મવિરુદ્ધ છે–અધર્મ છે. આપણું પરમ રમણીય હિંદુધર્મમાં પણ એજ વાત કહેવામાં આવી છે. હિન્દુશાસ્ત્રકારોએ તેને વંસ કરવાને કદાપિ ઉપદેશ કર્યો નથી, એટલું જ નહિ પણ ધર્માર્થે તેની આવસકતા પણ સ્વીકારી છે. હિંદુશાસ્ત્ર પ્રમાણે પુત્રોત્પત્તિ અથવા વંશરક્ષા એ પણ એક ધર્મનું જ અંગ મનાય છે તે પણ એક વાત ભૂલી જવાની નથી અને તે એજ કે ધર્મના પ્રોજન સિવાય ઉક્ત વૃત્તિઓની કૃતિ થવા દેવી એ નિષિદ્ધ વાત છે. હું જે ધર્મવ્યાખ્યા તને આજે સંભળાવવા માગું છું તેમાં પણ મારે એની એજ વાત પુનઃ કહેવાની છે, કારણ કે વંશરક્ષા કિંવા સ્વાસ્થરક્ષા સિવાય એવી નિકૃષ્ટ વૃત્તિને અધિક પ્રમાણમાં ખીલવા દઈએ તે બીજી ઉચ્ચતર વૃત્તિઓની વૃદ્ધિમાં તે આડે આવ્યા વિના રહે નહિ અને તેથી સામંજસ્યને ભંગ થાય. અયોગ્ય અને અનુચિતવૃત્તિઓને નિરોધ કરવો એને જ જો દમન કહેવામાં આવે તો મેં ઉપર કહી તેવી સર્વ વૃત્તિઓનું દમન કરવું એને અનુશીલન કહેવામાં હરકત નથી, એવા અર્થમાં ઈયિનું દમન કરવું એ પરમ ધર્મ છે, એમ કહેવાની જરૂર નથી. શિષ્ય –વંશરક્ષા અર્થે કામવૃત્તિની સહેજસાજ જરૂર છે, એ વાત ઠીક છે, અને એને માટે એની આવશ્યકતા સ્વીકારવી જોઇએ; પણ તે સિવાય એવી બીજી અનેક નિકૃષ્ટ વૃત્તિઓ છે, તેની સ્મૃતિ માટે આપનું ઉક્ત કથન કેવી રીતે બંધબેસતું થઈ શકે ? ગર–પ્રત્યેક વૃત્તિને માટે મારે ઉપલો ઉપદેશ લાગુ પડી શકે તેમ છે. તું જ કહે કે એવી કયી વૃત્તિ છે કે જેને માટે ઉક્ત ઉપદેશ બંધબેસતે ન થઈ શકે ? શિષ્ય:-દાખલાતરીકે ક્રોધ. ક્રોધવૃત્તને જડમૂળથી ઉચ્છેદ કરવામાં આવે છે. તેમાં હું કાંઈ અનિષ્ટ જેત નથી. | ગુ–આત્મરક્ષા અથવા સમાજરક્ષાને માટે ક્રોધ ઘણો ઉપયોગી છે. સજા કરવા અથવા દંડ કરવાનો કાયદો એ વિધિયુક્ત સામાજીક ક્રોધ નથી તે બીજું શું છે ? ક્રોધને ઉચ્છેદ થાય તો તેની સાથે કાયદા-કાનુનનો પણ ઉચ્છેદ થઈ જાય, અને કાયદા-કાનુનને ઉચછેદ થાય તે પછી સમાજને પણ ઉચ્છેદ થતાં વાર લાગે નહિ. શિષ્ય:–દંડનીતિને હું ક્રોધમૂલક ગણી શકતા નથી. તેને તે દયામૂલકજ ગણવી જોઈએ; કારણ કે દંડનીતિને પ્રચાર કરનાર અથવા તે પ્રમાણે શિક્ષા કરનાર પુરુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy