SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ જો-સુખ એટલે શું? નથી. ધારો કે દયા એ આપણું મનની એક અવસ્થા છે, તેના અનુશીલનથી સુખ થાય એ પણ હું સ્વીકારું છું, છતાં “આપણે સર્વેએ દયાશક્તિનું અનુશીલન કરવું જોઈએ” એમ કહી શકાય ખરું? | ગુસ-“શક્તિ” શબ્દમાં જરા ગુંચવણ જેવું છે, એ વાત ખરી છે. તેને બદલે તારે બીજો કોઈ શબ્દ મૂક હોય તો તે સંબંધે મારે કશે વિધિ નથી. સૌ પહેલાં મૂળ વસ્તુને સમજી લે. ત્યાર પછી સમજવાની ખાતર તેને ગમે તે નામ આપીશ તે ચાલ્યું જશે. માણસને શરીર પણ એક હોય છે અને મને પણ એક જ હોય છે; પરંતુ તે અકેક છતાં પણ તે દરેકમાં જુદા જુદા પ્રકારની અનેક ક્રિયાઓ જેવામાં આવે છે, અને તેથી કરીને તે સર્વ જૂદી જૂદી ક્રિયાઓ . કરનારી શક્તિઓને જુદાં જુદાં નામ આપવાં અયોગ્ય નથી. એ પ્રત્યેક શક્તિનું મૂળ વસ્તુત: એક જ હોવા છતાં ક્રિયાઓમાં તેનું જૂદાપણું સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. અંધ મનુષ્ય જોઈ શકતો નથી, પરંતુ સાંભળી શકે છે ખરો, બહેર માણસ કાને સાંભળી શકતો નથી, પણ જોઈ તે શકે છે ખરે. યાદશક્તિ વિનાને માણસ ઘવાર સુંદર કલ્પના કરનારો સુકવિ હોય છે. વળી કઈ માણસ કલ્પના કરવામાં બહુ અશક્ત હોય છે, પણ બુદ્ધિમાં બહુ પ્રખર હોય છે. કોઈ ઈશ્વરમાં ભક્તિન્ય હેય છે પણ લેકે ઉપર ઘણું દયા રાખનારો હોય છે. કેટલાક નિર્દય હોવા છતાં પણ ઈશ્વરમાં સહેજસાજ ભકિતભાવ ધરાવતા હોય છે. મતલબ કે દેહ અને મનની ભિન્ન ભિન્ન શકિતઓને સ્વીકાર કરવામાં કાંઈ દોષ જેવું નથી. છતાં એટલું પણ અત્ર કહી દેવું જોઈએ કે નેહ-દયા વિગેરે કેટલીક એવી શક્તિઓ છે કે જેને “ શક્તિ” નામ આપવું રેગ્ય નથી લાગતું; પરંતુ તેને બદલે બીજો કયો શબ્દ મૂક્યો હોય તે ઠીક શિષ્ય –અંગ્રેજી શબ્દ-ફેકલ્ટી' ને અર્થ અનેક લેખકે વૃત્તિ શબ્દથી કરે છે તે શબ્દનો વ્યવહાર કર્યો હોય તે ગુ –પાતંજલ વગેરે દર્શનશાસ્ત્રમાં વૃત્તિ શબ્દ છે જ ભિન્ન અર્થમાં વપરાયો છે. શિષ્ય --પરંતુ આપણી ભાષામાં તે શબ્દને તે અર્થ પ્રચલિત નથી. ઘણેખરે સ્થાને સામાન્ય અર્થમાં જ “વૃત્તિ” શબ્દને નીભાવી લેવામાં આવે છે. ગુસ –તે પછી “વૃત્તિ' જ કહે માત્ર સમજવાનું જ કામ છે ને ? તમે લોકે જયારે “મરસ” ને અર્થ “નીતિ” અને “સાયન્સ” નો અર્થ “વિજ્ઞાન” કરે છે તો પછી “ફેકલ્ટી” ને અર્થ “વૃત્તિ” શબ્દથી કરે છે તેમાં કાંઈ ખોટું નથી. અસ્તુ. શિષ્ય—હવે મારે બીજો એક વાંધે આપને જણાવું છું. આપે કહ્યું હતું કે વૃત્તિના અનુશીલનમાં સુખ છે; પરંતુ પાણી વિના તૃષાનું અનુશીલન કરવું એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy