SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧ લે-દુ:ખ એટલે શું ? - - - - ગુર:–શરીરરક્ષા માટે અને પોષણ માટે જે તે પૂરતું ન હોય તે તેને દુઃખ કહી શકાય. શારીરિક અને માનસિક પુષ્ટિને માટે યોગ્ય પ્રમાણમાં અન્ન મળવા છતાં વધારે સારા અનમાટે બળાપો કર્યા કરે, એ ધાર્મિક મનુષ્યનું લક્ષણ નથી. સ્વાદિષ્ટ ખેરાક મેળવવા પાછળ તે પેટભરાઓજ હાય વય કરે; અને એવા-પિતાનું પેટ ભરવાની લાલસાવાળાઓ ધાર્મિક નથી. શિષ્ય–ફાટય–તુટયાં કપડાં મળે તેનું કેમ? ગુર: જે વાવડે લજજાનું નિવારણ થઈ શકે તેવાં વસ્ત્રો મળવાથી ધાર્મિક પુરુષો હમેશાં સંતેષજ માને છે. શીતકાળમાં શરદીનું નિવારણ કરવું એ વચ્ચેનો ખાસ ઉદ્દેશ છે, અને તે ઉદ્દેશ ગમે તેવી જાડી-પાતળી કે ફાટી-તુટી કાંબળથી પણ સિદ્ધ થઈ શકે છે. એવું એકકે વસ્ત્ર શું વાચસ્પતિ મહાશયને નથી મળતું ? શિષ્યા–એ તે મળે; પણ બિચારા જીવને પિતાને જ પાણી ભરવું પડે, હાથેજ વાસણ માંજવાં પડે તથા ઘરમાંથી ઝાડું પણ હાથેજ કાઢવું પડે એ આપદા શું ઓછી કહેવાય ? ગુરુ –શારીરિક પરિશ્રમ કરે એ ઈશ્વરી નિયમ છે. જે કોઈ મનુષ્ય એ પરિશ્રમ કરવા નથી ચાહતો તે અધાર્મિક છે. હું એમ નથી કહેવા માગતો કે ધનનું કાંઇજ પ્રયજન નથી. મારો કહેવાનો સારાંશ એ છે કે જગતમાં જેઓ પોતાને દીન-દુઃખી અને દરિદ્ર માને છે તે તેની પિતાની શિક્ષા અને સુવાસનાનું જ કુળ ભોગવે છે. અર્થાત્ અધર્મના સંસ્કારોજ તેમને માટે કષ્ટના કારણભૂત બને છે. અનુચિત ભેગ-લાલસાજ અનેકને માટે દુઃખનું કારણ હોય છે. શિષ્ય –ત્યારે શું જેને માટે દારિદ્રય એ યથાર્થ રીતે દુઃખમય નિવડે એવું કોઈ પૃથ્વીમાં નહિ હોય? ગુર–કરડે છે. જેમને શરીરરક્ષા પૂરતાં વસ્ત્ર મળી શકે નહિ, અને રહેવાને માટે આશ્રય પળે નહિ તેઓ ખરેખર દરિદ્ર હોવા ઘટે છે. તેમને માટે દારિદ્રય એ દુઃખના કારણભૂત છે, એમ કહી શકાય. શિષ્ય–ત્યારે એ દારિદ્રયને પણ શું તેમણે આ જન્મમાંજ કરેલા અધર્મના ફળરૂપ લેખાય ? - ગુલે--હાજ તે.* * મનુષ્યો જે સુખ-દુઃખ ભોગવે છે તેમાં પોતે કરેલાં કર્મો જ ઘણેખરે અંશે કારણભૂત હોય છે; પરંતુ તે સિવાય બીજા કારણે પણ હોય છે, એ વિષય બીજા કેાઈ સ્થાન માટે મુલતવી રાખીએ છીએ. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy