SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધમતવ શિષ્યા–એમ કેમ કહેવાય ? શું આપ એમ કહેવા માગે છે કે દારિદ્રકંગાળપણું, રોગ અને ઘર બળવું, એ સર્વ અધર્મનાં ફળ છે ? ગુન્હા . એમજ કહેવા માગું છું. શિષ્યઃ–પૂર્વજન્મના અધર્મનું ફળ ? ગુરુ –પૂર્વજન્મને વચમાં શામાટે નાખે છે ? આજ જન્મના અધર્મનું ફળ! શિષ્ય: આપ શું એમ માને છે કે આ જન્મમાં અધર્મ કર્યો હોય તેના ફળરૂપે જ રોગશોકાદિ પ્રાપ્ત થાય છે ? ગુરુ–હું જ નહિ, પરંતુ તારે પણ માનવું પડશે. વધારે ઠંડી લાગે તે શરદી થાય અને ભારે ભેજન વધારે પ્રમાણમાં લેવાય તે અજીર્ણ થાય તેમ તું નથી માનતો ? શિષ્ય-ઠંડી લાગવી એ શું અધર્મ છે ? ગુરુ -બીજા અનેક ધર્મો પૈકી શારીરિક ધર્મ પણ એક ધમ છે. નુકશાનકારક ઠંડી લાગવા દેવી એ ધર્મથી વિરુદ્ધ છે, અને તેથી તે અધર્મ છે. શિષ્ય: આપે તે અહિંસા ધર્મને શારીરિક અર્થમાં લઈ લીધો. ગુસ –જે શરીરસંબંધી નિયમથી વિરુદ્ધ હોય તે શારીરિક અધર્મ લેખાય. શિષ્ય:–ત્યારે શું સ્વાભાવિક નિયમોને અનુસરવું એનું નામ ધર્મ, અને એ નિયમોનો ભંગ કરી અવળા ચાલવું તેનું નામ અધર્મ ? - ગુર–ધર્મ અને અધર્મને લગતો વિષય એ છે કે એટલી બધી સરળતાથી તેનો નિર્ણય થઈ શકે નહિ. જે તેમ હેત તો ધર્મતત્વ ભૌતિક પદાર્થવેત્તાઓનાજ હાથમાં રહેવા પામત. એમ છતાં ઠંડી લાગવા સંબંધે ઉપર જે કહ્યું છે તે ખોટું નથી. શિષ્ય –ધારો કે એ વાત માની લીધી; પણ મારે પ્રશ્ન એ જ છે કે વાચસ્પતિ મહાશયનું દારિદ્રય-દુઃખ એ કયા પાપનું ફળ ? ગુ –દારિદ્રય-દુઃખ એટલે શું ? એ વાત પ્રથમ બરાબર સમજી લે. ભલા, તેમને શું દુઃખ હતું ? શિષ્યઃ–પહેલું તે એજ કે પૂરું ખાવાનું પણ તેમને મળતું નહોતું. ' ગુર:–વાચસ્પતિ મહાશયને તે દુઃખ તે નહિ જ હોય એમ હું ખાત્રીપૂર્વક કહી શકું છું; કારણ કે જે તેમને ખાવાનું જ મળતું ન હોત, તો તેઓ ક્યારનાયે મરી ગયા હત. શિષ્ય: કોઈ વખત માત્ર ભાત કે કેાઈ વખત માત્ર જાર ઉપર આખા કુટુંઅને નિભાવવું પડે એ શું સુખ ગણાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy