SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન બંકિમે પોતાની નવલકથાઓની ગુંથણી એતિહાસિક બનાવોપર કરેલી હોવા છતાં તેમાં સ્વતંત્ર કલ્પનાનું પ્રાધાન્ય છે. તેમનામાં કલ્પનાશક્તિ પ્રબલ હોવાથી જ નવલકથાનાં પાત્રોનાં વિવિધ ચિત્રો ચીતરવામાં તેઓ સફળ થયા છે. ઉત્તમ નવલકથાકાર પિતાની કલ્પનાશક્તિના બળે સત્યનું મહત્વનું સરસ રીતે દર્શાવી શકે છે, અને તેવું જ બંકિમચંદ્રની નવલકથાઓ વાંચતાં આપણે આબેહુબ અનુભવીએ છીએ. કેઈ ચતુર ચિત્રકાર જેમ પોતાની કુશળતાને લીધે નિર્જીવ ચિત્રને આબેહુબ સજીવ જેવું દર્શાવે છે, તેમ ઉત્તમ નવલકથાકાર પણ જનસ્વભાવનું ખરેખરૂં ચિત્ર પાડી • ઉત્તમ શિક્ષકની ગરજ સારે છે. ઉત્તમ નવલકથાકારનું દરેક માનવચરિત્ર સ્વાભાવિક્તાથી પરિપૂર્ણ હોય છે, એટલું જ નહિ પણ તે પવિત્રતા તરફ દેનારું હોય છે. જે વાર્તાલેખક આ ઉદેશ ભૂલી જાય છે તે સમાજને શિક્ષક બની શકતો નથી. માણસને મોટે ભાગે વાર્તા અને નવલકથાના વાચન તરફ પ્રીતિવાળો હોવાથી વાર્તા અને નવલકથાના લેખકે હમેશાં એટલું સ્મરણમાં રાખવું જોઇએ કે “આપણે દૃષ્ટાંતદ્વારા શુભ કાર્યોને ઉત્કર્ષ પ્રદર્શિત કરવો છે.” બસ, આટલું સ્મરણમાં રાખી તે વાર્તાલેખનનું પવિત્ર કાર્ય ઉત્તમતાથી કરશે તે તેને શ્રમ સફળ, થશે. કદિ ભૂલેચૂકે પણ બંકિમચન્ટે પોતાની નવલકથાઓનું ઉચ્ચ લક્ષ્યસ્થાન વિસ્મત કરેલું નથી; અને તેથી જ તેમનો લેખતરિકેને શ્રમ સફળ થઈ તેઓ હાલ બંગાળામાં “સાહિત્યસમ્રાટ’ને નામે અમર થયા છે. તેમનું હૃદય સહદયતા, સત્યવાદિતા, તેજસ્વિતા અને નિર્ભયતાથી ભરપૂર હતું. આથી જ તેમને ઉપદેશ અસરકારક અને મર્મસ્પશી થઈ રહેતો. - બંકિમચંદ્રને હિંદુધર્મ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. ધાર્મિક કાર્યોમાં તે બહુજ ઉત્સાહ દર્શાવતા. ભગવાન કૃષ્ણચંદ્રના તે મહાન ભક્ત હતા અને તેમને તે પોતાના ઇષ્ટદેવ માનતા. ગોપીઓની પ્રેમવાર્તાને તે માત્ર કવિક૯૫ના માનતા. છેલ્લી અવસ્થામાં તેમનો ધર્મભાવ બહુ જ વધ્યો હતો, અને મોટે ભાગે ધાર્મિક ગ્રંથોના પઠન પાઠનમાં જ સમય ગાળતા. તેમનું હૃદય અત્યંત કોમળ અને સરળ હતું. તે હમેશાં પ્રસન્ન મુખે રહેતા. સરળતા, સહદયતા અને હૃદયની પવિત્રતાને લીધે તે સૈને પ્રિય લાગતા. તેમની પાસે અનેક દીન અને દુ:ખી માણસે આવી પિતાની રામકહાણી ગાઈ બતાવતાં. બંકિમચંદ્ર ધ્યાનપૂર્વક તે સાંભળતા, કદ ગદગદ બનતા અને પછી તેનું દુઃખ દૂર કરવા આશ્વાસનથી તેમજ ધનાદિથી યત્ન કરતા. તેમણે અનેક ઉત્સાહભંગ થએલા નવયુવકેને રસ્તો દર્શાવ્યા છે, તથા અનેક નિરાશ્રિતને આશ્રય આપેલ છે. બંગાળી લેકે આધુનિક સાહિત્યની બંગાળી ભાષાના જન્મદાતા બંકિમ બાબુને ગણીને તેમના તરફ બહુજ માન રાખે છે. બંગાળી ભાષા બંકિમના પહેલાથી લખાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy