SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્ત્વ = ----- તેમના અભિપ્રાય પ્રમાણે ભગવદભિપ્રેત દાન થયું એમ નજ ગણુંય ! ભાગ્યકારોના વિચાર પ્રમાણે તો ગરીબ, રોગી કે દુ:ખીને સહાય કરવી એ યોગ્ય દાન ન લેખાય. આ પ્રમાણે કઈ કઈ ભાષ્યકારે અતિ ઉન્નત ઉદાર તથા સાર્વલેકિક હિન્દુધર્મને એ તે સંકીર્ણ, અનુદાર તથા ઉપધર્મ બનાવી દીધો છે કે તે ભાષ્યકારોના વિચારને યથાર્થ હિંદુધર્મના વિચારે કહેવાની હિંમત કાઈથી થઈ શકે નહિ. મને એમ લાગે છે કે સ્મૃતિને અનુમોદન આપવા માટે જ ભાષ્યકારોએ ભગવાનના ઉદાર વાક્યને એટલું બધું સંકીર્ણ રૂપ આપી દીધું હશે. જો કે ઉક્ત સર્વ અને મહા પ્રતિભાસંપન્ન, સર્વશાસ્ત્રવિત ભાષ્યકારોની પાસે હું કશીજ બિસાતમાં નથી, તે પણ મારે એટલું તે કહેવું જોઈએ કે – केवलं शाखमाश्रित्य न कर्तव्यो विनिर्णयः। । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥ અર્થાત માત્ર શાસ્ત્રના આધારેજ કર્તવ્યનો નિર્ણય કરે એગ્ય નથી. યુક્તિહીનવિચારશુન્ય બનીને કર્તવ્ય કરવાથી તે ધર્મહાનિ જ થાય છે. વિચાર કર્યા વિના, આંખ મીચીને ધર્મગ્રંથોનું અનુસરણ કરવા જતાં આજકાલ આપણે કેવી દુર્દશા-અધર્મ અથવા વિશંકાવાળી સ્થિતિએ પહોંચ્યા છીએ તેને વિચાર કરતાં ત્રાસ થયા વિના રહેતો નથી. હજી પણ વિના વિચારે એવું જ કર્યા કરીએ તે એ ઉચિત નથી. પિોતપોતાની બુદ્ધિ પ્રમાણે સર્વેએ વિચાર કરવો જોઈએ, નહિતર ચંદનવાડી ગર્દભ જેવીજ આપણી સ્થિતિ રહી જવાની–અર્થાત ચંદનમહિમા સમજવાને બદલે ચંદનને ભાર વહન કરીને જ જીવન વિતાવી દઈશું. શિષ્ય –તે પછી ભાખ્યકારોના પંજામાંથી યથાર્થ હિંદુધર્મને ઉદ્ધાર કરે એ આપણું પ્રધાન કર્તવ્ય નથી શું ? ગુસ–પ્રાચીન ઋષિમહર્ષિ તથા પંડિતો અતિશય પ્રતિભાસંપન્ન તથા મહા જ્ઞાની હતા. તેમના પ્રત્યે વિશેષ ભક્તિભાવ રાખ, અને તેમને અનાદર અથવા અમર્યાદા કદાપિ ન થાય તેનું સતત લક્ષ રાખવું એ આપણે ધર્મ છે. છતાં જે સ્થળે તેમનું વાકય ઈશ્વરના અભિપ્રાયથી વિરુદ્ધતાવાળું જણાય તે સ્થળે તે વાક્યને પરિત્યાગ કરી ઈશ્વરભિપ્રાય જ અનુસરણ કરવું, એજ મારે કહેવાને મર્મ છે. * મનુ ૧૨ મો અધ્યાય, ૧૧૩ મા લેકની ટીમમાં બહસ્પતિનું વચન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy