SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨૯ મે-દયા ૧૯. પ્રીતિને સમાવેશ છે, તેવી જ રીતે દયા પણ પ્રીતિને એક ખાસ પિટા ભાગ છે. સર્વ ભૂતમાત્રમાં જે પોતાનાજ આત્માને જોતા હોય અથવા સર્વ ભૂતમાત્રને પિતાનામજ અનુભવ કરતે હોય તે મનુષ્ય નિરંતર દયામયજ હોય છે. એટલા માટે ભકિતના અનુશીલન (અનુસરણ અને વિકાસ) થી જેમ પ્રીતિનું અનાયાસે અનુશીલન થાય છે તેવી જ રીતે પ્રીતિના અનુશીલનની સાથે દયાનું અનુશીલન પણ રહેલું જ હોય છે. ભકિત, પ્રીતિ અને દયાને હિંદુ ધર્મ એવા સૂત્રથી એક બીજા સાથે ગુંથેલી છે કે તેને જુદી પાડી બતાવવાનું કામ સહજ નથી. હિંદુધર્મ જે સર્વાંગસંપન્ન ધર્મ અન્ય કેઈ નથી, એવા ઉદ્દગારે આવા પ્રસંગે બળપૂર્વક બહાર આવ્યા વિના રહેતા નથી. શિષ્ય –છતાં દયાનું અનુશીલન પૃથફ રીતે કરવાનું હિંદુધર્મમાં કહેલું છે. ગુસ-એકવાર નહિ પણ હજારવાર પુનઃ પુનઃ દયાના વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વસ્તુતઃ જેનામાં દયા નથી તેને હિંદુ એવું નામજ આપી શકાય નહિ. તે પણ એટલું છે કે હિંદુધર્મમાં દાન શબ્દનો જેટલો છૂટથી ઉપયોગ થયેલા આપણું જોવામાં આવે છે તેટલે દયા શબ્દને વ્યવહાર થએલે જોવામાં આવતું નથી. ખરી રીતે તે દાનમાંજ દયાનું સત્ય અનુશીલન રહેલું છે, પરંતુ “દાન” શબ્દના અર્થ તરફ બરાબર લક્ષ આપવામાં આવતું નથી. “દાન” કહેવાથી માત્ર અન્નદાન, વસ્ત્રદાન અથવા ધનદાનજ સર્વત્ર સમજવામાં આવે છે; પરંતુ એ અર્થ તો બહુજ સાંકડો છે. દાનનો ખરો અર્થ ત્યાગ છે. ત્યાગ અને દાન એક બીજાના માત્ર પ્રતિશજ છે. દયાના અનુશીલનાથે ત્યાગ શબ્દને પણ અનેક સ્થળે ઉપગ કરવામાં આવ્યો છે. આ ત્યાગ શબ્દથી કેવળ ધનત્યાગજ સમજવો, એ યોગ્ય નથી. ત્યાગ શબ્દથી સર્વ પ્રકારના ત્યાગનું સૂચન થાય છે, અને તેમાં પ્રાણત્યાગ ૫ણ સમાઈ જાય છે. મતલબ કે જ્યાં દાનધર્મને આદેશ કરવામાં આવ્યો હોય ત્યાં આત્મત્યાગ કરવાનો ઉપદેશ પણ સાથે જ રહેલો છે એમ સમજી લેવું. આ પ્રકારનું દાન કરવું તેમાંજ યથાર્થ દયાના અનુશીલનને માર્ગ રહેલો છે. એક માણસ પાસે પુષ્કળ ધન-સંપત્તિ હોય, અને તે સંપત્તિનો અમુક અંશ કેઈ દીનદરિદ્રીને અર્પણ કરે છે તેથી તેણે દયા કરી એમ કહી શકાય નહિ; કારણ કે એક તળાવમાંથી કોઈ પ્રવાસી ખેબ ભરીને પાણી પીવે તેથી તળાવને કાંઈ ખોટ જતી નથી, તેમ તારા ઉત પ્રકારના દાનથી તને કાંઈ કષ્ટ થતું નથી. તેણે જે સ્વાર્થ ત્યાગ કરવો જોઈએ તેવો સ્વાર્થ ત્યાગ એથી થતા નથી. આ ઉપરથી એવા દાનની પણ જરૂર નથી એમ માની લઈશ નહિ. જેઓ એવું નજીવું દાન પણ કરી શકતા નથી તેઓ ઘેરતર નરાધમથી કઈ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy