SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ધમતત્વ ટુંકામાં, ભારતવર્ષમાં ઘણુંખરૂં કામ ગાય અને તેની સંતતિ ઉપરજ નિર્ભર રહે છે. ગાય અને બળદ મૃત્યુ પામ્યા પછી પણ દધીચિની માફક પોતાનાં હાડ, ચામ તયા શીંગડારા આ૫ણું ઉપર ઉપકાર કરતાં જાય છે. કેટલાએક મૂર્ખ મનુષ્યો કહે છે કે“ગાય તે હિંદુઓને એક દેવતા છે.” વસ્તુત: તે દેવતા નથી, પણ દેવતા એટલે ઉપકાર આપણી ઉપર કરે છે, એટલાજ માટે તેને દેવતાસમાન લેખવામાં આવે છે. વૃષ્ટિદેવતા આપણું ઉપર જેટલો ઉપકાર કરે છે તેના કરતાં પણ ગાય વિશેષ ઉપકાર કરે છે. ઇન્દ્ર જે પૂજ્ય હોય તે ગાય પણ પૂજવાયોગ્ય છે. જે આપણા દેશમાંથી ગાયનો લેપ થઈ જાય તે હિંદુપ્રજા પણ તેની સાથેજ લેપ થઈ જાય, એમાં શક નથી. મુસલમાનોની દેખાદેખીથી જે હિંદુઓ પણ ગોમાંસ ભક્ષણ કરવા લાગ્યા હેત તો અત્યારે પૂર્વે હિન્દુ નામને કયારનેયે લેપ થઈ ગયો હોત, અથવા તે હિંદુઓ અત્યંત દુર્દશા ભોગવતા હતા, એમ વિચાર કરવાથી સ્પષ્ટ થયા વિના રહેશે નહિ. હિંદુઓના અહિંસાધર્મો જ હિંદુઓની રક્ષા કરી છે. અનુશીલનનું પ્રત્યક્ષ ફળ જેવું હોય તો પશુપ્રીતિના સાક્ષાત ઉપકારો પ્રત્યે એકવાર દષ્ટિપાત કરી જા, પશુપ્રીતિના અનુસરણના પ્રતાપેજ હિંદુપ્રજા આજે જીવતી રહી ગઈ છે. શિષ્ય:-ઘણા મુસલમાનો પણ ગેમસ નથી ખાતા. ગુસ-એ પ્રતાપ હિંદુઓના સહવાસને છે. જેઓ હિંદુ વંશમાં જન્મવા છતાં ગોમાંસ ભક્ષણ કરતા હોય તેઓ કુલગાર છે–નરાધમ છે. એથી વધારે સપ્ત શબ્દો મારી પાસે નથી. શિષ્ય –કેટલાક પાશ્ચાત્ય પંડિતે કહે છે કેઃ “હિંદુઓ જન્માંતર માને છે. તેથી રખેને આપણે કોઈ પૂર્વપુરુષ દેહાંતર પ્રાપ્ત કરીને પશુપે આપણે ત્યાં આવ્યું હોય તે? એવા ભયથી હિંદુઓ પશુઓ પ્રતિ દયાવાન રહે છે.” | ગુસ–પાશ્ચાત્ય પંડિતો અને પાશ્ચાત્ય ગર્દભ વચ્ચેનો ભેદ ભૂલવું જોઈએ નહિ. હિંદુધર્મને યથાર્થ મર્મ મેં તને કહી દીધા છે. હજી પણ તું શું ગર્દભ કોને કહેવાય અને પંડિત કેને કહેવાય તેને નિર્ણય કરી શકે નહિ? ગર્દભ તે એના અવાજ ઉપરથી જ પકડાઈ જાય. ઉક્ત કથન કાઈ પાશ્ચાત્ય પડિતનું હેવા સંભવ નથી. अध्याय २६ मो-दया ગુસ–ભકિત અને પ્રીતિ પછી દયાનું સ્થાન આવે છે. આર્ત અથવા દુઃખી પ્રાણપ્રત્યે જે વિશેષ પ્રીતિભાવ તેને દયા કહેવામાં આવે છે. ભક્તિના પિટામાં જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy