SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨૧ મા-પ્રીતિ ૧૪૩ જગની સ્થિતિ તથા ગતિ છે. જેવી રીતે એક સૂત્રના આધારે મણના હાર શાભે છે, અને જેવી રીતે આકાશને વિષે વાયુ ગતિ કરે છે તેવીજ રીતે આ જગત્ ઈશ્વરનાજ આધારે ટકી રહ્યું છે. ક્રાંઈ પણ મનુષ્ય એવા નથી કે જેનામાં ઇશ્વરના વાસ ન હાય. તે પ્રત્યેક પ્રાણીમાત્રમાં વિદ્યમાન છે. મારામાં પણ તેનેજ નિવાસ છે. મતે પ્રેમથી ચાહનાર મનુષ્ય ઇશ્વરતેજ ચાહે છે. ઇશ્વરને નહિ ચાહનાર મનુષ્ય મને પણ ચાહી શકતા નથી, અને ધ્રુવરને ચાહનાર મનુષ્ય સકળ મનુષ્ય જાતિને પશુ પ્રેમથી ચાહી શકે છે. જે કાઇ, ઇશ્વરને ચાહી શકતું નથી તે ઈશ્ર્વરને કે પેાતાને પણ ચાહી શકતા નથી. અર્થાત્ સમસ્ત જગત્ જ્યાંસુધી પ્રીતિની ઋતગત થઈ ન જાય ત્યાંસુધી પ્રીતિનું અસ્તિત્વજ સ્વીકારી શકાય નહિ. આ સમસ્ત જગત્ ઈશ્વરમય અથવા મારા પેાતામયજ છે—હું પાતેજ છું એમ જ્યાં સુધી આપણે સમજી શકીએ નહિ, ત્યાંસુધી આપણે આપણુને સંપૂર્ણ જ્ઞાન, નિર્મળ બુદ્ધિ, પવિત્ર ભક્તિ કે મનેાહર પ્રીતિભાવ પ્રાપ્ત થવાની આશા રાખવી નિષ્ફળ છે. આ પ્રકારની જાગતિક પ્રીતિ એજ હિંદુધર્માંનું મૂળ છે. આવી અઢેદ્ય અને અભિન્ન જાગતિક પ્રીતિ સિવાય હિન્દુત્વ પણ સંભવતું નથી. શ્રીકૃષ્ણ પરમાત્માનાં તે મહામહિમામય વાકયેાનું પુન: સ્મરણુ કરઃ— सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ यो मां पश्यति सर्वत्र सर्वे च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ * અર્થાત્--જે યોગયુકત આત્મા સર્વ પ્રાણીમાત્રમાં પેાતાનેજ રહેલા સમજે છે અને પેાતાનામાંજ સર્વભૂતાના વાસ છે, એમ માને છે; તથા જે મને સર્વાંત્ર વ્યાપક સમજે છે અને મારામાંજ સને રહેલાં જીવે છે તેનાથી હું અદશ્ય રહેતા નથી તેમજ તે પણ મારાથી અદૃશ્ય રહેતા નથી. ટુકામાં એટલુંજ કહેવું ખસ થશે કે હિન્દુશાસ્ત્ર અનુસારે મનુષ્યપ્રીતિ એ ઈશ્વરભકિતની અંદરજ સમાવેશ પામી જાય છે. મનુષ્યપ્રીતિ ન હેાય તેા પ્રવરભકિત પશુ સંભવિત છે. ભકિત અને પ્રીતિ, હિન્દુશાસ્ત્રની દૃષ્ટિએ તદ્દન અભિન્ન * વૈદિક ધર્મ પશુ તેજ છે. વાજસનેય સ ંહિતાપનિષમાં કહ્યું છે કે:— यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥ यस्मिन् सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः । तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy