SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધર્મતત્વ પ્રજા ખાસ કરીને બહુજ દેશવત્સલ હોય છે; પરંતુ દેશવાત્સલ્ય અને જગત્ વાત્સત્યને અતિશય છેટું છે, એ વાત પુનઃ કહેવાની જરૂર નથી. જે દેશવત્સલ હોય તે જગતવત્સલ પણ હોય એમ ભાગ્યેજ બનતું જોવામાં આવે છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની અસરે પ્રધાનતઃ યૂરોપીય પ્રજા ઉપર થઈ છે, અને તેથી તે લેકવત્સલ બનવાને બદલે દેશવત્સલ બનવા પામી છે. તેમાં પણ ખૂબી તે એજ છે કે આટલું છતાં યૂરોપને ધર્મ ક્રિશ્ચિયન ધર્મ ગણાય છે. બિચારો ક્રિશ્ચિયન ધર્મ પણ ઉક્ત ત્રણ અસરોને લીધે એટલે બધો નિર્બળ થઈ ગયો છે કે હવે તે માત્ર વાણીમાંજ રહી ગયો છે. તેના જગત હિતના સિદ્ધતિ તરફ કોઈનું લક્ષ ખેંચાતું નથી. યૂરપિય પ્રજા મોઢેથી તે પોતાને જગતવત્સલ બતાવવાને ડોળ કરે છે, પરંતુ તેઓનાં અંતઃકરણમાં જે ઉંડા ઉતરીને તપાસીએ તો દેશવાત્સલ્ય સિવાય બીજું કાંઈ દેખાશે નહિ. મારા કથનનો આશય સમજાય છે ને ? શિષ્ય-પ્રીતિવૃત્તિનું પ્રાકૃતિક અથવા ચૂરેપીય અનુશીલન તે જાણે મારા સમજ. વામાં આવ્યું. આત્મપ્રીતિરૂપી અંતરાય નડવાથી યુરોપીયન પ્રજાની પ્રીતિવૃત્તિ દેશવાત્સલ્યથી વિશેષ આગળ વધી શકતી નથી, અને તેથી તેઓ પ્રીતિની સંપૂર્ણ ખિલવણી કરી શકતા નથી, એ વાતમાં મને હવે કઈ શંકા રહી નથી. જે પ્રજા જગતની સાથે પોતાને અમુક સબંધ છે, એ વાત શ્રદ્ધાપૂર્વક ન સ્વીકારે, તે પ્રજા જગતનાં મનુષ્યોનું હિત સાધવાને તત્પર ન થાય, એમાં હવે મને કંઈ આશ્ચર્ય જેવું જણાતું નથી. હવે પ્રીતિને પારમાર્થિક અથવા ભારતવર્ષીય અનુશીલનનો મર્મ સમજાવવાની કૃપા કરશો ? - ગરઃ–પરંતુ તે પહેલાં તારે ભારતવર્ષીય દૃષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ વિચારી લેવું જોઈએ. ક્રિશ્ચિયનોને ઈશ્વર જગતથી તદ્દન સ્વતંત્ર છે. અલબત્ત તે જગતનો ઈશ્વર છે. એમ મનાય છે, પરંતુ જર્મની અથવા આશીયાનો રાજા જેવી રીતે સમસ્ત જર્મન પ્રજા અથવા ઋશીઅન પ્રજાથી એક સ્વતંત્ર વ્યકિત છે, તેવી જ રીતે ક્રિશ્ચિયોનો ઇશ્વર પણ જગતથી એક પૃથક–જુદી જ વ્યક્તિ ગણાય છે. આ પૃથ્વીના રાજાઓની માફક તે ઈશ્વર પણ જગતથી ભિન્ન રહી રાજ્યપાલન તથા રાજ્યશાસન ચલાવે છે. અર્થાત દુષ્ટનું દમન, શિષ્ટોનું પાલન, તથા લેકની સાર સંભાળ પણ તે લે છે. તેમને ઈશ્વર પોલીસની માફક મનુષ્ય ઉપર દેખરેખ રાખે છે. પૃથ્વીના રાજાની કૃપા પ્રાપ્ત કરવા જેવી રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ તેવીજ રીતે તે જગતના ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ તેના પ્રતિ પ્રીતિ તથા ભકિતભાવ દર્શાવવા જોઈએ. હિંદુઓને ઈશ્વર તે નથી. તે તે સર્વ ભૂતમય-સર્વ પ્રાણીમાત્રના અંતરાત્મા સ્વરૂપ છે. તે જડ જગતમય નથી–૫ણ જગતથી પૃથક્ છે, છતાં તેના વડે જ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy