SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ધમતવ આપે જે વ્યક્તિતત્વ મને સમજાવ્યું તે હિંદુશાસ્ત્રને અનુકૂળ તે છે, પરંતુ વર્તમાન કાળે તેનો પ્રચાર નથી. એટલે કે અત્યારે હિંદુઓમાં ભક્તિભાવ તે છે, પરંતુ તેનું સ્વરૂપ કંઈક જુદા જ પ્રકારનું જણાઈ આવે છે. આજકાલ તે એક પ્રતિમાની સ્થાપના કરી, તેની પાસે બે હાથ જોડી, ગદ્દગદ્દભાવે અશ્રુમેચન કરતાં “હે પ્રભુ ! હે હરિ! હે માતા !” ઈત્યાદિ શબ્દને ઉચ્ચસ્વરે ઉચ્ચાર કરે અને પ્રતિમાનાં ચરણોમાં મસ્તક નમાવી, પ્રતિમાનું ચરણામૃત માથે-મુખ-કાન-નાકે આંખે લગાડી ગુર–તું જે કાંઈ કહેવા માગે છે તે હું સમજી ગયો છું. પ્રતિમા પાસે એ ભાવ દર્શાવે તે પણ ચિત્તની એક પ્રકારની ઉન્નત અવસ્થા છે. માટે મશ્કરી કરીને તેને ઉડાવી દઈશ નહિ. તારા હકસલી અથવા ટીંડલ કરતાં એવા ભક્તાત્મા પ્રત્યે હું વધારે માનની દૃષ્ટિથી જોઉં છું પરંતુ તેં જે વાત કરી તે ઐણ ભક્તિસંબંધી છે. શિષ્ય –આપની પ્રથમની વાતો સાંભળવાથી તે મને એમજ લાગ્યું હતું કે આપ એવી ભક્તિને ભક્તિરૂપે જ નહિ સ્વીકારતા હે. ગુચ–અવશ્ય, એ ભકિતને હું મુખ્ય ભકિતરૂપે સ્વીકારતા નથી, તો પણ તે ગણુ અથવા નિકૃષ્ટ ભક્તિ તો છે જ. આધુનિક હિંદુ શાસ્ત્રોમાં પ્રાયઃ એવી ભકિતને બહુજ અગત્યનું સ્થાન આપી દેવામાં આવ્યું છે, તે પણ મારા લક્ષ બહાર નથી. શિષ્ય-ગીતા જેવા પ્રાચીન શાસ્ત્રમાં મુખ્ય ભકિતતત્વના સિદ્ધાંત મળી આવવા છતાં આધુનિક શાસ્ત્રોમાં ગણુભક્તિને એટલું બધું મહત્ત્વ શામાટે આપી દેવામાં આવ્યું હશે? | ગુસ–હું ધારું છું કે જ્ઞાનાત્મક અને કર્માત્મક એવી રીતે ભક્તિના બે પ્રકાર છે, તે વાત તું અત્યારે પૂર્વે સમજી ચૂક્યો હઇશ. ભક્તિ ઉભયાત્મક હોવાથી તેના અનુશીલન પ્રસંગે મનુષ્યોએ પિતાની સમસ્ત વૃત્તિઓને ઈશ્વરાભિમુખી કરવી જોઈએ, એ એક સામાન્ય નિયમ છે. અર્થાત સકળ વૃત્તિઓ ઈશ્વરને અર્પણ કરવી એ ભકિતમાર્ગનું પ્રધાન રહસ્ય છે. હવે જે આપણી ભકિત કર્યાત્મિકા હોય, અથવા આપણે આપણું સર્વ કે ઈશ્વરને અર્પણ કરવાનાં હોય તે પછી એ સ્વાભાવિક છે કે આપણે આપણી સમસ્ત કર્મેન્દ્રિય પણ ઈશ્વરને અર્પણ કરી દેવી જોઈએ. અર્થાત હું તને કહી ગયો છું કે જગતમાં જેટલાં કરવા યોગ્ય કર્મો છે, જેટલી ઇશ્વરાનુદિત કર્મો છે, અથવા તે જેટલાં કર્તવ્ય કર્મો છે તે સઘળાં એવાં છે કે તેમાં આપણી શારીરિકવૃત્તિને યોજયા વિના આપણાથી રહી શકાય નહિ, અને શારીરિકવૃત્તિ ઇશ્વરાનુદિત (ઇશ્વરે ગીતાદિ સત શાસ્ત્રધારા અનુમોદન આપેલાં ) કર્મમાં જોડાઈ, એટલે તે શારીરિકવૃત્તિ પણ ઈશ્વરાભિમુખી થઈ, એમજ લેખી શકાય; પરંતુ કેટલાએક શાસ્ત્રકારે આ વાતને જૂદા જ પ્રકારે સમજ્યા છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy