SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ધર્મતત્વ તેથી તેને કાંઈ માગવાપણું હતું જ નહિ. છતાં પ્રભુની આજ્ઞાને માન આપી અલ્લાદે એટલી જ યાચના કરી કે –“ જે હજારો નિઓમાં મારે પરિભ્રમણ કરવું પડે તે સર્વ જન્મમાં આપના પ્રત્યેની મારી ભક્તિ અચળ રહે એવી મને આશિષ આપો. ” ભક્તાત્મા ભક્તિ સિવાય બીજા કોઈ પણ વસ્તુની કામના કરતો નથી. ભગવાને કહ્યું: “ જે વસ્તુ તારામાં છે, તે તે સર્વદા રહેવાની જ છે. તો પછી ભક્તિ સિવાય બીજી કોઈ વસ્તુની માગણી કર.” પ્રમ્હારે બીજી વાર પ્રાર્થના કરી કે –“ હું આપની ભક્તિ કરું છું તેથી મારા પિતાએ ઠેષ અને ક્રોધથી જે પાપને ભાર સંચિત કર્યો છે, તે પાપભર તેમના શિથિી દૂર થાય, એવી કૃપા કરો.” - ભગવાને તે યાચનાનો સ્વીકાર કર્યો, અને તૃતીય વર માટે પ્રાર્થના કરવાનો આદેશ કર્યો, પરંતુ નિષ્કામ પ્રહાદ માટે તૃતીય પ્રાર્થના કરવા જેવી કે પણ વસ્તુ જગતમાં નહોતી; કારણ કે તે સ મપરિત્યા-હર્ષ-શોક-વ-તથા રાગથી સંપૂર્ણ મુક્ત હતા, એટલું જ નહિ પણ માસુમપરિત્યા x પણ હતા. છેવટે તેણે પ્રભુની પાસે એવી યાચના કરી કેઃ “ પ્રભુ, આપના પ્રત્યેની મારી ભક્તિ સર્વદા અવ્યભિચારિણી રહે એ આશીર્વાદ આપે.” x सर्वारभपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति, शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः॥ શ્રીવિષ્ણુ ભગવાન છેવટનો વર પ્રદાન કરી ત્યાંથી અંતહિત થયા. ત્યાર પછી હિરણ્યકશિપુએ પણ પ્રહાદ ઉપર અત્યાચાર કરવો ત્યજી દીધો. શિષ્ય –હું ધારું છું કે ત્રાજવાના એક પલ્લામાં વેદ, બાઈબલ, કુરાન તથા જગતનાં સર્વ ધર્મશાસ્ત્રને મૂકીએ અને બીજા પલામાં જે પ્રહાદચરિત્ર મૂકીએ તો એ બેમાં પ્રહાદચરિત્રજ વધી જાય. ગુર–ખરું છે કે અલ્હાદકથિત આર્ય ધર્મ સકળ ધર્મોમાં એક શ્રેષ્ઠ ધર્મ છે. આર્ય ધર્મ એ સર્વ ધર્મોને એક માત્ર નિષ્કર્ષ (સારાંશ) છે, અને તેથી જ તે સર્વ વિશુદ્ધ ધર્મોમાં વ્યાપ્ત છે. જે ધર્મ જેટલે અંશે વિશુદ્ધ જણાય તેટલે અંશે તે આર્ય ધર્મ છે એમજ આપણે તે સમજવું જોઈએ ક્રિશ્ચીઅન ધર્મ કહે કે બ્રાહ્મણધર્મ કહે કે બીજે ગમે તે ધર્મ કહે, પરંતુ તે સર્વ એક આર્યધર્મમાંજ પરિસમાપ્ત થઈ જાય છે. “ ગડ”ના નામથી ઈશ્વરની પ્રાર્થના કરનાર, “અલ્લાહ” ના નામથી પ્રભુને સંબોધનાર અથવા “બ્રહ્મ” શબ્દથી ઇષ્ટદેવનું આરાધન કરનાર એકમાત્ર જગનાથને જ બેલાવે છે. સર્વ ભૂતના અંતરાત્મા રૂપ જ્ઞાન જેણે જાણ્યું છે, તથા જેણે આનંદમય ચૈતન્યને પામવાને પ્રયત્ન કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy