SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધર્મતત્વ शेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न कांक्षति । निर्द्वन्द्वो हि महाबाहो सुखं बंधात्प्रमुच्यते ॥ सांख्ययोगौ पृथग् बालाः प्रवदंति न पंडिताः । एकमप्यास्थितः सम्यगुभयोर्विदते फलम् ॥ यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते । एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ॥ संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः। યોજાયુ મુનિદ્રા ન જિનવિજાતિ (અ. ૫-૩થી૬.) અર્થાત જે મનુષ્ય દ્વેષ કરતા નથી તેમજ ઈચ્છા કરતા નથી તેને સદાએ સંન્યાસી જ જાણ; કેમકે હે મહાબાહો ! એવો રાગદ્વેષરહિત નિદ્ધ પુરુષ સુખપૂર્વક બંધથી મુક્ત થાય છે. (સાંખ્ય) સંન્યાસ અને (કર્મ) કર્મયોગ એ બંને જાદા જૂદા છે એવું તે બાળકે એટલે અજ્ઞાની મનુષ્યાજ કહે છે- પંડિત નહિ; કારણ કે એ બેમાંથી કોઈ પણ એક માર્ગને યથાર્થ રીતે આચરનારો મનુષ્ય બંને માર્ગના ફળને પામે છે. જે મેક્ષસ્થાન* સાંખ્ય-સંન્યાસ–વડે પમાય છે તે સ્થાન નથી. (કર્મયોગથી ) પણ પમાય છે; માટે સાંખ્યને અને યોગને જે એક જાણે છે તેજ યથાર્થ જાણે છે, છતાં તે મહાબાહ! કમોગ વિનાને સંન્યાસ તે દુઃખ પામવાને માટેજ છે. કેમકે કર્મયોગવાળા સંન્યાસી થોડા વખતમાં જ બ્રહ્મને પામે છે. મતલબ કે જે મનુષ્ય અનુષ્ઠય કર્મો કરવા છતાં ચિત્તથી નિષ્કામ રહે છે, અથવા તો હૃદયમાં કર્મસંબંધે સંન્યાસી બની રહે છે તે જ યથાર્થ ધાર્મિક મનુષ્ય છે. શિષ્ય --આ પરમ પવિત્ર વૈષ્ણવ ધર્મ ત્યજી દઈને લંગોટીવાળા બાવાઓ સામાટે આમ તેમ રખડવા બહાર નીકળી પડયા હશે તે સમજાતું નથી. પાશ્ચાત્યો જેને “અસેટીસીઝમ' કહે છે તે અર્થ વૈરાગ્ય શબ્દમાંથી નીકળતું નથી એ વાત હવે મને સમજાવવાની જરૂર નથી. ગીતાકત પરમ પવિત્ર ધર્મમાં વેરાગી આચાર્યના જુલમને સ્થાન નથી, તેમજ તેના જેવો પવિત્ર, સર્વવ્યાપી અને ઉન્નતિશીલ વૈરાગ્યધર્મ જગતમાં અન્ય કોઈ નથી એ હવે મારો વિશ્વાસ બંધાય છે. ગીતક્ત પવિત્ર વૈરાગ્ય પાસે કિંવા સકર્મ વૈરાગ્ય પાસે ધર્માચાર્યોની જુલમી સત્તા નભી શકતી નથી. ગીતા જેવા સરળ–અપૂર્વ ધર્મશાસ્ત્રને એક બાજુએ મૂકી દઈને લેકે વેદમાં, સ્મૃતિમાં, બાઇબલમાં તથા કુરાનમાં શામાટે ધર્મની શોધ કરતા હશે તે મારાથી સમજાતું નથી. ગીતક્ત ધર્મના પ્રચારક જેવા ધર્મવેત્તા પુરુષ પાસે બીજો કોઈ ધર્મવેત્તા ઉભો રહી શકે નહિ. ભલા, એ દૈવીધર્મપ્રણેતા કોણ હશે? ૪“સખ્ય” એ શબ્દના અર્થ માટે જેને શંકા હોય તેણે શાંકરભાષ્ય જેવું. મૂળ લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy