SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધર્મતત્ત્વ तबुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः। गच्छंत्यपुनरावृत्तिं शाननिषूतकल्मषाः॥ ભાવાર્થ-ઇશ્વરમાંજ જેમની બુદ્ધિ છે. ઈશ્વરમાંજ જેમને આત્મા છે, ઈશ્વરમાં જ જેમની નિષ્ઠા છે, અને જેઓ ઇશ્વરપરાયણજ છે, તેમનાં પાપ જ્ઞાનવડ દેવાઈ જાય છે અને તેઓ પુનર્જન્મરહિત મોક્ષપદને પામે છે. શિષ્ય –-નાન અને કર્મની સાથે-સમવાયપણેજ ભકિત રહેલી છે, એ વાત હવે મારાથી સમજાય છે. કર્મને માટે કાર્યકારિણી અને શારીરિક વૃત્તિઓની ઉપયુકત સ્તુતિ તથા પરિણતિ જરૂરની છે. તેની સાથે તે વૃત્તિઓને ઇશ્વરાનુગામી બનાવવાની પણ તેટલી જ જરૂર છે. જ્ઞાનને માટે પણ જ્ઞાનાર્જની વૃત્તિઓની તેજ પ્રમાણે પુતિ તથા પરિણતિ જેટલી જરૂરની છે, તેટલીજ તેને ઈશ્વરમુખી બનાવવાની જરૂર છે. આ બંને વિષય બહુજ સ્પષ્ટ થયા. પણ ચિત્તરંજિની વૃત્તિનું શું કરવું? ગુર--તેનું પણ તેજ પ્રમાણે સમજી લેવું. પરંતુ તે વિષે વિસ્તારથી બોલવાનું હજી બાકી છે. હાલ તુરત તે મેં ઉપર કહ્યું તેજ ચિત્તરંજિની વૃત્તિ સંબંધે પણ સમજી લેવું. શિષ્ય --આપણું સમસ્ત વૃત્તિઓને યથાયોગ્ય સ્થતિ તથા પરિણતિયુક્ત કરી તેમને ઇશ્વરમુખી કરવી, એજ ગીત જ્ઞાનયોગ અને કર્મવેગ એ વાત હવે સ્પષ્ટ જણાય છે. અને જ્ઞાન તથા કર્મને સંગ તેજ ભક્તિ. મનુષ્યત્વ અને અનુશીલનધર્મસંબંધે પૂર્વે મને જે આપે ઉપદેશ કર્યો હતો તે આ ગીત ધર્મનીજ નૂતન વ્યાખ્યા હોય એમ મને લાગે છે. ગુર--કમે ક્રમે એ વાત વધારે સ્પષ્ટ થતી જશે. अध्याय १६ मो-भगवद्गीतानो संन्यास ગુર–ત્યાર પછીની એક વાત સાંભળી લે. યુવાવસ્થામાં જ્ઞાનાર્જન કરવું અને મધ્યવયે ગૃહસ્થાશ્રમમાં રહી કર્મ કરવાં એવી હિંદુશાસ્ત્રની આજ્ઞા છે; પરંતુ ગીતક્ત ધર્મમાં તેની ખાસ આજ્ઞા નથી. ગીત ધર્મ તે કર્મ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરવી એજ ઉપદેશ આપી રહ્યો છે. અને એ વાત સત્ય પણ લાગે છે; કારણ કે કેવળ અધ્યયનવડે જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે ગમે તેમ છે. મનુષ્યને માટે જીવનમાં એક સમય એવો આવે છે કે જે સમયે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હોય છે, અને કર્મ કરવાને અવકાશ અથવા તે શકિત કે આવશ્યકતા તેને હોતી નથી. આવી અવરથામાંજ તૃતીય અથવા ચતુર્થ આશ્રમને સ્વીકાર કરવાનું હિંદુશાસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy