SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્ત્વ ગુસ--ભગવાન કર્તવ્ય-અકર્તવ્ય સંબંધે અર્જુનને પ્રથમ બે પ્રકારનાં અનુષ્ઠાન. સમજાવે છે. તેમાં પ્રથમ આધ્યત્મિકતા અર્થત આત્માની નિત્યતા–અવિનાશીપણું વિષે વિવેચન કરે છે. આ વિષય જ્ઞાનનો છે, અને તેથી તેને જ્ઞાનયોગ અથવા સાંખ્યયોગ પણ કહેવામાં આવે છે. તૃતીય અધ્યાયમાં તેઓ કહે છે કે - __ लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुराप्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ભાવાર્થ –હે પાપરહિત અર્જુન ! આ લેકમાં જ્ઞાનીઓની જ્ઞાનગવડે અને યોગીઓની કર્મવેગવડે એવી બે પ્રકારની નિષ્ઠા મેં આગળ કહી છે. તેમાં પ્રથમ જ્ઞાનયોગ સંક્ષેપમાં સમજાવ્યા પછી કર્મયોગ વિસ્તારપૂર્વક સમજાવે છે. આ શાનયોગ અને કર્મયોગ જે તું બરાબર સમજી શકશે તે તને જણાશે કે ગીતા એ એક ભકિતશાસ્ત્રજ છે. ગીતાનો ભકિતવાદ સમજાવવા માટે આજે આટલું લંબાણ કરવું પડયું. अध्याय १४ मो-भगवद्गीता-कर्मयोग ગુરુ –હવે હું તને ભગવદ્દગીતામાં કહેલ કર્મયોગ સમજાવવા માગું છું, પરંતુ તે પહેલાં ભકિતની મેં જે વ્યાખ્યા કરી તે પુનઃ યાદ કરી જ. જે અવસ્થામાં મનુષ્યની સઘળી વૃત્તિઓ ઇધરાભિમુખી થાય તે માનસિક અવસ્થાને ભક્તિ કહેવામાં આવે છે, અથવા તે જે વૃત્તિની પ્રબળતાને લીધે એવી અવસ્થા પ્રાપ્ત થાય તેને ભકિત કહેવામાં આવે છે. હવે વિશેષરૂપે હું જે કહું તે એકાગ્રતાપૂર્વક શ્રવણ કર. શ્રીકૃષ્ણ કર્મયોગની પ્રશંસા કરતાં અર્જુનને કર્મ કરવા પ્રવૃત્ત કરે છે, તે વખતે તેઓ કહે છે કે – न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । #ાર્યતે ઇવર: * સર્વ પ્રતિસૈઃ | કોઈ પ્રાણી ક્ષણવાર પણ નિષ્કર્મ બનીને બેસી રહી શકે નહિ; કારણ કે તે પિતે કદાચ કર્મ ન કરે તે પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણેને લીધે તેને કર્મમાં પ્રવૃત્ત થઈ થવું જ પડે. મતલબ કે તેણે કર્મ તે કરવાં જ જોઈએ; પરન્તુ તે કર્મ કયાં ? હું પૂર્વે કહી ગયો છું કે પ્રથમ તે કર્મ કહેવાથી વેદોકત કર્મ જ સમજાતાં; અર્થાત પિતાના કલ્યાણની કામનાથી દેવતાઓને પ્રસન્ન કરવા માટે જે યજ્ઞયાગાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy