SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૩ મા-ભગવદ્ગીતાના સ્થૂલ ઉદ્દેશ ૯૫ હમાં તે વાતને રહેવા દે. બધાજ પ્રકારનાં યુદ્ધ પાપરૂપ નથી એ વાત. હું તને પૂર્વ કહી ગયા છુ. કહ્યું હતું કે આત્મરક્ષાઅર્થ શિષ્ય:—હું ન ભૂલતા હઉ તા આપે એમ અથવા સ્વદેશરક્ષા અર્થે યુદ્ધ કરવું એ પાપ નથી. ગુરુ:—આ સ્થળે અર્જુનને પણુ આત્મરક્ષાજ કરવાની છે. પેાતાની સંપત્તિને ઉદ્ધાર કરવા તે પણ એક પ્રકારની આત્મરક્ષાજ છે. શિષ્ય:--કેટલાક નરાધમે પણ યુદ્ધને માટે એવાંજ ખાટાં ખાનાં કાઢી યુદ્ધમાં પ્રવૃત્ત થાય છે. નેપેાલીઅન બાનાપાટ નેાજ દાખલો લ્યા. સરક્ષાનું ખાતું કાઢી સમસ્ત ચૂરાપને નરશેાદ્યુિતથી કલકિત કર્યું... તેના બચાવ આપ કેવી રીતે કરશો ? ગુરુ:—નેપાલીઅનનું જીવનચરિત્ર જયારે કોઈ નિષ્પક્ષપાત લેખકારા લખાશે ત્યારેજ જગત દ્વેષ શકો કે તેપાલીઅનનુ કથન અસત્ય અથવા બહાનારૂપ તા નહાતુ જ. તેપાલીઅનને નરાધમ ગણુવા એ ભૂલ છે. + પરન્તુ અત્યારે આપણે તે વિષયની ચર્ચામાં ઉતરવાની જરૃર નથી. આપણે જે કાંઈ સમજવાનું છે તે એજ અનેક સમયે યુદ્ધ પણ પુણ્યકર્મ જ હાય છે. શિષ્ય:---પણ તે કયારે ? ગુરુ:—એ પ્રશ્નના બે ઉત્તરા છે. એક યૂરોપીયન તિવાદીઓને ઉત્તર અને જો ભારતવીય ઉત્તર. યૂરોપીઅન હિતવાદીએ તેના ઉત્તર એવી રીતે આપે છે કે જે સ્થળે એક લાખ માણસેાનું અનિષ્ટ થતુ હાય અને બીજી તરફ એક કાટી મનુષ્યાનું કલ્યાણુ થતું હાય તા તે સ્થળે યુદ્ધ પુણ્યક છે; પરંતુ આ ઉત્તરની સામે એક એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે એક કાટી મનુષ્યેાના હિતની ખાતર એક લાખ મનુષ્યાનું અહિત કરવુ એ યેાગ્ય છે, એ વાત એક ક્ષણભરને માટે માની લઇએ, તેા પશુ એક કાકી મનુષ્યેાના હિતને અર્થે એક લાખ માણુસાના સહાર કરવા... આપણતે શુ અધિકાર છે, તેને કાઇ ઉત્તર આપશે। ? યૂરોપીઅન હિતવાદીએ આ પ્રશ્નના ઉત્તર આપી શકતા નથી. ભારતવર્ષીય ઉત્તર આધ્યાત્મિક કિંવા પારમાર્થિક છે. અધ્યાત્મ અથવા પરમા એજ સમસ્ત આનીતિનું મૂળ છે આ મૂળ સમજાવવા માટે યુદ્ધના નિમિત્ત કાઇ ગમે તેટલા વિસ્તારથી ખેલવા ધારે તેા એલી શકે. યુદ્ધ સિવાયનાં બીજા નિમિત્તો કેટલાએક કઠિન પ્રશ્નાના નિય માટે બહુ ઉપયોગી થઇ શકતાં નથી. એટલા માટે ગીતાકારે અર્જુનના યુદ્ધથી ઉપરામ થવાના પ્રસંગનિમિત્ત પરમ પવિત્ર ધર્મના પ્રવાહ વહેતા મૂકી દીધા છે. શિષ્ય:~—મૂળ વાતની શરૂઆત કેવી રીતે થઇ ? + વિવિધ ગ્રંથમાળાનુ` આની આગલું પુસ્તક તૈપાલિયનના ચરિત્રનુ જ હાઇને તે કિમ બાપુના આ કથનની પૂરેપૂરી સત્યતા સ્પષ્ટ કરે છે. સપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy