SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] ૧મ જીજ્ઞાસુ અકમર. ચન્દ્રિકાના પ્રકાશમાં પદમા પિતાને પકડનાર વ્યકતીને ઓળખી શકી ન હતી. પરંતુ તેના મહાપરની. દાઢી તેમજ તેના શરીરના બાંધા વગેરેનું જેમ જેમ પદમા બારિક રીતે નિરીક્ષણ કરતી ગઈ તેમ તેમ તે વ્યક્તિ કાજી હવાની તેની શંકા દ્રઢ થતી ગઈ. પદમાને જે નકામાં કેદ કરવામાં આવી હતી તે નકા ચલાવનાર વ્યકિત પિતાનું કાર્ય કરવામાં એટલી બધી લીન થઈ ગઈ હતી કે પદ્દમા પિતાની બારીક તપાસ ચલાવે છે કે કેમ, તેની તપાસ રાખવામાં તેને અવકાશ નહતે. નૈકા ઝપાટાબંધ જળમાર્ગ કાપતી આગળ વધતી હતી પદમાએ આકાશ તરફ દ્રષ્ટિ ફેંકી તે ચન્દ્ર હવે અસ્ત થવાની તૈયારીમાં હતો એમ જણાયું. અકબરને છેતરવા જતાં તેનું કેવું પરિણામ આવ્યું તે વિચારથી હૃદય ખીન્ન થઈ ગયું. પિતે અદ્રશ્ય થવાથી બાદશાહને કેવું દુઃખ થશે, ઝનાનખાનાની ઈતર બેગમે પિતાને માટે કેવી અફવા ફેલાવશે, લેકે પિતાને માટે કેવી વાત કરશે, પિતાની હવે કેવી દુર્દશા થશે, પિતાને આમ કેદ કરનાર મનુષ્ય કાજી જ હશે કે શું! અને જે તે કાજી હોય તો આવું નિંદ્ય કૃત્ય તેણે શા માટે કર્યું હશે, વગેરે વિચારે પદ્માના અંતઃકરણમાં વીજળીની ઝડપે પસાર થવા લાગ્યા. પદ્માની વિચારમાળાના મણકા આ પ્રમાણે ફર્યા કરતા હતા એવામાં નિકા ઉભી રહી. તરતજ ચાર મનુષ્યએ આવી તેને ઉંચકી લીધી ને પાલખીમાં બેસાડવામાં આવી. પદ્માની પાલખી ઉંચકને જનારાઓએ લગભગ અર્ધા પિણું, કલાક સુધી ચાલ્યા કર્યું. “હું સંભાળીને ચાલે; ધીમે ચાલે” એવી એવી સૂચનાઓ તેઓ એક બીજાને આપ્યા કરતા હતા. પાલખી ઘડી ઘડી ઉંચી નીચી થાતી હતી તે ઉપરથી પિતાને કોઈ અજાણ્યા અને અવઘડ માગે લઈ જવામાં આવતી હતી એવી પમાની ખાત્રી થઈ. એટલામાં પાલખી ઉચકનરાઓ ઉભા રહ્યા અને પાલખીને નીચે મૂકવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy