SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિરની વસુલાત. [૯૭ ] માં નિદ્રા ભરાઈ આવી હોવાથી તે ભ્રમ છે તેમ માની વધુ તપાસ ન કરાવતાં તે પિતાની શય્યામાં બેઠાં બેઠાં થોડીવાર તેણે ખુદાની બંદગી કરી અને ત્યારપછી દીપક હાલવીને અલ્લાના નામનું સ્મરણ કરતે શયામાં સૂતે. ફાજલ પથારીમાં સૂતો તે ખરે; પરંતુ તે અલ્પ સમયમાં જ ચમકીને બેઠો થયો. તેને અસ્પષ્ટ ચિંતા થવા લાગી છતાં ઘડીવાર રહીને તે પુન: પથારીમાં સૂતે. સલીમની સ્થિતિ પણ અત્યારે વ્યગ્ર થઈ પડી હતી. વૈર વાળવાની ઈચ્છા, અને તે ભયંકર વિચારથી પરાવૃત્ત કરનારી તેના હદયમાંની સારાસાર વિચાર શક્તિ, એ બે વિરોધી પ્રવાહમાં તેનું મન તણાતું હોવાથી અત્યારે તેની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ હતી. બગીચામાં ઉભા ઉભાં સલીમે કાજલને જોઈ લીધે હતું. તેને જોતાની સાથે જ હારીકા બરાબર છે કે? આ સજજન કવિ એવી ચુગલી કરે ખરે છે અને ધારે કે તેણે તેમ કર્યું હોય તે પણ તેના પ્રાણ હરવાથી હવે થયું ન થયું બનવાનું છે કે? આ માર્ગ ધર્મસંગત છે કે?”એવા એવા અનેક વિચારે સલીમના મનમાં ઉદ્ભવવા લાગ્યા; પરંતુ તેને એક ક્ષણ માત્રમાં જ પોતાની બધી શંકાઓ અટકાવી દીધી અને એક ખૂંખાર મારી વૈર વાળવા માટે તૈયાર થયે. તે મકાનમાં દાખલ થઈ વાંચનાલય તરફ વળે. થડે દૂર ગયા પછી તે એકાએક ઉભું રહ્યો, પરંતુ પુન: હિમ્મત એકઠી કરી વાંચનાલય પાસે આવ્યા અને વાંચનાલયની એક મારી ફાજલે ઉઘાડી રાખી હતી, તે દ્વારા કાજલની શય્યા પાસે જઈને ઉભે રહ્યો. સલીમ છુપાવેલું ખંજર બહાર કહાડયું અને ફાજલપર ધાવ કરવા માટે તે ઉગામ્યું. આવા અંધકારમાં પણ ખંજર ચમકવા લાગ્યું. મન કઠણ કરી દાંત પીસીને સલીમે પિતાના સલીમ જાવક એ આવા સલીમે પી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy