SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૧૧ મું રઘુનાચપત પણ તે તરફ ગયા અને બંનેએ એક બીજાના હાથ પકડીને મિયાનામાં પ્રવેશ કર્યાં. મિયાનામાં એ ગાદીએ તૈયાર રાખવામાં આવી હતી. તેમાંની એક વ્યકાળ રાજા માટે અને બીજી રઘુનાથપર્યંત ( શિવાજી મહારાજના પ્રતિનિધિ) માટે હતી. રાાએ રઘુનાથપર્યંતને ગાદી ઉપર બેસવા કહ્યું અને હાથ પકડી તેમને ગાદી ઉપર ખેસાડવા જતા હતા એટલે તરતજ રઘુનાથપતે બ્ય કાજી રાજાને મુજરા કર્યાં અને ગાદીને નમન કર્યું, પછી ખેલ્યાઃ— મહારાજ ! હું ગાદીના સેવક છું શિવાજી મહારાજના પ્રતિનિધિ તરીકે આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું અને આપે મતે . મહારાજના પ્રતિનિધિ તરીકે જે માન આપ્યું તે મેં સ્વીકાર્યું. એ માન મહારાજનું હતું. ગાદી ઉપર તે આપ બિરાજે.’ આવી રીતે રઘુનાથપર્યંતે પોતાના નવા અને જૂના માલીક એમ બંનેનાં મન સાચવ્યાં. આ મુલાક્રાતમાં સુધિની વાતા શરૂ થઈ. ઝગડાને આખર નિકાલ કરવા માટે રઘુનાથપત થાડા દિવસ માટે ત્યાં રહ્યા, નફેા નુકસાન, માન અપમાન, રઘુનાથપતના હાથમાં છે એ વ્ય'કાજી રાજા અને દીપાબાઈ અને જાણતાં હતાં. દીપાબાઈ બહુ ડાહી, દીદષ્ટિવાળી, કુટુંબના અભિમાનવાળી અને સમય સમજીને સારાસાર વિચાર કરીને વન કરનારી ખાઈ હતી. રઘુનાથપતનું કાજીએ બીજાના ચડાવ્યાથી અપમાન કર્યું હતું. તે યાદ રઘુનાથપર્યંતના મનમાં તાજી થઈ આવી છે એવું વ્યૂ કાજીને લાગ્યું અને બેચેન બન્યા. કેટલીક વખતે સામાના દિલમાં ગઈ વાતની કપના પણુ ન હેાય અને આપણાં કૃત્યોની યાદ આપણુને બેચેન બનાવે છે. વ્ય કાજી રાજાની બાબતમાં પણુ તેમજ બન્યું. કરેલા અપમાનનું વેર મનમાં રાખીને રઘુનાથપત બાજી બગાડશે એવું ન્ય'કાજીએ ધાર્યું અને એ પા ચિંતામાં પડયો. દીપાબાઈ એની ચિંતાનું કારણ સમજી ગઈ અને એ પેાતે વ્યાજી રામ સાથે રધુનાથપતને મળી. ગઈ ગુજરી ભૂલી જવા અને તે ભાઈ એ વચ્ચે સલાહ શાન્તિ સ્થાપવા માટે જીગરથી પ્રયત્નો કરવા દીપાબાઈએ રઘુનાથપતને કહ્યું, આ સંબંધના વાદવિવાદ અને વિવેચન વખતે દીપાબાઈ ઘણી વખતે હાજર રહેતો અને બહુ સુંદર લીલા કરતી. બ્યકાળ રાજા, રઘુનાથપત અને દીપાબાઈ એ ભાગના સબંધમાં અનેક વખતે વાત કરી. રઘુનાથપતની વઢ્ઢાદારી પ્રત્યે, દીપાબાઈની માનની લાગણી જોઈને, શિવાજી મહારાજ એ કુટુંબના શિરછત્ર છે. માટે એમની આજ્ઞા શિરસાવદ્ય માનવા માટે દીપાબાઈની વ્યકોજી સાથેની વાતચીત અને દલીલે સાંભળીને અને ભાગના પ્રશ્નની પતાવટ કરવા માટે દીપાબાઈ એ સૂચવેલા રસ્તા અને આપેલી સલાહ સાંભળીને રઘુનાથપર્યંત તે ચિંત જ થઈ ગયા અને એણે શિવાજી મહારાજને આ સંબંધી થયેલી વાતચીતને વીગતવાર પત્ર લખ્યું. આ પત્રમાં રઘુનાથપતે નાની મેાટી, સાધોશ્યુ અને મહત્ત્વની એવી બધી બાબતા આબેહુબ ચીતરી દીપાબાઇના સંબંધમાં પણ મહારાજને પૂરેપુરા વાકેફ કર્યાં. દીપાબાઈની દીદિષ્ટ, એનું ડહાપણુ, વ્યકાળને ઠેકાણે લાવવાની એની યુક્તિ, ભાંસલે કુટુંબ સંબંધીનું એનું અભિમાન વગેરે લખીને મહારાજને બધી બીનાથી પૂરેપુરા વાકેફ્ કર્યા. એક દિવસે વ્યકાળ રાજા અને દીપાબાઈ સાથે સમધાન સંબંધી વિવેચન કરતાં રઘુનાથપ તે કહ્યું ‘ સમાધાનના સંબંધમાં તેા જેટલું કહેવાનું હતું તેટલું મેં આપને કહી દીધું છે. મને તા આપ અને શિવાજી મહારાજ અને સરખા છે. હું સ્વ. સિંહાજી મહારાજના વખતના આપના કુટુંબને સેવક છું એટલે મારે તા આખા કુટુંબના હિત તરફ્ જોવાનું રહ્યું. આપનું શ્રેય થાય, કલ્યાણુ થાય એ રસ્તે મારે આપને ચડાવવા જોઈ એ. એ કરવું એ જ મારું ધ કૃત્ય હું માનતા હતા અને હજી પણ માનું છું. વિજયશાળી ભાંસલે કુટુંબના નબીરાને ચાલે એવું પરાક્રમી વન આપનું થાય, આપ છત્રપતિ શિવાજી માહરાજના જેવા હિંદુત્વના તારણહાર બને અને ચારે તરફ્રેં આપની હાક વાગે એવા આપ શક્તિવાળા અનેા તે માટે મારા પ્રયત્ન છે. આપને વારવાર નારાજ કરવામાં મારા ખરાબ હેતુ નહતા. આપના જીવનધડતર માટે હું જવાબદાર છું એવું મને અંતઃકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy