SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ × ] છે. શિવાજી ચરિત્ર પટે લઈ રાજ્યની વૃદ્ધિ કરો. તમારુ રાજ્ય વધારવાને, તમારી સત્તા વધારવાના, તમારી કીર્ત્તિ વધારવાતે આ તમારે માટે અનુકૂળ વખત છે.' આ મતલબને પત્ર શિવાજી મહારાજે લખેલા તે બ્ય કાછ રાજાને મળ્યા. એણે એ પત્રમાંથી ઉપદેશ ન લીધા, શિખામણુ ન લીધી. મહારાજના આ પત્રથી વ્યકાજીને બહુ માઠું' લાગ્યું અને પેાતાનું અપમાન થયું એમ એ માનવા લાગ્યા તથા હ્યુમ તે જ આ બધા દુખનું મૂળ છે એવી એની ખાતરી થઈ. પરિણામે હણમ તે માટે જે ક્રોધ હતા તેમાં ઉમેરા થયા. રાજા અને પ્રધાનની વચ્ચે જ્યારે અણુબનાવ હોય છે ત્યારે પ્રજાની દશા બહુ ખૂરી થાય છે. ખાનગીમાં અને જાહેરમાં, સભામાં અને દરબારમાં વ્યકાળ અને હમ તેની વચ્ચે નજીવા મુદ્દા ઉપર પણ ખાલાચાલી થવા લાગી. જ્યારે એક બીજાનાં દિલ ઊંચા થયેલાં હોય અને એક બીજાના મનમાં એકખીજાતે માટે કંઈ કિષિ ભરાયું હેાય ત્યારે નાની નાની વાતેામાં મેઢા મેાટા મતભેદ થઈ જાય છે અને એવા મતભેદનું પરિણામ બહુ જ માડ' આવે છે. અમુક એક વ્યક્તિ માટે અમુક માલુસના મનમાં અમુક ખાબત માટે વહેમ ઉભા થાય એટલે એ વ્યક્તિના સુંદરમાં સુંદર કૃત્યો, ભારેમાં ભારે લાભકારી નૃત્યા પણ બહુ જુદી નજરથી જોવામાં આવે છે અને નિર્મળ કૃત્યામાં પણ મેલ દેખાય છે. મનના મેલ નજરમાં આવ્યા સિવાય નથી રહેતા. આવી જ સ્થિતિ વ્ય‘કાજી અને હણુમ તેની થઈ હતી. હણુમતે કંઈપણ એટલે, સૂચના કરે, મહત્ત્વની બાબતમાં રસ્તા સૂચવે, ગૂંચ ઉકેલે તે તે કૃત્ય પણ બકાજીને ગમતું નહિ અને તે હમ'તેની દરેક હિલચાલ અને દરેક કામ શશંકાની નજરથી જોતા. બ્ય’કાજી સહેજ એલે તેા હણુમતેનું મન દુભાતું અને એને અપમાન લાગતું અને મનમાં એછું પણ આવતું. આવા સંબંધ ઝાઝા દિવસ સુધી ન નભી શકે. એવી સ્થિતિ આવ્યા પછી પણ બહારના દેખાવની ખાતર એ સંબંધ નામના ખેચ્યા કરે તે તૂટ્યા સિવાય રહેતા નથી અને એનું પરિણામ ભારે કડવું અને દ્વેષ તથા વેરથી ભરેલું આવે છે. એક દિવસે બ્યકાળ રાજાના દરબાર ભરાયેા હતેા. રાજા અને પ્રધાન અને વાદવિવાદમાં ઉતર્યાં. વાદવિવાદ વધ્યા અને ગરમા ગરમ ચર્ચા ચાલી. એ ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન હણુમ તેએ વ્યંકાછને ઉપદેશ કરવા માંડ્યો અને શિવાજી મહારાજના દાખલા લેવા કહ્યું. બકાજીને આ ગમ્યું નહિ. વ્ય "કાજી પણ હણુમ તેના અંકુશ ફેંકી દેવા તૈયાર થયા. પ્રધાન હશુમતેએ કંઈક વાત દાખીને કહી, એના જવાબ વ્યકાજીએ માથુ ફેરવીને આપ્યા. હણુમ તેને આથી ભારે અપમાન લાગ્યું અને એ ખેલ્યાઃ ‘ મહારાજને એમ લાગતું હશે કે અમને કાઈ ઠેકાણે નાકરી નથી મળતી એટલે ગમે તેવા અપમાન મહારાજ કરે છે છતાં અમે માથું મારીને અહીં પડી રહ્યા છીએ. મહારાજની જો આવી માન્યતા હોય તા તેમાં એમની ભૂલ છે. સ્વ. સિંહાજી મહારાજનું નિમક પેટમાં છે, એમના અનંત ઉપકારા નજર સામે છે, એટલે જ આપ કરે છે તેટલા અપમાના મૂંગે મોઢે ગળીએ છીએ. નિમક પ્રત્યેની અમારી વાદારીને મહારાજ અમારી લાચારી માની ખેડા છે એટલે જ વારંવાર અપમાન કરે છે. અમે અપમાન સહન કરીએ છીએ તે લાચારીને લીધે નંદુ પશુ વાદારીને લીધે એ મહારાજે ભૂલવું ન જોઈ એ અને મહારાજની એવી જ મરજી હોય કે અમારે એમનું છત્ર છેડી દેવું તે તેમ મહારાજ અમતે જણાવે. મહારાજ રજા આપે તે। અમે દરબાર છેડવા તૈયાર છીએ. અમે તો નકામા અહીં પડ્યા છીએ એટલે અમને નિભાવવાના છે એમ જો મહારાજની માન્યતા હોય તે। અમને રજા આપી દે. વારંવાર અપમાન કરીને અમારી સ્થિતિ મહારાજે બહુ કફોડી કરી નાંખી છે. અમને દૂર કરવાની મહારાજની ઈચ્છા હાય તે। અમને જણાવી દે. અમે અમારા રસ્તા સીધા કરીશું. ' આ શબ્દો સાંભળતાં જ વ્યકાજી રાજાના મિજાજ ખસ્યો, ગરમ થઈ ગયા અને પ્રધાનના આ મગરૂરી ભરેલાં વાક્યોને કૃતિથી જવાખ આપવાના વિચાર કર્યાં. મહારાજે તરત જ પાનબીડાં મંગાવ્યા અને હમ તેને કહ્યું કે ‘ વારંવાર જવાની ખીફ બતાવા છે તેા પધારો. હું રજા આપું છું.' એમ કહી ણુમ તેને વ્યકાળ રાજાએ વિદાયગીરીનું " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy