SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ હું 1 છે. શિવાજી ચરિત્ર ૪૧ માટે તે લશ્કર તૈયાર કરીને દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા અને મહારાજને સમજાવી સાથે મેાકલવા માટે કુશળ અને કાબેલ અમલદારાને એમની પાસે માકલ્યા. . મુઆઝીમના અમલદારાએ આવીને મહારાજને વિનંતિ કરી અને શાહજાદાના સદેશે એમને સંભળાવ્યેાઃ— ‘ શાહજાદા લશ્કર લઈને દિલ્હી જવા નીકળ્યા છે. આપને આપના લશ્કર સાથે તેમની કુમકે જવા માટે નીકળવાનું કહેવા અમને અહિં માકલ્યા છે. શાહજાદા આપની રાહ જોઈ રહ્યા છે. ’ મહારાજે જાણ્યું કે કાઈ જખરા ખેલાડી પડદા એથેથી દાવ ખેલી રહ્યો છે. એણે પકડમાં લેવા ખરી ઉસ્તાદી વાપરી છે. મહારાજને સડાવવા માટે પહેાળી કરેલી પકડમાં નહિ સપડાવાના અને ખૂબીથી એમાંથી બચી જવાના એમણે નિશ્ચય કર્યાં. મહારાજે આવેલા અમલદારાને જવાબ આપ્યા કે શાહજાદા બહુ જબરું અને મેટું લશ્કર લઈ દિલ્હી જાય છે. દિલ્હીપતિને પહેાંચી વળવા આ દળ હમણાં તે પુરતું છે. વધારેની જરુર નથી અને શાહજાદા દિલ્હી જાય તે તેમની પાછળ તેમના દક્ષિણ પ્રાન્તનું રક્ષણુ કરવાની ખાસ જરુર છે માટે તે કામ હું કરીશ અને અત્રેની જરા પણુ ીકર એ ન કરે એમ એમને કહેજો. જો હાલના સંજોગામાં દક્ષિણુના પ્રાન્તાનું ખરેખર રક્ષણુ કરવામાં ન આવે તે મહામુશીબતે નમાવેલા દુશ્મના માથું ઊંચુ કરશે અને એક લેવા જતાં હાથમાંના બધા મુલકા ખાઈશું. આ સંબંધમાં મેં વિચાર કર્યાં છે અને શાહજાદાના હિતનું રક્ષણ કરવા માટે અત્રે રહેવાના મે નિશ્રય કર્યાં છે. બીજું બાદશાહના સ્વભાવના હવે આપણે બધા ભેમિયા છીએ. એના વિચાર પણ આ વખતે કર્યાં સિવાય છૂટકા નથી. ન કરે નારાયણ અને શાહજાદાના પરાજય થાય તે બાદશાહના ક્રોધ જબરી થઈ પડે અને તેમાંથી ખચવું મુશ્કેલ થઈ પડે. એમને કાઈપણુ આશ્રય આપવા તૈયાર થશે નહિ. કાઈ હિંમતખાજને આશ્રય ન મળે તેા શાહજાદાની સહીસલામતી પણુ જોખમમાં આવી પડે. શાહજાદાની સહીસલામતી માટે બાદશાહના કોષના ભાગ થઈ પડવાનેા પ્રસંગ આવે તે તે વખતે સ`સ્વને ભાગે પણ શાહજાદાની સહીસલામતીનું રક્ષણ કરવાને મેં નિશ્ચય કર્યાં છે. આ પ્રશ્નના ચારે બાજુએથી વિચાર કરીને શાહજાદાના હિતમાં હું ઉપર પ્રમાણેના નિય ઉપર આવ્યેા છું. મેં તમને જણાવેલી ખાખતા વીગતવાર શાહજાદાને સમજાવજો. ' શાહજાદાએ મહારાજને જવાબ ાણ્યા પછી ફરીથી સંદેશા મેકક્લ્યા કે એમણે મુગલ લશ્કરનું સેનાપતિપણું સ્વીકારવું, મહારાજે અનેક કારણ બતાવી આ માગણીને પણુ અસ્વીકાર કર્યાં. મહારાજ ન ગયા એટલે ગ્રાહજાદાએ આગળ વધવાના વિચાર માંડી વાળ્યો અને પાછા કર્યાં. મહારાજના આ વતનથો શાહજાદાએ મહારાજની દી`ષ્ટિ અને ઊંડી નજરની પિરક્ષા કરી લીધી. એ મહારાજ ઉપર જરાએ ગુસ્સે ન થયા પણુ એમનાં બુદ્ધિચાતુર્યંનાં વખાણ કરવા લાગ્યા. એમની કુનેહ અને કાર્ય દક્ષતાની તારીફ્ ગાવા લાગ્યું. આ બનાવથી શાહજાદા અને શિવાજીનાં દિલ ખાટાં ન થયાં પણુ મીઠાશ વધી. આવી રીતે મુગલેાની આ જાળ મહારાજ ભેદી શક્યા. બાદશાહે ગાઠવેલી બાજી ઉધી વળી. ઔરંગઝેબને લાગ્યું કે, આવા કાપચાથી તા શિવાજી ઠેકાણે આવે એવા નથી અને શાહજાદા સાથે એના મીઠા સંબધ જારી રહેશે તેા દિકરાને હથિયાર બનાવીને જરુર એ આપની સામે ખંડ પાકારાવશે. ગમે તે બહાને, ગમે તે પ્રયત્ને શિવાજીની વધતી જતી સત્તા તાકીદે તાડવાના બાદશાહે આ વખતે નિશ્રય કર્યાં. દક્ષિણુના મુગલ કારભાર માટે બાદશાહ હંમેશ ચિંતાતુર રહેતા. અનેક ઠેકાણેથી ગૂૉંચાયેલા રાજદ્વારી મામલાને લીધે બાદશાહથી જાતે દક્ષિણમાં જવાતું નહતું અને શાહજાદામાં કામ પુરતી લાયકાત નહતી. મુઆઝીમ મહારાષ્ટ્રમાં આવ્યા પછી મુગલાની સ્થિતિ એ ગાળામાં બગડવા લાગી એવી બાદશાહની ખાતરી થતાં દક્ષિણના કારભારમાં દિલ્હી બેઠા બેઠા દિલ્હીપતિએ નજર નાંખવા માંડી. દક્ષિણમાંથી મુગલ રાજ્યવસ્થાનું ખર્ચ ઓછું કરવાના નિશ્ચય કરી બાદશાહે દક્ષિણના મુગલ લશ્કરમાંથી સખ્યાબંધ સિપાહીઓને નાકરીમાંથી દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy