SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જાં'] છે. શિવાજી ચરિત્ર ૧૯ પિયેએ લખેલા રાધા માધવ વિજ્ઞાન સંપૂની પ્રસ્તાવના લખતાં પ્રસ્તાવનાના ૩૬ મા પાનામાં માલાજીના પુત્રાના નામેા સંબંધી જે લખ્યું છે તે જ પુસ્તકમાં જ્યાં જ્યાં સંબંધ આવ્યા છે અને બની શરીફ્ળ ”તે બદલે “ સિંહજી ” અને “શરલાજી ” થાય છે કે એમનાં ખરાં નામ · સિ’હાજી ' અને ‘ શરભાજી' હતાં ત્યારે બખરે અતે ઇતિહાસામાં અમને તે સાચું લાગે છે અને તેથી જ આ શકયું છે ત્યાં ત્યાં અમેએ “ શાહજી ” અને નામેા લખ્યાં છે. અત્રે એક પ્રશ્ન સહજ ઉભા . ‘શાહજી ’ અને ‘ શરીક્જી ' એ નામેા કેમ લખાયાં છે. તેને જવાબ આપી ખુલાસેા કરવાની જરૂર છે. આપણામાં ધણાં બાળકાનાં વિધિપૂર્વક રાખેલાં નામ જુદાં હાય છે અને લાડથી ખેલાવવાનાં નામ "" પશુ જુદાં હેાય છે. કેટલીક વખતે લાડથી ખેલાવવામાં આવતાં નામેા કાગળીએ કે ચાપડે ચડતાં નથી. લખાણુમાં તે વિધિપૂર્વક પાડેલાં નામ જ ઘણે ભાગે વાપરવામાં આવે છે. ઘણા દાખલાએ એવા પણુ જડશે કે વિધિપૂર્વક પાડેલાં નામ અણુજાણ્યાં જ રહી જાય છે અને જે નામથી માણસને એલાવવામાં આવે છે તે નામ જ બધે જાણીતું થઈ જાય છે અને તે નામ જ પછી કાગળીએ અને દફતરે લખાય છે. સિંહાજી અને શરભાજીની બાબતમાં એવું જ કંઈ બનેલું દેખાય છે. આ પરાક્રમી પુરુષનું ખરું નામ શું છે તે હવે આપણે તપાસીશું. રાધા માધવ વિહાલ સંજૂમાં આ પુરુષના નામના જુદા જુદા ઉચ્ચારા નીચે પ્રમાણે કરેલા જણાવવામાં આવ્યા છેઃ— શાહ, માહ, સાહે, સાહિબૂ, સાહનૂ, શાહે, શાહજી, સાહ, સાહજી, સાહુજ, શાખા, શાહાજી, શહારાજ, શહાજી, શા, સાહિ વગેરે ઉચ્ચારા આ પુરુષને માટે ઉચ્ચારવામાં આવ્યા છે. ખખરામાં શહાજી, શાહાજી, શાહજી, અને તવારીખેામાં શહાજી, શાહાજી, અને કાઈક ઠેકાણે તા ત્યાહા” એવા ઉચ્ચાર પણ જડી આવે છે. આ બધી બાબતાને વિચાર કરતાં ખરા ઉચ્ચાર શા હશે એ ખાળી કાઢીએ. " આ પુરુષના મૂળ નામમાં “ સિંહ ” શબ્દ કોઈ પણ ઠેકાણે હાવા જોઈએ. એટલે મૂળ નામ • સિંહ ’ હાવું જોઈએ. ‘ સિંહ ' શબ્દને જીત શબ્દ જોડીને સિંહ જીત ', ‘ સિહત ' શબ્દના અપભ્રંશ ‘ સિંહજી ’ ‘ સિંહાજી ’. " • સિંહાજી ’ ના અપભ્રંશ ‘ સાજી ’, સાહાજી શાહાજી ', શાહાજી થયું છે. સિંહાજીના નાના ભાઈના નામ ઊપરથી સાચું નામ શાહાજી નહિ ‘પશુ ‘ સિંહાજી ’ હેાવાની ખાત્રી થાય છે. ‘ સિંહાજી ’ના નાના ભાઈનું `નામ “ શરભાજી શરભ ” એ નામ તંાવરના ભાંસલે કુટુંબમાં મશહૂર છે. શરભજીત=શરભાજી અને તેને અપભ્રંશ સરફેાજી. એક ભાઈનું નામ ‘ સિંહ ' અને બીજા ભાઈનું નામ શરભ ’, ‘ સિંહક ', અને ‘ શરભક ' એ નામેા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. · 33 જ્ઞાતિ નાનઃ ૬ (૧-૩-૮૬ ) આ સૂત્રમાં પાણિની દ્દિષ્ઠ અને રામ એ નામે આપે છે. મતલબ કે આ બન્ને ભાઈઓનાં મૂળ નામ “ સિંહા ” અને .. શરભેાજી ” છે. માલાજી રાજા મહાદેવના ભારે ભક્ત હતા એ તે જાણીતી વાત છે. શિખર શિંગણાપુરના નિર્જલ ડુંગર ઉપર મહાદેવનું દેવળ છે ત્યાં જાત્રાળુઓને અને મેળામાં આવતા શ્રદ્ધાળુએને પાણી વગર અહુ વિપત્તિ વેઠવી પડતી તેથી પુત્ર જન્મ પછી માલેજીએ એ નિર્જલ ડુંગરા ઉપર એક મોટું અને બહુ સુંદર સરાવર બંધાવ્યું. શંકર અને ભવાનીની પાતા ઉપર કૃપા છે અને તેથી જ જ્યાં ત્યાં એમને યશ મળે છે એવી માલેાજીની દૃઢ માન્યતા હતી. આવી રીતે ધીમે ધીમે આ કુટુંબની ચડતી થઈ હતી.. જેમ જેમ દિવસેા જતા ગયા તેમ તેમ આ કુટુંબને અનુકૂળ બનાવે। અનતા ગયા અને ભવાનીએ આપેલા આશીર્વાદ અને ભાખેલા ભવિષ્યમાં માલાજી અને વિઠાજીને વિશ્વાસ વધારે ને વધારે મજબૂત થતા ગયા. અહમદનગરના દરબારમાં આ બન્ને ભાઈઓને લખુજી જાધવરાવા બહુ જબરા ટકા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy