SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સુર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું તા પડી ગયા હતા એટલે વેશ બદલેલા ક્ષ ભાજીને દક્ષિણમાં લાવતાં આ ભાઈઓને બહુ ત્રાસ પો નહિ. અડચણુ અને અગવડ વિના આ ભાઈઓ પ્રવાસ કરી રહ્યા હતા એટલામાં એક દેકાણે એક મુગલ અમલદારને વહેમ પડયો અને જીભાજી રાજાની ક્રાંતિ અને તેજ જોતાંની સાથે જ એ અમલદારને લાગ્યું કે આ બ્રાહ્મણોની સાથે આ છેકરી છે તે કાષ્ટ રાખીજ હાય એમ લાગે છે, જેમ જેમ તે અમલદાર વધારે ઝીણવટથી જોતા ગયા તેમ તેમ તેને વહેમ વધતા મયા. આખરે આ પ્રવાસીઓને અટકાવ્યા અને આ બ્રાહ્મણેને સાચે સાચી હકીકત જણાવી દેવા કહ્યું. બ્રાહ્મણેાએ કહ્યું ઃ આ અમારે ભાણા છે અને અમે જાત્રાએથી પાછા આવીએ છીએ. મુગલ અમલદારે વિચાર કર્યું કે આ બ્રાહ્મણાના જવાબમાં જરાએ ગલ્લાં તલ્લાં નથી અને એમના મોં ઉપર પણુ આ તપાસ દરમિયાન કંઈ ફિકર કે ચિંતા નથી તેથી આવેલે વહેમ એ વહેમ જ હશે એમ માન્યું, છતાં એક યુક્તિ અજમાવી જોવાનું એને મન થયું. ગરબડ કર્યા સિવાય સાચી વાત શાધી કાઢવા માટે આ અમલદારે યુક્તિ રચી. એને લાગ્યું કે જો આ શ'ભાજી હેાય તેા તે મરાઠા ઢાવાથી આ બ્રાહ્મણો કાઈ સંજોગામાં તેની સાથે ભેગા એસીને જમશે નહિ એટલે ખરૂં શું છે તે શોધી કાઢવા અખતરો અજમાવવો. ખાનસાહેબે પેલા બ્રાહ્મણેાને જણુાવ્યું કે “ તમે તેા કહેા છે કે આ તમારો ભાણે છે તો તમે એની સાથે ખાવા બેસે ” આટલું ખેલી અમલદાર બહુ બારીકાઇથી બ્રાહ્મણાનાં માં તરા જઇ રહ્યો હતા. ત્રણે ભાઇઓએ સ્મિત કર્યું અને આ ભાશાભાઈને સાથે લઈ એક ભાણામાં ભેાજન કર્યું. આ ભાઇઓની સમયસૂચકતાને લીધે અને અંદરના ભાવની અસર માં ઉપર નહિ થવા દેવાના સયમને લીધે આવેલું સંકટ દૂર થયું. ખાનસાહેબને વહેમ દૂર થયા. વેશધારી ભાણા ખરા ભાણા ? અને ત્રણે ભાઈ આ ભાણાભાઈને લઈને મહારાષ્ટ્રમાં આવી પડ઼ોંચ્યા. યુવરાજ શુંભાજી મહારાજ પુણ્ સુખરૂપ સહીસલામત રાજગઢ આવી પહુચ્યાના સમાચાર મહારાષ્ટ્રમાં ચારે તરફ ફેલાયા. પ્રજાને આનંદ થયા. મહારાજની ચિંતા દૂર થઈ. માતા જીજાબાઈ ને, મહારાજની રાણીઓ તે, રાજકુટુંબને અને સરદારો તથા અમલારાને ભારે આનંદ થયે. ૪. સેવાની ક્દર-બાદશાહને પશ્ચાતાપ. ગુનેગારને વગર વિલખે કડકમાં કડક શિક્ષા કરવી અને ઉત્તમ સેવા કરનારની વગર વિલએ કર કરવી, એ સદ્ગુણૢ જે રાજામાં હાય છે તે રાનથી ગુનેગારીડરતા રહે છે અને પ્રજાના સદ્ગુણી પુરુષોને પેાતાને ધર્મ બજાવવામાં ઉત્તેજન મળે છે. આવા રાજા કડક હાવા છતાં લોકપ્રિય થઈ પડે છે. શિવાજી મહારાજમાં આ સગુણા હતા. જ્યારે જ્યારે એમના અમલદારાએ પ્રજાના, રાજ્યના કે દેશને ગુતેા કર્યાંનું મહારાજના ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે ત્યારે નિષ્પક્ષપાતપણે ગુનાની તપાસ કરી ગુનેગારાને મહારાજે કડકમાં કડક શિક્ષા કરી છે. સુનેગારને શિક્ષા કરવામાં મહારાજ બહુ જ ફેડક હતા. શિક્ષા થઈ ગયા પછી અને ગુનેગારના મુને સાબિત થયા પછી ફ્રાઈ ના વગવસીલા, ખાણુ કે શરમને લીધે મહારાજ સજા કરવામાં જરાએ ઢીલા થતા નહિ કે નરમ પડતા નહિ. ગ્રુતે ગારને સજા કરવામાં મહારાજ જેટલા કડક હતા તેટલાજ સેવા કરનારની કદર કરવામાં ઉદાર હતા. જ્યારે જ્યારે સૈકાની સેવાની કદર કરવાને વખત આવ્યા છે ત્યારે ત્યારે મહારાજે ઉદાર અંતઃકરણથી સેવકાને નવાજવામાં કદી પણ પાછી પાની કરી નથી. આગ્રેથી પાછા ફર્યાં પછી તરત જ મહારાજે સાચા સેવાની કદર કરી. ધણા વક઼ાદાર સેવાને મહારાજે બક્ષિસો આપી, કેટલાકને જમીને આપી, કેટલાકને જાગીરાથી નવાજ્યા, ધણાઓને ઇનામેાથી રાજી કર્યાં, ધણાઓને મોટા મોટા હાદ્દાઓ આપી ઉત્તજ્મા. આવી રીતે મહારાજે સંખ્યાબંધ માણસોને તેમની સેવાની કદર કરી ઉત્તેજન આપ્યું. તે સમયના અનેક દાખલાએામાં નીચેના દાખલાએ વાંચકાની જાણ માટે આ નીચે ટાંકીએ છીએ. (૧) મથુરામાં જે ત્રણ ભાઈઓએ યુવરાજ શંભાજી મહારાજને પોતાની પાસે રાખવાનું સાહસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy