SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૩ જગ્યાએ દક્ષિણુના સૂક્ષ્મા તરીકે પોતાના પુત્ર મુઆઝીમતે નીમ્યો. બંગાળ જતી વખતે બાદશાહને મળવાની ખાને માગણી કરી પણ બાદશાહ મામાથી નારાજ થયો હતો, એટલે મળવાની ના પાડી, ખાતે બંગાળ જવા માટે ૧૬૬૪ ના જાનેવારી માસમાં દક્ષિણ છેડયું, ખાનની બદલી બાદશાહે કરી કારણ કે ખાનની નબળાઈની એને ખાતરી થઈ ગઈ હતી. ખાન અને જસવંતસિંહ વચ્ચે અણુબનાવ હતો એ પણ બાદશાહ જાણી ગયા હતો. રાજા જસવંતસિંહના સંબંધમાં ખાને કરેલા આક્ષેપો બાદશાહને ગળે ઊતર્યાં નહિ હોય, નહિ તો એ જસવંતસિંહને દક્ષિણમાં રાખે જ નહિ. બાદશાહે એની બદલી ન કરી, એ બતાવી આપે છે કે ખાને કરેલા આરેાપમાં કાઈપણ જાતનું વજૂદ નહિ હાય. પોતાના ઉપરના વહેમ દૂર કરવા માટે ખાનના ગયા પછી જસવતસિંહે સિંહગઢને ઘેરા બાલ્યેા. શિવાજી મહારાજના લશ્કરે જસવંતસિહના લશ્કર ઉપર ચારે તરકથી સખત મારે। ચલાવ્યેા. મારા એટલા બધા સખત હતા કે જસવંતસિ’હના લશ્કરને ટકવું બહુ ભારે થઈ પડયું હતુ. એટલામાં જસતિસ’ના દારૂગોળા અચાનક સળગી ઊઠવ્યો. જસવંતસિંહનાં ઘણાં માણસાને એમાં નાશ થયેા. આખરે નાસીપાસ થઈ જસવંતસિંહે ધેરા ઉઠાવી લીધા. મરાઠાઓએ એને જતાં સતાવવા માંડયો. આખરે જસવંતિસંહ મુશ્કેલી વેઠતા ઔરગાબાદ જઈ પહેાંચ્યા. શાહિસ્તખાનને પરાભવ કર્યાં પછી મહારાજે કાંકણુ તરફ નજર કરી અને મેંગલેાર તરફ ગયા. આ વખતે જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં લેાકાતે ભેગા કરી મારાજે સમજણ આપી કે હવે પછી એમના તરફથી કે એમના અમલદારા કે નાકરા તરફથી રૈયતને કાઈપણ જાતની હેરાનગતી થશે નહિ. પ્રકરણ ૯ સું 1. સસ્ત ઉપર શિવાજી. ૬. શિવાજી મહારાજના ખૂનની કશિશ ૩. શિવાજી મહારાજ અને સુરતના પરદેશી વેપારીએ. ૪. આ ચડાઈમાં દિલદારપણાના દાખલા. ૫. શિવાજી મહારાજની ચડતી. કુ. શિવાજી મહારાજના હતા સામે ગાવાની તૈયારી. ૭. વે’ગુલ્તને આગ. ૧. સુરત ઉપર શિવાજી. શિ વાજી મહારાજે રાજ્યાભિષેક કરાબ્યા ન હતા, છતાં પોતે મહારાજ કહેવાતા અને એમની રાજધાની પૂના ગણાતી. પૂના શહેર એ શિવાજી મહારાજની રાજધાનીનું શહેર હતું તેથી જ મુગલ સેનાપતિ નવાબ શાહિસ્તખાને પેાતાના મુકામ પૂનામાં રાખ્યા હતા. મહારાજની રાજધાની કબજે કરીને ખાન ખેઠા હતા, એટલું જ નહિ, પણ એ પેાતે બાળબચ્ચાં, કુટુંબ ખીલા સાથે પૂનાના શિવાજી મહારાજના જ ઘરમાં રહેતા હતા. આ મકાન મહારાજને માટે સિંહાજીરાજાના નિમકહલાલ કારભારી સ્વર્ગસ્થ દાદાજી કાંડદેવે બાંધ્યું હતું. જે ધરમાં મહારાજને જ્ઞાન અને સ્ફૂર્તિ બચપણમાં જ મળ્યાં હતાં, હિંદુત્વ રક્ષણ માટે મુસલમાની સત્તા તાડવાની વાતેા જે ધરમાં ચર્ચાઈ હતી, પીડા પામતા હિંદુઓનાં દુખ દૂર કરવા માટે પ્રજાને સુખી કરવા હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારાના જે ધરમાં ગણેશ મંડાયા હતા, તેજ ધરમાં મહારાજની જામેલી સત્તા તાડનાર અને મહારાજની સત્તાના વધતા જતા વિકાસ 40 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy