SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું] છે. શિવાજી ચરિત્ર નહિ. બચાવનો કોઈ રસ્તો ન જ એટલે ત્રાસ પામતા દેશમુખેને પિતાનાં બાળબચ્ચાંની સલામતી માટે સહીસલામત સ્થળે ખસેડવા સૂચનાઓ આપી અને કેટલાકને સમજાવ્યા. આ સંબંધમાં રેહી ખોરાના સર્જારાવ જોધેને મહારાજે ૧૬૬૨ ના ઓકટોબરની ૨૩મી તારીખે પત્ર લખ્યો હતો. આ પત્ર ઉપરથી જણાય છે કે મહારાજ પિતાના માણસ માટે તથા તેમનાં બાળબચ્ચાંઓ માટે બહુ દરકાર રાખતા. પૂને બેઠા બેઠા મહારાજનાં માણસને સતાવીને ખાન અટક નહિ, પણ એણે સિંહગઢ પડાવી લેવાનું કાવત્રુ રચ્યું. ખાન કંઈ નવોસવો સૂબેદાર ન હતું. સરદાર તરીકે એ અનુભવી હતા. સેનાપતિ તરીકે બુદ્ધિશાળી હતો, બૂહરચનામાં મુત્સદ્દી હતો. એણે છાની રીતે શિવાજી મહારાજની સત્તા તેડવા અનેક જાળ પાથરી હતી. સિંહગઢ મહારાષ્ટ્રમાં બહુ મહત્વનો કિલ્લે મનાતો હતો. એ કિલે યુક્તિપ્રયુક્તિથી મેળવી મહારાજનું બળ તોડવાની ખાનની દાનત હતી. બાજી એવી આબાદ ગોઠવી હતી કે એની રચનાની કોઈને ખબર પડી નહિ. ખાનને પણ લાગ્યું કે ગઢ હાથમાં આવે જાય છે પણ ઈશ્વરીસંકત કંઈ જુદો જ હતે. અણીને વખતે એ વાત બહાર પડી ગઈ. ખાને ગોઠવેલી બાજી પેશ જાય તે પહેલાં તે કેઈએ શિવાજી મહારાજને તેની ખબર આપી દીધી. આ કાવાદાવામાં ખાન ફાવ્યા નહિ, પણ મહારાજ સાવધ થઈ ગયા. ડેસી મરે તેને ભય નથી, પણ જમ પધા પડયાને ભય હતે. નિમકહરામીને ચેપ બહુ બુર હોય છે. એ જો એક વખતે લાગે તે મહરાજની યોજનાને ઘણું નુકસાન થવાનો સંભવ હતો. સિંહગઢની ખબર સાંભળતાં જ મહારાજે મેરે ત્રિબુક પેશ્વાને સિંહગઢ મોકલ્યું અને તાકીદે ત્યાંને બદબસ્ત કરાવ્યા. ખાન પૂનામાં બેઠો બેઠો સુરગે ગોઠવી જ રહ્યો હતે. ખાને મુગલ લશ્કરની છાવણુઓ પાકી કરવાનો વિચાર કર્યો અને ૧૨૦૦૦ ઘોડેસવાર ચૌલમાં અને ૭૦૦૦ ઘોડેસવાર રહિમતપુરમાં રાખવાનું નક્કી કરી એમના રહેઠાણની તજવીજ કરવા લાગ્યા. શિવાજી મહારાજે નેતાજી પાલકરને વરાડમાં મુલકે જીતવા તથા લૂંટથી નાણાં વગેરે મેળવવા મેક હતે, તેની પાછળ પણ ખાને લશ્કર મોકલ્યું. એવી રીતે પૂનામાં રહીને આખા દક્ષિણના સૂત્ર હલાવવાનું કામ ખાન બહુ સફાઈથી કરી રહ્યો હતો. ખાને વિચાર કર્યો કે “શિવાજીનું લશ્કર સંખ્યામાં થયું છે, પણ એ ગનીમી પદ્ધતિથી લડે છે, તેથી જબરે લશ્કરને પણ થકવી શકે છે. એ અને એનું લશ્કર ડુંગર, ખીણ, જંગલ વગેરેના છૂપા રસ્તાથી ભોમિયું હોવાથી આપણને હંફાવી શકે છે. જ્યાં સંતાઈ રહેવું, ક્યાં ભરાઈ બેસવું, ક્યાંથી નાસી છૂટવું, એ બધું તેઓ જાણે છે, એટલે જ એ સામાવાળાને છંછેડી નાસી શકે છે. મરાઠાઓના નાના ઘડાઓ, દુઓ સપાટામાં ડુંગરો ચડી શકે છે અને જોતજોતામાં ઘાટ ઊતરી જાય છે. અમારા મેટા ધેડાએ આ ડુંગરી મુલકમાં કામ નથી આવતા. મરાઠાઓને મહારાષ્ટ્રની કુદરતી રચનાને લાભ મળે છે. શિવાજી જે મેદાનમાં ખડે ખાડે લડાઈ કરે તે એના અને એના લશ્કરના જોત જોતામાં ઊડી જાય. એને ખડે ખાડે લડાઈ કરવાની ફરજ પાડવી જોઈએ. ગમે તેવી યુક્તિપ્રયુક્તિથી શિવાજીને એક ફેરો મેદાનમાં ખેંચી આણીએ તે જ એનો પૂરેપુરો પરાભવ કરી શકીએ. એને મેદાને લાવવા માટે અનેક યુક્તિઓ રચી, જાળ પાથરી, પ્રયત્ન કર્યા પણ સર્વ મિથ્યા. એને ફસાવીને મેદાને લાવ એ તે અશક્ય છે. એ બહુ ચાલાક છે. ગમે તેવી બાળ રચવામાં આવી હોય તે પણ જોત જોતામાં એ ભેદ પામી જાય છે. એને માટે તો હવે બીજો અખતરો જ અજમાવો પડશે. શિવાજીનું મગજ શાંત છે, છતાં સ્વભાવ બહુ તીખ છે. એ બહુ માની સ્વભાવના છે. એની આત્મમાનની લાગણી બહુ તીણી છે. એને તે અપમાનથી છોડીને ગુફામાંથી બહાર કઢાય તે સિવાય બીજે રસ્તા જ નથી. ખાને વિચાર કરી શિવાજીને ચિડવવા માટે એક અપમાન ભરેલે પત્ર લખ્યો. ખાનને ખાતરી હતી કે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy