SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્યુ ૬ હું ] છે. શિવાજી ચરિત્ર ૧૮૧ આ ખસ દિલથી કરવું એજ મારા ધર્મ છે. આ જન્મ સ્વામીનિષ્ઠ રહેવાની શક્તિ પ્રભુ મને આપે એ મારી ઈશ્વર પાસે નિત્યની પ્રાથના છે. મારી સેવાથી મારા મહારાજને સતાષ થાય એટલે મારા કામની પૂરેપુરી કદર થઈ એમ હું સમજુ છું. શિવાજી મહારાજે શરૂ કરેલા કાર્ટીમાં ખપી જવું, ક્રમ લાગી જવું, એ મારી ઈચ્છા છે. હું શિવાજી મહારાજના સેવક છું અને ભારેમાં ભારે ભેગ આપવા પડે અને અનેક અડચણા અને વેઠવી પડે તેા પણ એમના સેવક જ રહેવા માગું છું. જિંદગી શિવાજી મહારાજને ચરણે અર્પણ થયેલી છે. મહારાજ એના માલીક છે, ” અજે આવેલા સરદારની સ્વામીભક્તિ જોઈ ખાનને બહુ આનંદ થયા. ક્રૂિર ગાજી ઉપર ખાન જરા પણુ ગુસ્સે થયા નહિ પણ એના સદ્ગુણુની કદર કરી તેને માન આપી મુક્ત કર્યાં. આ સરદારના પરાક્રમેાની મહારાજને ખબર મળી ત્યારે એમને અતિ આનંદ થયા. પનાળાના ઘેરા પત્યા પછી કિરગાજી મહારાજને આવીને મળ્યો અને સર્વ વાતેથી મહારાજને વાક્ કર્યાં. મુગલાની નાકરીની લાલચમાં ફિરંગાજી જરાપણ ફસાયા નહિ તેથી તેને ધન્યવાદ આપ્યા, તેનેા સત્કાર કર્યાં. એની સ્વામીનિષ્ઠા માટે એની કદર કરી એને ઈનામ આપ્યાં અને એને ભૂપાલગઢના કિલ્લેદાર ખનાવ્યા. ૩. ભરખીંડમાં મુગલેાને માર. વિશાળગઢથી રાજગઢ આવીને મહારાજે પોતાના વિશ્વાસુ માણસા અને અમલદારો તથા પ્રધાનમંત્રીઓને ઉભા થયેલા પ્રસંગાને કેવી રીતે પહેાંચી વળવું તેને વિચાર કરવા માટે ભેગા કર્યાં. દુશ્મનના અનુકૂળ સંજોગા, એમનું સખ્યાબળ, એમનાં સાધના, પેાતાનું બળ અને પ્રતિકૂળ સ ંજોગો, વગેરેને પૂરતા વિચાર કરી તે ઉપર ખુલ્લા દિલે વિવેચન કરી સર્વેએ અભિપ્રાય આપ્યા કે “ મુગલ લશ્કર બળવાન છે, એમની પાસે લડાઈનાં સાધને અખૂટ છે, એમને આજુબાજુની ભારે કુમક છે, એમની સત્તા જામેલી છે, એમનું સખ્યાબળ પણ જખરું છે. કુહાડીના હાથા રૂપ હિંદુ સરદારા શત્રુને મળી ગયા છે એટલે આ સંજોગામાં એ સત્તા સાથે સલાહ કરવામાં જ શાણપણ છે. આવા જબરા અને જામેલા દુશ્મન સામે ખડેખાંડે લડાઈ કરવી એ બહુ ભારે, આકરું અને અશક્ય છે. ” પોતાના ગાઠિયા, અમલદારા અને સરદારાની દલીલોથી મહારાજને એમની સૂચનાએ યાગ્ય લાગી. મહારાજે પેાતાના વકીલ સેાનાજીપતને શાહિસ્તખાન પાસે સુલેહને સંદેશા લઈને માકલ્યા. ખાતે સેાનાજીપતનું સાંભળી લીધું પણુ સતાષકારક જવાબ ન વાળ્યો. સેાનાપત વકીલ ૧૬૬૦ના ટોબરમાં ખાનના જવાબ લઈ મહારાજ પાસે પા આવ્યા. મુગલ અને મરાઠાઓ વચ્ચે સુલેહ થઈ શકે એમ ન હતું. સુલેહના સંદેશાઓ ભાગી પડ્યા અને એ બંને સત્તા વચ્ચેા વિગ્રહ દક્ષિણમાં ચાલુ જ રહ્યો. મહારાજ તરફથી સાનાજીપ°ત વકીલ સુલેહના સંદેશાઓ લઈ તે ગયા એટલે ખાનને લાગ્યું કે મરાઠાઓને મુગલ ખળતા કંઈ ખ્યાલ આવી ગયા છે અને તે આજે નહિ તે કાલે મુગલ સત્તા સ્વીકારશે અને પેતાની ધારી મુરાદ બર આવશે. શાહિસ્તખાતે સરદાર કરતલમખાનને ખેલાબ્યા અને મહારાજના મુલા–કલ્યાણુ, ભાવડી, પનવેલ, ચૌલના ગાણા વગેરે-ઉપર ચડાઈ કરી જીતી લેવાના હુકમ કર્યાં. આ સરદારને આ મુલક જીતવામાં મદદ કરવા માટે સ. ચૌહાણ, સ. અમરસિંહ, મિત્રસેન, સજૅરાવ, ગાઢે, માહુરના ઉદાછરામની વિધવા રાયબાગીષ્ણુ, જશવંત ક્રાકાર્ટ, સ. જાદવરાવ વગેરેને પોતપોતાના લશ્કર સાથે જવા જણાવ્યું. ખાનની સૂચના મુજબ સ. કરતલખખાનને ક્રાંકણમાં મહારાજના મુલક જીતવા માટે જે કાર્યક્રમ આંયા તેની ખબર શિવાજી મહારાજને તેમના જાસૂસા મારફતે મળી. ખાન તરફથી સતાષકારક જવાબ નહિ મળ્યો તેથી મહારાજ જરા પણ ગભરાયા ન હતા. પ્રતિકૂળ સોગાથી નાસીપાસ થઈને શરૂ કરેલું કામ મૂકી દેવાની તેા કલ્પના સરખી મહારાજના મનમાં આવતી ન હતી. એ તે। માનતા કે માણુસ પુરુષાર્થ વડે પ્રતિકૂલ સોંગાને અનુકૂળ બનાવી શકે છે. તદ્દન પ્રતિકૂળ વાતાવરણ હોય અને સંજોગા શત્રુને અનુકૂળ હાય તો પણ હિંમતથી જે પુરુષ મડ્યો રહેછે, 36 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy