SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર એ માટે હું ખાવિંદને આભારી છું. બાદશાહ સલામતના પત્રને ગોળગોળ જવાબ આપી અથવા બેટી ખાત્રી આપી, ખાવિંદને હું ઠગવા નથી ઈચ્છતે. મુત્સદ્દીપણુની ભરપુર ભાષામાં જવાબ વાળી બાદશાહ સલામત આગળ નકામી સાકર વાટવી એ સાચી વફાદારીને શુભતું નથી. હું જનાબ સમક્ષ ચાખે ખી સ્થિતિ રજૂ કરવાની રજા લઉં છું. એ છોકરાએ માઝા મૂકી છે. વિચાર કરતાં સરકાર ! મને તે હવે લાગે છે કે છોકરો મારા હાથમાંથી છટકી ગયો છે. મારું જરાપણુ માને એમ નથી. એ તફાને ચડયો છે, અવળે માર્ગે ચડ્યો છે, એ તો બાદશાહ સલામત જાણે છે. એના મગજ, મિજાજ અને તારને લીધે જ એ મારી સાથે ન નભી શક્યો. એની મનોદશા નહિ ગમવાથી જ મેં એને મારી પાસે નથી રાખ્યા. એને સુધારવા માટે મારા અને એના ભવિષ્યને વિચાર કરીને મેં ખૂબ પ્રયત્ન કર્યો, પણ હવે મને એમ ખાત્રી થઈ ગઈ છે કે મારા પ્રયત્નો ફોગટ ગયા છે, હું નિષ્ફળ નીવડ્યો છું, મારું એની આગળ કંઈ ચાલતું જ નથી; મારા સમજાવવાથી કે લખવાથી કંઈ વળે એવું મને હવે લાગતું નથી. દીકરો મારો છે છતાં તેના સંબંધની સાચે સાચી વાત બાદશાહ સલામત આગળ કહી દેવી એ મને મારો ધર્મ લાગે છે. એ છોકરાને સીધા કરવા માટે ખાવિંદને ઠીક લાગે એવાં પગલાં ખાવિંદે લેવાં. એને પકડી મંગાવી સીધાદોર કરે હોય તે પણ ખાવિંદ તે કરી શકે છે. ખાવિંદને પૂરેપુરી સત્તા છે. શિવાજી મારે છોકરો છે, એ વિચારથી ખાવિંદે એના ઉપર હવે જરાપણ રહેમિયત ન રાખવી. બાદશાહ સલામત અને બિજાપુર દરબારના મુત્સદ્દીઓને એનું વર્તન અસહ્ય અને આકરું લાગતું હોય તે બાદશાહતના લાભને માટે ઘટિત કરવા ખાવિંદ મુખત્યાર છે. મારી લાગણીઓ અને એની સાથેનું મારું સગપણ એ ઉપર ધ્યાન દોડાવીને જે એનાં કૃત્ય પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા હોય તે આતંદે એવું ન બનવું જોઈએ. એની સામે પગલાં ભરવામાં ખાવિદ મારી લાગણીનો વિચાર ન કરે. હું તે એ છોકરાથી કાયર થઈ ગયો છું. બાદશાહ સલામતને ઠીક લાગે તેમ કરે.” ઉપર પ્રમાણે પત્રને જવાબ સિંહાજીએ લખી બિજાપુરના બાદશાહ તરફ રવાના કર્યો. શિવાજીને શી રીતે સજા કરવી, તેને સીધો કરવા માટે શાં પગલાં લેવાં, મરાઠાઓનું વધતું જતું જેર શી રીતે તેવું, વગેરે વિચાર બિજાપુર સરકારના મુત્સદ્દીઓના મનમાં ચાલી રહ્યા હતા. સિંહાજીને નારાજ કરવામાં કાંદે નહિ કાઢીએ અ પણ કેટલાકનું માનવું હતું. સિતાજીને નારાજ કર્યા સિવાય શિવાજી સરખો કાંટ શી રીતે દૂર કરવો એના વિચાર બિજાપુર સરકાર કરી રહ્યા હતા. સિંહજીને લખેલા પત્રના જવાબની રાહ પણ જોવાતી હતી. આખરે સિંહાનો જવાબ આવ્યો. સિંહાજી તરફથી ચેખે ચેખે જવાબ આવ્યા પછી રાજમાતા બેગમ બારી સાહેબાના કહેવાથી શિવાજીને સીધો કરવાના સંબંધમાં બિજાપુરના દરબારીઓને આમંત્રણ કરી, દરબાર ભરવામાં આવ્યો. દરબારમાં બિજાપુર બાદશાહના જવાબદાર અમલદારો, અધિકારીઓ, સરદાર, લશ્કરી અમલદારો, અનુભવી સલાહકારો, વજીરે, મનસબદાર, સુબા વગેરે સર્વે હાજર થયા. બિજાપુરના બાદશાહની હયાતીને પ્રશ્ન જાણે ચર્ચાતો હોય એટલું મહત્ત્વ આ દરબારને આપવામાં આવ્યું હતું. દીર્ધદષ્ટિવાળા ડાઘા પુરાએ તે જમાને ઓળખ્યો હતો અને શિવાજીનું વધતું જતું જોર બિજાપુરને ધક્કો મારશે એમ એમને લાગતું હતું. આ ગંભીર પ્રશ્નનો ગંભીરપણે વિચાર કરવા વિચારવંત અને ડાહ્યા પુરુષો ભેગા મળ્યા. દરબારમાં બેગમબારી સાહેબા માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. બાદશાહ સલામતની સવારી પધાર્યા પછી કુર્નિસ કરવાને સમારંભ ખતમ થયા પછી દરબારમાં શિવાજીનાં તફાન સંબંધી ખૂબ વિવેચને થયાં. શિવાજી બિજાપુરના બાદશાહના સરદારનો દીકરો તે બાદશાહતને આવી રીતે સતાવે, બાદશાહ સલામતનું અપમાન કરે, બાદશાહતની સત્તા સામે બંડ કરે, તોફાન કરે એ તદ્દન અસહ્ય છે. એવી મતલબનાં જુસ્સાદાર ભાષણ સરદારોએ કર્યો. મહારાષ્ટ્રના સંજોગો અને બિજાપુર સરકારની સત્તાને સવાલ ધ્યાનમાં લઈ, શિવાજીને પકડી લાવવાનું નક્કી તે થયું. પણ શિવાજીનો સામનો કરી એને પકડી લાવવા માટે કેણુ જય પ્રશ્ન દરબારમાં જે થો. ગરમાગરમ ભાષણે કરવાં એ તે સહેલું છે, પણ ઉભી થયેલી અડાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy