SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ હું] છે. શિવાજી ચરિત્ર G છે. કઈ કરતાં કંઈ અવળુ કરી ખેસશે. છેકરાની ખેલવાની શૈલી ઉપર તે। સિંહાજી આફરીન થઈ ગયા. હિંદુ સરદારાની નબળાઈ એ ઉપર એણે જે ટીકા કરી તે તદ્દન સાચી હતી છતાં પણ બહુ વિનયપૂક મૂકવામાં જ શિવાજી રાજાની કુશળતા જણાતી હતી. મર્યાદામાં રહીને પરાક્ષ રીતે હિંદુ સરદાર અને મુસલમાની રાજ્યના હિંદુ સત્તાધારીઓની તૂટીએ શિવાજી રાજાએ એવી ખુબીથી નમનતાઈ ભરી ભાષામાં પિતાને સંભળાવી દીધી કે સિંહાજી મનમાં સમજીને થંડાગાર થઈ જાય. પિતાને સાચે સાચુ સંભળાવ્યું, રોકડું પરખાવ્યું, કડક પણ વ્યાજી ટીકા કરી છતાં પણ એ બધું કરવામાં એમણે વિનયભંગ નહોતા કર્યાં. શિવાજી રાજાની ઉંમરના પ્રમાણમાં આ ચાતુર્ય અસાધારણુ કહેવાય. પુત્રના હૃદય હલાવનારા શબ્દો સાંભળી સિંહાજી ઊંડા વિચારમાં પડ્યા અને એણે એક ઊઁડે। નિસાસા નાખ્યા. સિંહાજીની દશા તે સૂડી વચ્ચે સેાપારીના જેવી થઈ ગઈ. છેકરાએ તે ચેાખે. ચેાખ્ખું કહી દીધું કે જ્યાં સુધી ગેાવધ અને ગેામાંસ વેચાણુ ખુલ્લે ગે થાય છે તે બંધ નહિ થાય ત્યાં સુધી દરબારમાં જવું હરામ છે; અને દરબારમાં બાદશાહ પૂછશે કે છેકરા કેમ નથી આવ્યો તે શે। જવાબ દેવે એ વિચારમાં સિંહાજી પડ્યો. દીકરા તા આવ્યા ત્યારથી એક પછી એક ગૂંચો ઊભી કરતા જ જાય છે અને આ ગૂ`ચ તા ભારે ઊભી થઈ હવે એને ઉકેલ શી રીતે કરવા એના વિચારમાં સિંહાજી પડ્યો. એક તરફ ઊંડી ખીણ અને બીજી તરફ કૂવા એવી સ્થિતિમાં આવી પડેલા સિંહાજી ઊભા થયેલા સંજોગામાંથી સહીસલામત અણીશુદ્ધ નીકળી જવા માટે સીધા રસ્તા શોધવાની ીકરમાં પડ્યો હતા એટલામાં બિજાપુર દરબારને એક મુસલમાન સરદાર મીર જુમલા એને મળવા આવ્યા. સિંહાજીએ સીર જુમલા સાથે દરબારના કંઈ મહત્ત્વના કામ સંબંધી વાતચીત કરી. મીર જુમલાએ જોયું કે સિંહાજી વાતચીત કરતા હતા, જવાબ દેતા હતા, સલાહ આપતા હતા, છતાં એ કાઈ ઊંડા વિચારમાં પડેલા હતા. એના ચહેરા ચિંતાતુર દેખાતા હતા. હંમેશનું હાસ્ય અને વિનેદ સિંહાજીમાં. મીર જુમલાએ તે દિવસે ન જોયાં. સિંહાજી સાથે આ સરદારને સ્નેહસંબંધ હતા એટલે એણે સિંહાને ચિંતાનાં કારણા પૂવા માંડ્યાં. શરૂઆતમાં તા સિંહાજીએ મીર જુમલાને ઉડાઉ જવાખા આપ્યા, પણ મીર જુમલાએ જ્યારે સિંહાજી ઉપર દબાણ કર્યું, ત્યારે સિંહાએ મુદ્દાની વાત સુંદર સ્વરૂપમાં મીર જીમલા આગળ મૂકી અને મીર જુમલાએ સિંહાજીને સલાહ આપી કે આ સંબંધી બંદેખત બાદશાહ સલામતના મિજાજ આજ મીઠે। હશે તે વખતે આપણે કરી દઈશું અને આજે દરબારમાં શિવાજી રાજાને લાવશે। નહિ. સિંહાજીએ મીરન્નુમલાની સલાહ માની અને શિવાજી રાજાને તે દિવસે દરબારમાં જવા સિદ્ધાજીએ ખેલાવ્યા નહિ. ક બાદશાહ સલામતને ખુમિજાજ જોઈ મીર જુમલાએ ગેાવધ અને ગામાંસના વેચાણુના સંબંધમાં ધીમે રહીને યુક્તિપૂર્વક વાત કહાડી અને યાગ્ય શબ્દોમાં અને મુસલમાની દરખારમાં દીપી નીકળે એવી ભાષામાં ખાદશાહને વિનંતિ કરી. અનુકૂળ ચોધડીઆમાં ગુજારેલી વિનંતિ બાદશાહ સલામતને ગળે ઉતરી અને બાદશાહે તરત જ નીચેની મતલબનું ક્રમાન બહાર પાડયું. “ બીજાપુર શહેરમાં દાઈ એ ગાવધ કરવા નહિ, તેમ જ શહેરમાં કાઈ દુકાને ગેામાંસ વેચવું નહિ. આ આજ્ઞાનું ઉલ્લંધન કરનાર મનુષ્યને સખત શિક્ષા કરવામાં આવશે. ગાવધ એ હિંદુના ધર્મ વિરુદ્ધની વાત હેાવાથી તેમની સમક્ષ કાઈ ગાહત્યા કરશે, કે માર્ગોમાં ગેામાંસ વેચવા બેસશે અને તેને કાઈ હિંદુ મારી નાખશે તે સરકારમાં તેની ફરિયાદ સાંભળવામાં આવશે નહિ.” આ મતલબનું ક્રૂરમાન દાંડી પિટાવીને પ્રજાને જાહેર કરવામાં આવ્યું. ખીજાપુર શહેરનાં કતલખાનાં પણ શહેર બહાર ખસેડવામાં આવ્યાં ( પ્રે।, તાકખાઉ પાનું ૬૧. ) આવા છંદમસ્ત થઈ ગયા એટલે શિવાજી રાજા બાદશાહના દરબારમાં પાછા જવા લાગ્યા. શિવાજી રાજા બહુ ચપળ અને હેશિયાર હૈાવાથી બાદશાહને એમની સાથે વાતા કરવાનું બહુ મન થતું, બાદશાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy