SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ '58 બુદ્ધ અને મહાવીર આપવા નિકળે તે પૂર્વે પ્રલોભકે પાછા પાડવાનો પ્રયત્ન કર્યો હતો! ઇરાની પ્રલોભકકથામાં ઝરણુત્રને પણ અસુરે તીર મારવા પ્રયત્ન કર્યો હતો તે આ કથાઓથી યાદ આવે છે, પણ આપણું કથામાં જે અંદરને તાત્પર્ય છે, તે આ ઈરાની કથામાં નથી. આમ ઝરથુસ્ત્રનું, બુધનું અને ખ્રિસ્તનું એ ત્રણનાં પરીક્ષાને એક બીજા સાથે કંઈને કંઈ સંબંધ છે; એમાં જે તફાવત છે તે મહત્વને નથી; પહેલાં પરીક્ષણો બીજા પરીક્ષણોમાં તરી આવે છે, પહેલાં પરીક્ષણની કથાઓ બીજાં પરીક્ષણની કથાઓમાં ઉતરી આવે છે. તે ઉપરાંત વળી આપણે જોયું એમ બુધ્ધના પ્રભક માર એવી ભાવનાની મૂર્તિ છે, જે ભાવના પ્રાચીન ભારત–ભાવનાના મૂળમાં છે, અને તેથી એને અનુસરીને ઇરાની પ્રલોભક હોઈ શકે નહિ. વળી કોઈ પણ કથામાં “પ્રલોભક' કે “પ્રલોભન " શબદો મુક્યા નથી. જુદી જુદી પ્રજાઓના ઉત્કર્ષ વચ્ચે કોઈ અમુક ગુમ સંબંધ હોય એની સાબિતિને માટે, ઉપર જણાવ્યાં તેવાં છેક નહિ જેવાં સાપો ધાર્મિક ઈતિહાસમાંથી મળી આવે છે. ભારતની, ઈરાનની અને પેલેસ્ટાઇનની જે વિચાર સૃષ્ટિ એ આપણે સરખાવી, એનો ગુપ્ત સંબંધ બાંધનાર જે કંઈ પણ હોય તો માત્ર માનવામાં જ છે. દેશ કાળને ભેદે કરીને આ આત્મામાં પણ ભેદ પડે છે એ વાત ખરી, પણ તે વ ધર્મસંસ્થાપકે એક બીજાથી સ્વતંત્ર રીતે સમાન રૂપકે ચોજી કાઢે, અને પરીક્ષણોની પાર ઉતરે એવી સમાનતા તો જુદી જુદી પ્રજામાં રહેવા પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy