SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અર્જુનમાળી ભલે થઈને અમારું કહ્યું માની જા. પણ સુદર્શનની દૃઢ ઈચ્છા હતી એટલે છેવટે ઉપરની રજા આપી. સુદર્શન હિંમ્મતભર્યા હૈયે ચાલે. નગરલેક વાતે કરવા લાગ્યા. સુદર્શન માંડે થયે છે કે શું? હાથે કરીને મરવા કેમ જતું હશે ? પણ સુદર્શનને લોકોના એ વચનની અસર થઈ નહિ. તેને પિતાના મનનું ધાર્યું કરવું હતું. તે નગરના દરવાજે આવ્યું. દરવાન ! દરવાન ! દરવાજો ઉઘાડ. મારે પ્રભુ મહાવીરના દર્શન કરવા જવું છે. દરવાન કહે, “અરે ભાઈ! હજુ અજુનમાળીએ સાત માણસ માર્યા નથી એટલે દરવાજે નહિ ઉઘડે. તું માર્યો જાય તે તેના જોખમદાર કેણુ?” સુદર્શન કહે, “એને જોખમદાર હું. ભલા થઈને દરવાજો ઉઘાડે.” ઘણી રકઝક થઈ ત્યારે દરવાજો ઉઘાડ. સુદર્શનને બહાર કાઢી બધ કર્યો. સુદર્શન વીર વીર જપતે આગળ ચાલ્યા. કોટ ઉપર લેકેની ઠઠ જામી. આશ્ચર્ય ને ભયથી તેઓ જોવા લાગ્યા કે હવે શું થાય છે? સુદર્શન ભક્તિભર્યા હૈયે ચાલ્યો જાય છે. મનમાં જરાએ ડર નથી. તે દશ ડગલાં દૂર ગયો ત્યાં અજુનમાળીને માણસની ગંધ આવી. પછી પૂછવું જ શું? ભયંકર ગદા ઉપાડી. દાંત કચકચાવ્યા ને સુદર્શન શેઠ તરફ ધસ્યો. લોકો ચીસ પાડી ઉઠયા. પણ સુદર્શન આ પ્રસંગથી જરાએ ડરે તેમ ન હતો. ધર્મની શ્રદ્ધા તેનામાં અપાર હતી. તેણે જાયું હવે બે મીનીટમાં અર્જુનમાળી આવી પહોંચશે એટલે શાંત ઉભા રહ્યા. તે વખતે અહીં મરણ થાય તે છેવટની ભાવના ભાવી લીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy