SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા શ્રેણિક ઈચ્છા થઈ. જોકે રાજા શ્રેણિક તેનેજ ગાદી આપવાના હતા પણ એટલે વખત તે ભી શક્યો નહિ. તેણે અનેક જાતની ખટપટો કરીને શ્રેણિકને કેદ કર્યા, પાંજરામાં પૂર્યા. પિતે ગાદીએ બેઠે. તેણે એમને ખુબ દુઃખ દીધું. કેઈપણ માણસને તેમની આગળ જવા આવવાની બંધી કરી અને હંમેશાં ચાબુખને માર મારવા લાગે. એની એવી માન્યતા થઈ ગઈ હતી કે પિતાએ મારા તર૪ પક્ષપાત કર્યો છે. (વીગત રાણી ચેલુણામાં જેવી.) રાણી ચેલણાએ પોતાના પતિને મળવાની છુટ મેળવી. અને હંમેશાં તેમને મળી દિલાસે દેવા લાગી. તે પિતાના અંબેડામાં છાની રીતે અડદને લાડ લઈ જતી ને વાળ ભીંજાવી જતી. આથી શ્રેણિક રાજાને આહારપાણી મળતાં. એક વખત ચલણની સમજાવટથી કણિકને પોતાના વર્તન માટે ખુબ શોક થે. પિતાને પાંજરાની કેદમાંથી છુટા કરવા તરતજ દોડ. લુહારને બોલાવતાં વાર થાય એટલે પોતે જ લેઢાને દંડ લઈ લીધો. સિપાઈઓએ જોયું કે કણિક લેઢાને દંડ લઇને આવે છે. તેઓ સમજ્યાઃ આજ ની શ્રેણિકનું મોત થશે. તેથી તેમને ખબર આપીર મહારાજ ! આજે આપનું મરણ છે. કણિક હાથમાં લેઢાને દંડ લઈને આવે છે. આ સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy