SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ–સુધા સિધુ. ( ૩૦ ) સુધા–બિંદુ ૧ લુ રવાને માટે ઉદ્યમ કરવો એ સજ્જનનુ કર્તવ્ય છે, પણ જે નથીજ સુધરીશકતા તેને સુધારવાના પ્રયત્નકરવા એ મિથ્યા છે. હુંમેશા; કાર્ય કરવું અને તેનુ પરિણામ આવવું; એ કાર્યની અંદર રહેલા હેતુપર અવલખે છે. આજે હિંદુસ્થાનમાં યુરોપથી પણ માલ આવેછે અને જાપાનથી પશુ માલ આવે છે, અને ઉપર જકાત પડે છે પણ એ બન્ને માલ ઉપર જકાત નાંખવામાં ભિન્ન મિન્ન વૃત્તિએ રહેલી છે. યુરોપથી આવતા માલ ઉપર જકાત નાંખવામાં એ વૃત્તિ રહેલી છે કે એ માલ આવવાના આછા ન થાય છતાં તે માલ હીંદીમાલને મુકાબલે મેઘેપડે, તેા હીંદી ઉદ્યાગાને એટલે ફાયદો થઈશકે. જ્યારે જાપાનીસમાલ ઉપર જકાત નાંખવાના હેતુ એછે કે તેમાલ આવતા અટકી શકે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કઈ પણ કાર્યની કોંમત તેના એકલા બહારના દેખાવ ઉપરથી કરવાની નથી પણ કોઇ પણ કાર્ય ની કીંમત કરતાં તે કા માં રહેલા હેતુજ જોવાવા જોઇએ. આ દ્રષ્ટિએ દરેક કાર્ય તપાસીએ છીએ ત્યારે કાર્ય ની કીંમતના સાચા ખ્યાલ આવે છે. જે સમ્યકત્વ પામ્યા છે તેને પોતાના વિરોધીનું પણ પ્રતિકૂળ ચોંતવનકરવાનું નથી, તે જો કઇ કરે છે તે હંમેશા રક્ષણકરવાની ભાવનાથી કરે છે. અનુપાતે રક્ષણ થાય તેમ કરે છે ઉપઘાતના કાર્યમાં પ્રવર્તવું પડે, તાપણ ધર્મી જીવ વિધેય તરીકે વર્તી શકતા નથી. શાસનનું રક્ષણ કરવાની ભાવનાથી ધર્મી જીવ પ્રવૃતિ કરી શકે છે અર્થાત આ બધા કાર્યોમાં હેતુ જૈન શાસનની સેવાના હાવા જોઈએ. તેથી ખીજાનું જીરૂં કરવાની જરાપણ ઘાનત ન હોવી જોઇએ. ન્યાયાધીશ આરે પીએને સજા કરે છે, તે નહી કે સજાના કાયદો છે તેટલા માટેજ સજા કરે છે, પણ એ સજામાં પ્રજાની સરંક્ષાના હેતુ છે! તેજ પ્રમાણે અહીં પણ હેતુ શાસનની રક્ષાના હાવા જોઇએ. ઉપઘાતના કાર્યોંમાં પ્રવૃત્ત થવુ' પડે નિરૂપાય છે. માધ્યસ્થ ભાવના રક્ષકપણામાં નથી એટલે તેની બેદરકારી કરવી એજ વ્યાજબી છે. નુકસાન કરનાર આત્માને ફાયદો ન થાય એવું હોય એ જગ્યાએ માધ્યસ્થ ભાવના રાખવી જરૂરી છે. અહુજ વિચારપૂર્વક આ બે વસ્તુ નહીં વિચારશે. તે તમને આ કથનમાં પરસ્પર ભેદ લાગશે. હવે અસલ પ્રશ્ન પર આવે મરણની સત્તા સાર્વભામ છે તે સ્ખલન પામતી નથી મરણનો ભય રાખીને રહેવું અને વળી મરણુથી બચવાની વાત કરવી એ પરસ્પર વિધી જેવું લાગશે પરંતુ ખરી રીતે એ બંને વસ્તુ એકજ છે. અજવાળુ જોઇતુ હાય તેા અજવાળું લાવી શકાતું નથી પણ દીવા લાવીએ એટલે એની મેળેજ અજવાળુ' આવે છે. તેજ પ્રમાણે મરણુ ખસેડી શકાતું નથી, પણ તે જન્મની સાથેજ આવે છે. જન્મ હોય તાજ મરણુ અર્થાત્ જેને મરણના ડર લાગ્યા હાય તેણે મરણુના ડર ન રાખતાં જન્મને ભય રાખવા જોઇએ જે માણસ આવેા ભય રાખે છે તેજ ખરેખરો ધર્મમાં સ્થિર ચિત્તવાળા અર્થાત સમ્યકત્વ પામેલે છે. આ જગા પર વિચારવાનું છે કે જન્મથી ડરવું એ જો કન્ય છે, તેા પછી જન્મના કારણેા કયા છે અને તેથી બચવાના માર્ગ કર્યા છે? આ પ્રશ્નનું સમાધાન આગળ કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy