SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૩૦૨) સુધાબિંદુ ૧. ધ્યાનમાં લો. જીવ અવિનાશી છે એ ગળથુથીમાં આપવું છે પરંતુ એ અવિનાશી છે એવું સાબીત કરવાને માટે જ તેનું અનાદિપણું સાબીત કરવાની જરૂર છે. અનાદિપણું સાબીત કરે. આવતા ભવને અંગે જે આપણે બેલ્યા હોત તે તે અવિ નાસી જીવે એમજ કહેવું પડત. ત્યારે હવે વિચાર કરે કે એ પ્રમાણે શા માટે કહેવામાં આવ્યું નથી? આપણું કહેવાનું પ્રયોજન જે આવતા ભવને માટે હોય તે તે અવિનાસી જીવે એમ કહેવાથી બની શકે એમ છે. અવિનાસી જીવે એમ કહ્યું હોય તે તેથી એવું સહજ સાબીત કરી શકાય છે કે આ જીવને વિનાશ નથીજ. માત્ર નાશ છે તે આ શરીરનેજ છે અર્થાત બીજી રીતે બોલીએ તે આ શરીરને નાશ છે પરંતુ આત્માનો નાશ નથી એમજ બાલવું પડે છે. આ આત્મા એ રીતે પણ અવિનાશી જ સિદ્ધ થાય છે, તે પછી શરીરોજ નાશ છે પરંતુ આત્માને નાશ નથી, આત્મા અવિનાશી છે એવું તત્વામૃત ગળથુથીમાંજ શા માટે ન આપવામાં આવ્યું એ વિચારી જુઓ. “શરીરનો નાશ છે પરંતુ આત્મા અવિનાશી છે એવું ગળથુથીમાં ન આપ્યું તેનું કારણ એ છે કે આત્માનું અવિનાશીપણું સાબીત કરવાને રસ્તેજ તેને અનાદિપણું સાબીત કરવામાં રહેલો છે. જનશાસન શું કહે છે? એક સાધારણ ઉદાહરણ લેશે તે પણ આ વાત બહુ સારી રીતે સમજી શકશે. કલ્પી લે કે તમે એક ગેટલે વાગે, તેથી આંબો થયે છે. હવે તેજ ગેટલો ફરી ફરી વવાશે એટલે આંબે થશે એ વાત એ ગેટલેજ સાબીત કરી શકે છે. તે જ રીતે આત્માનું અનાદિપણું સાબીત થયું છે તેથી આત્માનું અવિનાશીપણું તે એની મેળેજ સિદ્ધ થાય છે. એ જ કારણથી ગળથુથીમાં સૂત્રામૃત રૂપે “વિના બીવે” એમ ન મૂકતાં ગના નીવે એમજ મૂકવામાં આવ્યું છે. આવી વસ્તુસ્થિતિ હેવાથીજ જૈનતત્વજ્ઞાનમાં, “જે થઈ ગયું તેને પંડિતેઓ શેક કરવો ઘટતે નથી” એવા અગડંબગડે ગેળા ગબડાવવામાં આવ્યા નથી. બીજા આર્ય શાસનમાં સ્પષ્ટ રીતે એમ જણાવવામાં આવ્યું છે કે જે થઈ ગયું છે તેને પંડિતો શોક કરતા નથી. હવે તમે સ્પષ્ટપણે જાણી શકશો કે આ ઉપદેશ માત્ર નાસ્તિક જ આપે છે અને નાસ્તિકેજ તેને માન્ય રાખે છે. જેમણે માત્ર વર્તમાનકાળને વિચારવા યોગ્ય મા છે અને તેને જ મનહર ગો છે તેવાઓ એમ કહેવાની હિંમત કરી શકે છે કે “ri 7 ” બીજાઓ તે આ ઉપદેશ નહિજ આપી શકે. આસ્તિકે એમ ન કહી શકે. નાસ્તિકેને અંગે નાસ્તિકાચાર્યોના મત પ્રમાણે થએલાને થઈ ગએલાને શોક કરવાને ભલે ન હોય, પરંતુ આસ્તિકોને માટે તે જરૂર થઈ ગએલાને પણ શોચ કરવાનું જ છે. અમુક વસ્તુ બગડી છે. બગડી એ તે જરૂર બગડી પરંતુ જે વસ્તુ બગડી છે એ શા કારણથી બગડી છે? કેવા સંગ હેત તે તે ન બગડત? તેને બગડવા દેવામાં કયા સંગોએ ભાગ ભજવ્યો છે એ સઘળા પ્રદીર્ધદષ્ટિવાળાએ તે જરૂરજ વિચારવાના છેજ. પોતાના દેશનો સરદાર ભવિષ્યની એક પણ લડાઈમાં ન હારી જાય એવું તપાસવાને માટે ભૂતકાળમાં આપણે કયાં કયાં હારી ગયા હતા અને શા માટે હારી ગયા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy