SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ, (૩૦૧) સુધાસિંધુ ૧ લું એ રસ્તો ભયંકર છે. કહેવાનો મતલબ એ છે કે આપણે ભવિષ્યમાં કઈ સ્થિતિમાં પડીશું તેને વિચાર આપણે કરજ જોઈએ. એકેન્દ્રિયમાં જે સમયે આપણે હતા ત્યારે ત્યાં ધર્મશ્રવણને સમય ન હતે. દારૂડીયે પિતાનું સ્વરૂપ જાણતું નથી તેમ ત્યાં આપણે આપણું સ્વરૂપ પણ જાણતા ન હતા. જેમ આંધળે બહેરે પર્વતની ખીણમાં પડયે હતે. તેમ આપણે પણ કંઈપણ ન કરી શકીએ એવી રીતે અનંતકાયનિમાં પડયા હતા. એ યોનિમાંથી ખરેખર આપણે ભવિતવ્યતાને ગેજ બહાર આવી ગયા છીએ છતાં કોઈ એવું માની લે કે ઓહ, અનંતકાયમાંથી છૂટવાને રસ્તે તે તદ્દન સહેલે જ દેખું! તે આવા મૂખને તમે કઈ દશામાં ગણશે? તમે કઈ દિવસ આંધળા બહેરા થવાને રસ્તે લીધે છે? તમે કોઈ દિવસ જંગલમાં ભૂલા પડવાને અખતરે કર્યો છે? નહિજ ! પછી જે અનંતકાયનિમાં કે જેમાં ડૂબી ગયા પછી ત્યાંથી છૂટવાની તે કાંઈ વ્યવસ્થા જ નથી તે યોનિના નામની તમારામાં ભડક ન પેસે તે સમજી લેવું કે તે માણસ જ નથી. તે સમજુજ નથી ! ! ભય કયારે ઉત્પન્ન થાય? ભૂતકાળના ભવેને વિચાર આ જીવે કર્યો જ નથી, તેથી જ તે અનંતકાયાપણાથી ડરતે નથી. જે તેણે ભૂતકાળને વિચાર કર્યો હોત તે તે જરૂર તેને એ અનંતકાયયોનિને અંગે ભય થયા વિના કદી ન રહેત. નાના છોકરાને તમે એકવાર ઘેડે બેસાડો છે. છોકરો ઘેડે બેસે છે પરંતુ તે ઘોડા પરથી પડી જાય છે અને તેને વાગે છે તે તે રડે છે, પરંતુ જે પછી પણ તેને માબાપ વારંવારજ જે ઘડે બેસાડવાજ જાય છે તે કદી ઘોડે બેસતો નથી. ઘોડે બેસતાં પડે છે. હવે વિચાર કરો કે છોકરો શા માટે ઘડે નથી બેસતે વારં? એટલાજ કારણથી તે ઘોડા પર બેસતું નથી કે તેને ઘેડા ઉપરથી પડી જવાની ભડક પેસી ગઈ છે, અને જ્યાં તમે એ બાળકને ઘેડે બેસાડો છો કે એ ભડકે છે. જેમ બાળકને ઘોડા પર બેસવાની ભડક ત્યારે જ પેસે છે કે જ્યારે એ ઘોડા પર ચઢીને પડી ગયે હતે એ સ્મરણને તે જાગૃત કરે છે. તે જ પ્રમાણે જીવાત્માને પણ ભવની ભઠક ત્યારેજ પેસે છે કે જ્યારે તે ભવની ભડકને ધ્યાનમાં લે છે. અર્થાત જીવ જ્યારે ભવનું સ્મરણ કરે છે, ભવની સ્થિતિ ધ્યાનમાં લે છે ત્યારે જ તે ભવરૂપી બંધનથી બહીવા લાગે છે ગના બી કે વિના ની જ્યારે ભાવથી આત્માને ભય થવાની આ વાત તમે બરાબર ખ્યાલમાં લેશે અર્થાત્ કે આત્માને જ્યારે ભવેને ખ્યાલ આવે છે ત્યારે તે ભાવથી ભડકતે બને છે એ વસ્તુને સ્વીકારશે ત્યારે જ ગળથુથીની ત્રણ વસ્તુમાં જે “અનાઈ જીવે છે તેને બરાબર મર્મ તમારા સમજવામાં આવી જશે. “અનાઈ છે” એ બેલતી વખતે આપણને એવી શંકા થવા પામી હતી કે અહીં “અનાઈ જીવે એમ બેલાય છે તેથી લાભ શું? અનાઈ જીવે એમ બોલીને તે માત્ર ગયા ભવનીજ સાબીતી થાય છે અથાત્ તેથી આપણને લાભ નથી, માટે અનાઈ જીવે એમ ન બેલતાં ખરી રીતે “અવિનાસી જીવે એમજ બલવું જોઈએ. અનાઈજીવે એ સાબીત કરવા કરતાં અવિનાસી જીવે એમ સાબીત કરવામાંજ વધારે ફાયદે છે. હવે અહીં તમે અનાઈ છે અને અવિનાસી જીવે એ બેને તફાવત બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy