SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ લિંકને આવીને પોતાના અસભ્ય વર્તન માટે ન્યાયાધીશની માફી માગી. ન્યાયાધીશે આમ અધવચ્ચેથી અદાલત છોડી દઈને ચાલ્યા જવાનું કારણ પૂછ્યું ત્યારે લિંકને કહ્યું કે જેમ જેમ તેઓ આરોપીનો બચાવ કરવા લાગ્યા, તેમ તેમ એમને ખ્યાલ આવ્યો કે આરોપી તો ખરેખર ગુનેગાર છે અને પોતે કેસનો બચાવ કરીને જુaણું આચરી રહ્યા છે. એમ હતું તો તમારે થોભી જવું જોઈતું હતું અને કેસ પડતો મૂકવો હતો.” અરે ! જેમ જેમ બચાવ કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે મારા હાથ એવા લૂષિત-મેલા થઈ ગયા છે કે આવા લૂષિત હાથે હું ન્યાયની અદાલતમાં ઊભો રહી શકું નહીં, માટે એકાએક ચાલ્યો ગયો. મજૂરોને હડતાળ પાડવા ઉશ્કેરનાર મજૂર નેતા ખુદ બીમાર પડ્યો. બીમારીને શત્રુ-મિત્ર કારણે એટલી બધી અશક્તિ આવી ગઈ હતી કે એ કશું કામ કરી શકતો નહીં. સમાન. ડૉક્ટરોએ સલાહ આપી કે એને માટે હવાફેરની જરૂર છે. સ્વચ્છ હવા જ એને નીરોગી બનાવી શકે તેમ છે. મજૂરનેતા પાસે કોઈ મૂડી નહોતી. નોકરી કરવી પડે તેમ હતી. હવે કરવું શું ? એવામાં ડૉક્ટરે જ આવીને કહ્યું કે તમે નોકરી પરથી રજા મેળવી લો. સેનેટોરિયમમાં રહેવાના તમારા ખર્ચની વ્યવસ્થા થઈ ચૂકી છે. મજૂરનેતા સૅનેટોરિયમમાં રહેવા ગયો. ચારેક મહિના રહ્યો. પૂર્ણ સ્વસ્થ થઈને પાછો આવ્યો. ડૉક્ટરોએ એને ખર્ચ વિશે બેફિકર રહેવા કહ્યું હતું, પણ મજૂરનેતાને જાણવાની ઇચ્છા થઈ કે આ ચારેક મહિનાનો એનો ખર્ચ કોણે આપ્યો ? તપાસ કરતાં ખબર પડી કે જે કારખાનામાં એણે હડતાળ પડાવી હતી એના માલિક એન્ડ્રુ કાર્નેગીએ આ ખર્ચ આપ્યો હતો. મજૂરનેતાને અપાર આશ્ચર્ય થયું. એણે કારખાનાના કામદારોને ઉશ્કેર્યા હતા. ઉત્પાદન બંધ કરાવ્યું હતું. ઉદ્યોગપતિ મનની મિરાત ૧૪૫ જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, કાર્ડન કાઉન્ટી, કેન્દ્રકી, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૩૫, વૉશિગ્ટન ડી.સી., અમેરિકા ૧૪૪ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy