SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મદદનીશને લાગ્યું કે સમ્રાટ શા માટે આટલા બધા કઠોર બની ગયા ? મદદનીશની મનોદશા પારખીને એના ખભે હાથ મૂકીને નેપોલિયને કહ્યું, “તમને મારી વાત ગમશે નહીં, આઘાત પણ લાગશે. થશે કે હું શા માટે માનપત્ર આપવા આવેલા લોકોને દરવાજેથી જ પાછો વાળું છું. ખરું ને ?” મદદનીશે કહ્યું, “સમ્રાટ, આપના આવાં કઠોર વચનો હું સમજી શક્યો નહીં. જે પ્રજાની તમે રાતદિવસ વાત કરો છો, એની પાસેથી માનપત્ર લેવામાં શું ખોટું છે ?” નેપોલિયને કહ્યું, “શાનું માનપત્ર ? યુદ્ધમાં મેં વિજય મેળવ્યા, તે મારી ગરજે મેળવ્યા છે. ફ્રાંસની સરહદ સામે કે ફ્રાંસની પ્રભુતા સામે આંખ ઊઠાવનારને પાઠ ભણાવવો તે મારું કર્તવ્ય છે, આથી મેં મારી ગરજે યુદ્ધ ખેલ્યું છે અને વિજય મેળવ્યા છે. એમાં કોઈ મોટું પરાક્સ કર્યું નથી.” પરંતુ જ્યારે પ્રજા એના યુદ્ધવિજેતાને આદર આપવા ચાહતી હોય, તો એને અટકાવો છો શા માટે ? એનું કોણ કારણ ખરું ?” નેપોલિયને કહ્યું, “એનું કારણ એ કે આ માનપત્ર આપનારા એ મારી સિદ્ધિને માનપત્ર આપે છે, મારા પુરુષાર્થ કે વીરતાને નહીં. આજે વિજય મળ્યો તો તે સન્માન કરવા આવે છે, પરંતુ કાલે પરાજય મળે તો એ જ લોકો મને ફાંસીની શૂળીએ ચડાવતા અચકાશે નહીં. દુનિયા તો ઊગતા સૂરજને પૂજનારી છે અને ચમત્કારને નમસ્કાર કરનારી છે, આથી તમે એ સૌ અગ્રણીઓને કહો કે માનપત્રની વાત ભૂલીને ફ્રાંસની પ્રગતિ માટે મેં વ્યક્ત કરેલા વિચારો એમના આચારમાં મૂકે. મેં આપેલું બંધારણ અને નાગરિક કાનૂનસંહિતાનું બરાબર પાલન કરે. એ જ મારે માટે સર્વોત્તમ સન્માનપત્ર.” બ્રિટનના પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર બેન્જામિન ડિઝરાયલીને દુઃખનું જીવનના પ્રારંભથી જ આફતોની વણઝાર અનુભવવી પડી. એણે કારકુન તરીકેની સ્મરણ. પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. શેરબજારના સામાં ભારે મોટી ખોટ ખાધી. એમાંથી બહાર આવવા માટે વર્તમાનપત્ર શરૂ કર્યું, પણ એનું ‘રિપ્રેઝન્ટેટિવ' વર્તમાનપત્ર પણ ખોટ ખાઈને બંધ થઈ ગયું. નિષ્ફળતાનો દોર એવો તો ચાલુ રહ્યો કે ડિઝરાયલીને માથે દેવાનો ડુંગર ખડકાઈ ગયો. એ ચાલુ દિવસે બહાર નીકળી શકતો નહીં, કારણ કે કોઈ લેણદાર ભટકાઈ પડે તો એનું આવી બને. માત્ર રવિવારે જ એ બહાર નીકળતો કારણ કે એ દિવસે કોર્ટનો માણસ લેણદાર પર યંચ લાવી શકતો નહીં કે એને જેલમાં ધકેલી દઈ શકતો નહીં. એણે રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ એમાં પણ સતત બે વખત એની હાર થઈ. આખરે ૩૩ વર્ષે એ રૂઢિચુસ્ત પક્ષના ઉમેદવાર તરીકે ઇંગ્લેન્ડની આમ-સભામાં ચૂંટાયો, પરંતુ દુઃખ, દારિદ્ર અને મુસીબતોનો ડગલે ને પગલે અનુભવ કરનાર મનની મિરાત ૧૦૯ જન્મ 3 ૧૫ ઓગસ્ટ, ૧૩૬૯, એજેસીઓ, કોર્સિકા, ફાંસ અવસાન ઃ ૫ મે ૧૮૨૧, લોંગવુડ, સેટ હેલેના પુ. ૧૦૮ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy