SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ સંકલ્પ - સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન વર્તવાનો નિશ્ચય. સંક્રમણ - એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, તેને જીવે પરિણામ વિશેષથી પોતાની સજાતીય અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. કરવો; પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વલીનતા એ નિશ્ચયથી સંયમ છે અને વ્યવહારથી સત્તરભેદે સંયમ છે. ઉત્તમ સંયમ એ સમ્યક્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી પરમ પવિત્ર વીતરાગપરિણતિ છે. સંયમ (સત્તરભેદ) - પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ કરવો, ત્રણ ગુપ્તિ ધારણ કરવી એ સત્તરભેદે સંયમ છે. સંખ્યાતગુણહીન - સંખ્યાત ગણું ઓછું. સંજ્વલન - જે કષાયને દાબવામાં જીવને ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય કહેવાય છે. સંમુશ્કેિમ જીવ - મનુષ્યોનાં શરીરમાંથી નીકળતી અશુચિ, લોહી, વિષ્ટા, મૂત્ર વગેરે ચૌદ પ્રકારના અશુચિના સ્થાનમાં માતા-પિતા વિના જે સ્વયં આવીને ઉત્પન્ન થાય તેવા જીવ સંમુર્છાિમ (self born) કહેવાય છે. તેઓ બધા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે, ખૂબ સૂક્ષ્મ હોય છે અને તેઓનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે. સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી એ સંયમ છે, જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ સંયમ છે. સંવર - પાપ અથવા પુણ્ય કર્મને વિભાવ ત્યાગી આત્માના પ્રદેશો પર આવતાં રોકવાં અથવા જે સાધનથી આત્મા નવાં કર્મ સ્વીકારતો નથી તે સંવર કહેવાય છે. સંવર બે પ્રકારે છેઃ દ્રવ્યસંવર અને ભાવસંવર. જે કર્મ પુદ્ગલના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર, અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થાય તે ભાવસંવર કહેવાય. સંવર (અકામ) - જે કામ/કાર્ય જીવ અનિચ્છાપૂર્વક કરતો નથી અને કર્તા થતો નથી. સંવર (સકામ) - જે કામ કાર્ય જીવ ઇચ્છાપૂર્વક કરતો નથી અને કર્તા થતો નથી. સંવરપ્રેરિત મહાસંવર - મહાસંવર, સંવરપ્રેરિત જુઓ. સંવરપ્રેરિત નિર્જરામાર્ગ - જ્યારે જીવ વિપાક ઉદયે સંવરમાર્ગમાં સપુરુષના શબ્દો દ્વારા તેમનાં કલ્યાણભાવનો સ્પર્શ પામે છે ત્યારે તેને પરિભ્રમણ કરાવનાર પોતાનાં સત્તાગત કર્મથી છૂટવાની ઇચ્છા અતિ સંયમ (ઉત્તમ) - સંયમ એટલે ઉપયોગને પરપદાર્થથી ખસેડી લઈ આત્મસન્મુખ
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy