SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ ૐ, અરૂપી - જેમાં માત્ર વેદન હોય, પણ શબ્દદેહ ન હોય તેવો ૐ નો અનુભવ. ૐ આજ્ઞા - પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા. ૐ રૂપી મૌન - ૐની બાબતમાં રૂપી મૌન એટલે શબ્દોચ્ચાર વગરની સ્થિતિ. ૐ ધ્વનિ - ૐકારનો અવાજ. ૐૐ ધર્મ - પંચપરમેષ્ટિ પાળે છે તે ધર્મ. ૐ નાદ - ૐકારનો સ્વર અવિરતપણે આવવો. ૐ સિદ્ધિ - પ્રભુને પ્રગટેલી ૫૨મ સિદ્ધિ. - અખેદપણું ખેદ રહિત સ્થિતિ, જેમાં સ્થિર પરિણામ હોય. - અનેકાંતવાદ (અનેકાંત દૃષ્ટિ) - અનેકાંતવાદ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો. અનુકંપાપ્રેરિત અનુકંપા - અનુકંપા એટલે દયા, કોમળતાવાળા ભાવ. દયાભાવથી પ્રેરાઈને કરેલો શાતા મળે એવો ભાવ. ૩૧૩ અનુકંપાપ્રેરિત આસ્થા - આસ્થા એટલે શ્રદ્ધા. દયાભાવ સહિતની શ્રદ્ધા. અભયદાન - સહુ જીવો સંસારના દુઃખથી મુક્ત થાય એવા મુખ્ય ભાવ સાથેના કલ્યાણભાવના પરમાણુઓ આત્મપ્રદેશ પરથી છૂટવા. અભયપણું, ધર્મનું - ધર્મના સાનિધ્યથી સંસારના ભયોથી મુક્ત થવાય તે. અભેદતા - અભિન્નતા, એકપણું. અરિહંતકવચ શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. અરિહંતપણું - શ્રી તીર્થંકર પદ. અલિપ્તતા નિસ્પૃહતા, પદાર્થોથી છૂટાપણું, અલગપણું અનુભવવું. અલોક - લોકની બહારનો પ્રદેશ. અષ્ટમહાસિદ્ધિ અણિમા, મહિમા, ગિરમા, લધીમા, વગેરે નામની આઠ મહાન સિદ્ધિઓ આત્માની શુદ્ધિ વધતાં પ્રગટ થાય છે તે. - આચાર્યકવચ શ્રી ગણધરપ્રભુ કે આચાર્યજીનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. -
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy